Breaking News

સરકારી નોકરી મેળવા માટે પતિ-પત્ની હલકાઈ પર ઉતરી આવીને પોતાની સગી દીકરીને કેનાલમાં ફેંકીને મોતને ઘાટ ઉતારી દીધી, અને પછી તો…

લોકો આજકાલ પોતાના સ્વાર્થ માટે બીજા લોકોના જીવ લઈ રહ્યા છે. પરિવારમાં દીકરીઓ લક્ષ્મી માતાનું રૂપ ગણાય છે પરંતુ હજુ પણ ઘણા બધા પરિવારના લોકોને નીચી વિચારસરણીમાં જીવી રહ્યા છે. અને તેઓ ક્યારેક એવી દર્દનાક ઘટનાઓ કરી રહ્યા છે. કરતા પહેલા જરા પણ લોકોને વિચાર આવી રહ્યો નથી.

આવી જ એક ઘટના હાલમાં બિકાનેરના છત્તરગઢ વિસ્તારમાં આવેલા ચાંદસર ગામમાં રહેતા પરિવારમાં બની હતી. ગામમાં ઝંવરલાલ તેમની પત્ની અને બાળકો સાથે રહેતા હતા. યુવક ગામની શાળામાં સહાયક તરીકે કોન્ટ્રાક્ટ પર કામ કરતા હતા. તેઓની સરકારી નોકરી મુશ્કેલીથી મળી હતી અને કોન્ટ્રાક્ટ પર મળેલી સરકારી નોકરીને તેઓ છોડવા માગતા ન હતા.

ઝંવરલાલ તેમની પત્ની અને બે બાળકો સાથે રહેતા હતા તેને ત્રીજી દીકરી મારી 5 મહિનાની હતી. દીકરીનું નામ અંશુ હતું. પરિવારની સૌથી નાની દીકરી હતી. અને ઝવેરભાઈ જે નોકરી કરતા હતા. તે નોકરીમાં પોતાના બે બાળકો હોવાનું તેમણે એફિડેવીટ પણ આપ્યું હતું. ત્યારબાદ ઝંવરલાલ તેની પત્ની અને બાળકો સાથે બે દિવસ પહેલાં છત્તરગઢમાં તેમના રહેતા સાળાના ઘરે ગયા હતા.

ત્યાંથી તેઓ પોતાના ભાઈના ઘરે દિયાતારા તરફ ગયા હતા અને ત્યાંથી રોકાઈને તેઓ ફરી પર પોતાના ઘરે આવવા માટે નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં કેનાલ આવતી હતી. આ કેનાલે પરિવારના લોકો ઉભા હતા. તેમની પત્ની સાથે મળીને તેમની પાંચ મહિનાની દીકરીને કેનાલની નજીક લઈ ગયા હતા અને તેઓ પાંચ મહિનાની બાળકીને લઈને ઇન્દિરા ગાંધી કેનાલ પ્રોજેક્ટર પર પહોંચ્યા હતા.

ત્યારબાદ પોતાની દીકરીને આ કેનાલમાં તેઓએ ફેંકી દીધી હતી. તેઓ દીકરીને રાખવા માંગતા ન હતા અને ઝંવરલાલએ પોતાની દીકરીને રાખવા માંગતા ન હતા. અને અંશુની મોટી બહેનને ઝંવરલાલ પોતાના મોટાભાઈને દત્તક આપી દીધી હતી. તેઓએ પોતાની નોકરી માટે તેમની દીકરીને કેનાલમાં ફેંકી દીધી હતી.

અને માસુમ દિકરીને કેનાલ ફેંકી દેતા આસપાસના ઘણા બધા લોકોએ જોઈ હતી. જેના કારણે લોકોએ બુમાબુમ કરતા પરિવારના લોકો પોતાની બાઈક લઈને ત્યાંથી ભાગી ગયા હતા. ત્યારબાદ તરત જ સ્થાનિક લોકો કેનાલની આસપાસ પહોંચી ગયા હતા અને કેનાલમાં પડેલી બાળકીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.

બાળકીને તરત જ બહાર કાઢવામાં આવી હતી અને તેમને સારવાર માટે લઈ જવામાં આવી હતી પરંતુ આટલી વારમાં બાળકીનું મૃત્યુ થઈ ગયું હતું. જેના કારણે પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસને તમામ વાતની જાણકારી સ્થાનિક લોકોએ આપી હતી. જેના કારણે પોલીસે ખાજોવાલાના ટ્રેની પાસે નાકાબંધી કરીને આ આ બાઇકને રોકી પાડવામાં આવ્યા હતા.

ત્યારબાદ ઝંવરલાલને પોતાની ભાભીના ઘરે ગયા હતા અને પરત આવ્યા છે તેમ જણાવ્યું હતું પરંતુ પોલીસને શંકા હોવાને કારણે તેઓએ પરિવારની પૂછપરછ કરી હતી અને તરત જ પરિવારના લોકોને પોલીસે પકડી પાડ્યા હતા. ત્યારે ઝંવરલાલે જણાવ્યું હતું કે તેમની નોકરીમાં બેથી વધુ બાળકો ન હોવા જોઈએ. તેવો કોન્ટ્રાક્ટ કરેલો હતો. જેના કારણે તેમણે પોતાની એક બાળકીને કેનાલમાં ફેંકી દીધી હતી. એક યુવકે પોતાની નોકરી માટે પોતાની લાડકી દીકરીનો જીવ લીધો હતો…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *