જ્યારે પણ લોકોના સ્વાસ્થ્યનો સવાલ આવે ત્યારે સહેજ અમથી પણ ભૂલચૂક ચલાવી લેવામાં આવતી નથી. કારણ કે સ્વાસ્થ્યનો ઈલાજ કરનાર વ્યક્તિથી જો થોડીક અમથી પણ ચૂક થઈ જાય તો જે તે વ્યક્તિનો જીવ પણ જતો રહેતો હોય છે. અને એવામાં અત્યારે તો એવા ડુબલીકેટ ડોક્ટરના કારનામા સામે આવવા લાગ્યા છે કે, જેની ન પૂછો વાત..
પાછળના ઘણા સમયથી સવારે નવા નવા ઘણા બધા કિસ્સા સામે આવી ચૂક્યા છે કે, જેમાં અભણ અંગૂઠા છાપ તેમજ અન્ય કોઈ ધંધા કે વ્યવસાય સાથે જોડાયેલા લોકો દવાખાનાનું શટર ખોલીને બેસી જાય છે. અને લોકોની આગે રીતે સારવાર કરવા લાગે છે. ઉપર છેલ્લા નોલેજ તેઓ દર્દીઓને મન ફાવે તેવી દવાઓ આપી દે છે..
અને કોઈક વખત જો આડ અસર થઈ જાય તો ભારે મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવી જતો હોય છે. તો કેટલાક વ્યક્તિના જીવ પણ જતા રહેતા હોય છે. અત્યારે મધ્યપ્રદેશના ભીંડ જિલ્લામાં એક સરકારી શાળાના શિક્ષકે બાળકોને ભણાવવાની બદલે દવાખાનું ખોલી નાખ્યું હતું અને તેમાં લોકોની સારવાર પણ કરવા લાગ્યો હતો..
સરકારી શાળામાં હાજરી આપવાની બદલે તે દવાખાનું ખોલીને લોકોની સારવાર કરવા લાગ્યો હતો. શાળામાં શિક્ષક ન આવવાને કારણે બાળકોએ પણ શાળાએ આવવાનું મૂકી દીધું હતું અને આ ઘટનાની જાણકારી જ્યારે શિક્ષણ વિભાગ સુધી પહોંચી ત્યારે તપાસ ચલાવવામાં આવી હતી અને ખબર પડી કે સરકારી શાળાનો શિક્ષક કે જેનું નામ રણધીરસિંહ બધેલ છે..
તેની પાસે કોઈ પણ પ્રકારની ડીગ્રી નથી છતાં પણ તે લોકોની સારવાર કરી રહ્યો છે. અને તેણે બાળકોને ભણાવવાનું મૂકી દીધું છે. જ્યારે ત્યાં આસપાસના રહેતા લોકોને ખબર પડી કે, આ ડોક્ટર નકામો ડોક્ટર છે. અને તે મન ફાવે તેમ લોકોની સારવાર કરી રહ્યો છે. ત્યારે તેઓએ હોબાળો મચાવી દીધો હતો..
તેમજ તેની સામે કમ્પ્લેન કરીને તેની કાયદેસર કાર્યવાહીઓ કરવાનું નક્કી કરી નાખ્યું હતું. મન ફાવે તેવી રીતે લોકોના સ્વાસ્થ્ય સાથે સાથે ખીલવડ કરવાના આરોપમાં તેની સામે કાર્યવાહીઓ ચલાવી લેવામાં આવી છે. તેમ જ શિક્ષણ વિભાગના અધિકારીઓએ પણ તેને નોટિસ પાઠવી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]