કોઈપણ વ્યાપાર કે બીસનેસ ચલાવવા માટે ખૂબ જ વધારે પૈસાની જરૂર પડે છે. અમુક વ્યક્તિ પાસે ખૂબ જ સારું નોલેજ હોય છે. આ ઉપરાંત ધંધો કેવી રીતે કરવો અને કેવી રીતે ઓછા પૈસાના રોકાણમાં વધારે રૂપિયા કમાઈ શકાય વગેરે જેવી ઘણી બધી માહિતી હોય છે. પરંતુ સાહસ અને રોકાણ કરવાના પૈસાની કમી હોવાને કારણે તેમનું ટેલેન્ટ નીચે દબાઈ જતું હોય છે..
અત્યારે રાહુલ નામના વ્યક્તિએ તેના સસરા દામજીભાઈના પૈસાથી વ્યાપાર ધંધો શરૂ કરી નાખ્યો હતો. પરંતુ આ ધંધો બરાબર પાટે ચડે એ પહેલા તો તેની સાથે એવી ઘટના બની ગઈ કે, તેની પત્ની તેના ઉપર ચડીને ચીસો નાખવા લાગી હતી અને રોજબરોજની હેરાનગતિ પહોંચાડવા લાગી હતી..
રાહુલભાઈએ તેમના સસરા દામજીભાઈ પાસેથી કુલ 40 લાખ રૂપિયા લીધા હતા અને આ રૂપિયાથી તેણે ટેક્સટાઇલના ઉદ્યોગમાં મશીનરી ગોઠવી હતી. આ મશીનરીને સંભાળવા માટે તેમણે એક કારીગર પણ રાખ્યો હતો. આ કારીગરને કારણે જ રાહુલભાઈ ને અત્યારે ખૂબ જ માઠું સહન કરવાનો વારો આવ્યો હતો..
એક દિવસ જ્યારે કારીગરે બરાબર કામ કરીને આપ્યું ત્યારે રાહુલભાઈ આ કારીગરને ઠપકો આપ્યો હતો અને બદલામાં આ કારીગર એટલો બધો ગુસ્સે ભરાઈ ગયો કે, તેણે રાહુલભાઈનું નુકસાન પહોંચાડવાનું શરૂ કરી નાખ્યું હતું. તેમણે તેના મિત્રોને બોલાવીને રાહુલભાઈ ની તમામ મશીન મળીને ખોલી નાખી વેર વિખેર કરી લીધી હતી..
અને ઘણા બધા કીમતી પાર્ટ્સને તો ચોરી કરીને વેચી પણ નાખ્યા હતા અને ત્યારબાદ તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. રાહુલભાઈ ને ધંધામાં ખૂબ જ મોટી નુકસાની આવી પહોંચી હતી. તેઓએ જ્યારે તેમની પત્નીને જણાવ્યું કે, તેમની ફેક્ટરીની અંદર કામ કરનાર કારીગર જ તેમની સાથે છેતરપિંડી કરીને જતો રહ્યો છે..
અને તેમને ખૂબ જ મોટું નુકસાન પહોંચ્યું છે, ત્યારે તેની પત્નીએ રાહુલભાઈ ને જણાવ્યું કે, તમે મારા પિતાના પૈસાને બરબાદ કરી નાખ્યા છે. તમારામાં ધંધો કરવાની કોઈપણ ત્રેવડ નથી. છતાં પણ તમે મારા પિતા પાસેથી પૈસા લીધા અને હવે એ પૈસાને તમે વેડફી નાખ્યા છે. તમે મોજશોખની અંદર આ પૈસા વાપરી નાખ્યા હશે…
તમે જૂઠું બોલી રહ્યા છો, વગેરે વગેરે વાતો કહીને રાહુલભાઈની પત્ની તેનું માથું ખાવા લાગી હતી. તો બીજી બાજુ રાહુલભાઈ ના સસરા પણ હવે આ પૈસાની માંગણી કરવા લાગતા રાહુલભાઈએ તેના સસરાને આ તમામ આપવીતી જણાવી હતી. પરંતુ કોઈ વ્યક્તિએ તેમની આ વાત માં સાથ સહકાર આપ્યો નહીં..
તેમની આ હકીકત જાણીને સૌ કોઈ લોકોના હોશ ઉડી ગયા, પરંતુ આ મુશ્કેલીની ઘડીની અંદર તેમની પત્નીએ પણ તેમનો સાથ સહકાર છોડી દીધો હતો. બિચારા રાહુલભાઈ ખૂબ જ મૂંઝવણમાં મુકાઈ ગયા અને અંતે તેમને વતનમાં જઈને તેમના મા બાપ પાસે મદદ માગવાની ફરજ આવી પડી હતી..
તેઓએ તેમના માતા-પિતા પાસેથી પૈસા લઈને અન્ય એક વ્યાપાર શરૂ કર્યો હતો અને આ વ્યાપારમાં તેઓ જે રૂપિયા કમાણા તેમની કમાણીમાંથી તેઓએ તેમના સસરાના રૂપિયા ચૂકતે કરી નાખ્યા હતા. બિચારો વ્યક્તિ જ્યારે કોઈ મોટી મુશ્કેલીની અંદર મુકાઈ જાય ત્યારે તેને તેમના પરિવાર ના સભ્યો પાસેથી સરકારની અપેક્ષા હોય છે. પરંતુ જો એવા સમયે પણ કોઈ વ્યક્તિને સાથ સહકાર મળે નહીં તો તે ખૂબ જ મોટી મૂંઝવણમાં મુકાઈ જતો હોય છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]