કોઈને કોઈ કારણોસર ઘણા બધા વ્યક્તિઓ રોજ રોજ આપઘાત કરીને જીવન ટૂંકાવી દેતા હોય છે. તેઓ એક પણ વાર તેમના પાછળ રહેલા પરિવારજનો વિશે વિચાર કરતા નથી તે કે, તેમના મૃત્યુ બાદ હવે તેમના પરિવારજનો કેવી હાલતમાં જીવન જીવશે તો તેમનું શું થશે આવો સહેજ પણ વિચાર કર્યા વગર તેઓ આપઘાત કરીને જીવન ટુંકાવી દે છે..
હાલ બિહારના મધુબની જિલ્લાની એક મહિલાએ એવું પગલું ભરી લીધું છે કે, જેના કારણે તેના સાસરીયાના લોકોની આંખો પહોળી થઈ ગઈ હતી. આ ઘટના પદ્મા ગામ વિસ્તારની છે. અહીં એક પરિવાર ખૂબ જ રાજી ખુશીથી રહેતો હતો. પરિવારમાં રાજેશ અને તેની પત્ની સુધા બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા..
સુધા છેલ્લા કેટલાક સમયથી તેના પિયરે રહેવા માટે ચાલી ગઈ હતી. જ્યારે રાજેશ પદ્મા ગામમાં પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરવાનું કામકાજ કરતો હતો. લાંબા સમયથી પિયરમાં રહેતી તેની પત્ની સુધા ત્રણ દિવસ પહેલા અચાનક જ સાસરે આવી ગઈ હતી. પરંતુ સાસરે આવ્યા બાદ તેનું વર્તન ખૂબ જ બદલાયેલું દેખાયું અને માત્ર બે કલાકમાં તો તે સાસરેથી કંઈક બીજે પણ જતી રહી એટલે કે, ગુમ થઈ ગઈ હતી..
પરિવારના સભ્યોને ફોન કરીને પૂછવાની કોશિશ કરી. આ ઉપરાંત અન્ય વ્યક્તિઓને પણ સુધારાની જાણકારી છે કે નહીં તેની જાણ મેળવી હતી પરંતુ દરેક વ્યક્તિઓએ સુધાનો કોઈ પણ અતો પતો નથી. તેવું જણાવી દેતા સાસરિયાના લોકો પોલીસ સ્ટેશન હાજર થઈને સુધાને શોધવા માટે ફરિયાદ નોંધાવી દીધી હતી..
પરંતુ બે દિવસની શોધખોળ કર્યા બાદ પણ કશું હાથ ન લાગ્યું અને ત્રીજા દિવસે સવારે સાસરીયા વાળાના લોકોના ઘરની પાછળ રહેલા બગીચાના એક ઝાડ સાથે સુધા લટકેલી હાલતમાં મળી આવી હતી. આ દ્રશ્યને પોતાની નજરની સામે જોનારા વ્યક્તિઓ એકાએક હચમચી ગયા હતા.
આ દ્રશ્યને ગામના એક વ્યક્તિએ જોયો હતો જ્યારે તેણે જોયું કે સુધાએ આપઘાત કરી લીધો છે. ત્યારે તે તાત્કાલિક પોલીસને પણ જાણકારી આપી અને પોલીસે સુધાના પરિવારજનોને જાણકારી આપતા તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સુધાએ શા માટે આ પગલો ભર્યું છે તેની હજુ કોઈ પણ પ્રકારની માહિતી મળી નથી.
આ ઉપરાંત તેણે આપાઘાત કર્યા બાદ કોઈપણ અંતિમ નોટ પણ છોડી નથી. એટલા માટે આપ કેસને સુલજાવો ખૂબ જ મુશ્કેલ બની ગયો છે. પરંતુ આ ઘટનાને લઇ સૌ કોઈ લોકો વિચારવા લાગ્યા છે કે, આખરે સુધારો માથે એવી કઈ આફત આવી પડી હશે કે, જેના સહન ન કરી શકતા તે આપઘાત કરી બેઠી છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]