થોડા થોડા અંતરે જુદી-જુદી માન્યતાઓ સાથે જીવન જીવવામાં આવી રહ્યો છે, અમુક લોકો હજુ પણ અંધશ્રદ્ધાની અંદર જીવન જીવી રહ્યા છે, અત્યારે એક એવો અનોખો મામલો સામે આવ્યો છે, જેને જાણ્યા બાદ કોઈપણ વ્યક્તિને આ ઘટના ઉપર વિશ્વાસ કરવો મુશ્કેલ બની ગયો છે. રાજેન્દ્ર નામનો યુવક તેના સસરાના ગામે જમણવાર માટે ગયો હતો..
અને ત્યાં તેની પત્ની અને તેના બંને બાળકોને થોડા સમય માટે પિયરમાં રહેવા માટે મૂકી સાંજના સમયે તે પોતાને ઘરે પરત આવી રહ્યો હતો, ત્યારે તેની સાથે અડધી રસ્તે જ એવી ઘટના બની ગઈ કે, લોકોના મોઢા ફાટેલાને ફાટેલા જ રહી ગયા હતા, આ ઉપરાંત સમગ્ર ગામમાં પણ ડરનો માહોલ ફેલાઈ ગયો હતો..
આ ઘટના તોતાસી ગામની પાસે આવેલા નાળાનો છે, રાજેન્દ્ર રાતના 12:30 વાગ્યા આસપાસ આ નાળાની પાસેથી પસાર થતો હતો, ત્યારે તેના શરીર માથેથી એક ડમ્પર ચાલકે ડમ્પર ફેરવી દીધું હતું અને તેનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું, તોતાસી ગામના ઘણા બધા રહીશોનું કહેવું છે કે, આ નાળા પાસે છેલ્લા કેટલાક વર્ષોથી સફેદ કપડાની અંદર ભૂત પ્રેત આવે છે..
અને તે લોકોના જીવ લઈને જતું રહે છે, રાતના સમય આ નાળા પાસેથી કોઈપણ વ્યક્તિએ પસાર થવું જોઈએ નહીં, સાંજના 12:30 વાગ્યા આસપાસ રાજેન્દ્રનું આ માર્ગ અકસ્માતમાં મૃત્યુ થઈ ચૂક્યું હતું અને સવારના સમયે જ્યારે રાહદારી હોય આ નાળા પાસે રાજેન્દ્રને મોતને ઘાટ ઉતરેલો જોયો ત્યારે સૌ કોઈ લોકો ત્યાંથી દૂર ભાગવા લાગ્યા હતા..
ગામના કેટલાક લોકો અહીં ભૂતો પ્રેતો સંકળાયેલા છે, તેવી ઘટનાથી જોડાયેલા હતા. જ્યારે કેટલાક લોકોનું કહેવું હતું કે આ તમામ બાબતો ફાલતુ છે, અહીં આ વ્યક્તિ અકસ્માતમાં મૃત્યુ પામ્યો છે. આ સજન વ્યક્તિએ તરત જ નજીકના પોલીસ સ્ટેશનને પણ જાણકારી આપી હતી કે, અહીં કોઈ વ્યક્તિનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થઈ ચૂક્યું છે..
અને તેની લાશ રોડ ઉપર પડેલી છે, પોલીસનો કાફલો ઘરના સ્થળે દોડી આવ્યો અને રાજેન્દ્ર ના ખિસ્સામાંથી મળેલા પુરાવા ઉપરથી માહિતી મળી કે, આ વ્યક્તિનું નામ રાજેન્દ્ર છે. જે નજીકના ગામની અંદર જ રહે છે, તેના પરિવારજનોને પણ સમાચાર પહોંચાડી દેવામાં આવ્યા હતા પરંતુ આ કિસ્સાને લઈ સમગ્ર ગામમાં ડરનો માહોલ ફેલાઈ ગયો હતો કે..
છેલ્લા ઘણા વર્ષોથી ભૂતપ્રેતની આ ઘટના હવે સત્ય સાબિત થઈ જવા પામી છે, છેલ્લા ત્રણ અઠવાડિયાથી દર અઠવાડિયામાં એક વ્યક્તિનું આ નાળા પાસે મૃત્યુ થઈ રહ્યું છે. જે કોઈ સરળ વાત કહેવાય નહીં, આ વાતને લઈને આપણે તપાસ પણ કરાવી જોઈએ અને આ જગ્યાએથી રાત્રિના સમયે આપણે દૂર રહેવું જોઈએ..
રાજેન્દ્રના મૃત્યુના સમાચાર સાંભળતા જ તેના પરિવારમાં મોતનો માતમ છવાઈ ગયો હતો, તેના બંને નાના બાળકોની સાથે તેની પત્નીના પણ હોશ ઉડી ગયા હતા. ગામના કેટલાક લોકો રાજેન્દ્રના મૃત્યુને સફેદ કપડાવાળા આ ભૂત સાથે સાંકળી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો આ વાતને અંધશ્રદ્ધા માની રહ્યા છે. આ વાતને લઈને જરૂરી તપાસ ચલાવવામાં આવી રહી છે. અને ત્યારબાદ જ સત્ય સાબિત થઈ જશે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]