સંતાન માટે કેટલાય લોકો દુખી થાય છે. કોઈ કારણોસર સંતાન પ્રાપ્તિ ન થતા પતિ પત્ની પર આફતોના વાદળો ઘેરાયા હોઈ તેમ તેઓ કોઈને કોઈની સલાહ લઈને સારવાર કે ટુચકાઓ અપનાવતા હોઈ છે. છતાં પણ પરિણામ ન મળે તો તેઓ કોઈ ભુવા કે વૈધની સલાહ લેવા જાય છે..
જ્યાં મોટા ભાગના કેસોમાં મહિલા સાથે ગેરવર્તણુક કરીને મરજી વિદુદ્ધનું કાંડ આચરવામાં આવે છે તેમજ કોઈ અન્ય રીતે પૈસા પડાવવામાં આવે છે. લોકોની અણસમજ ને કારણે વારવાર આવી ઘટનાઓ આપડી સમક્ષ રજુ થતી હોઈ છે. છતાં પણ લોકો હજુ જાગૃત થઈ રહ્યા નથી.
ફરીવાર આંખો ફાડીને નજર કરાવે તેવો કિસ્સો કોડીનારના છારા ગામે નોંધાયો છે. જ્યાં એક પરિણીતાના લગ્નના 3 વર્ષ વીતી ગયા છતાં પણ બાળકની પ્રાપ્તિ ન થતાં તેણીએ દરેક હોસ્પિટલ અને વિજ્ઞાન નિષ્ણાંતોના દાદરા ચડી લીધા છે. છતાં પણ કોઈ પરિણામ ન મળતા અંતે તેની સાસુની સલાહ મુજબ કામ કરવાનું તેને નક્કી કર્યું.
તેની સાસુએ તેને શહેરના જાણીતા આયુર્વેદિક વૈધને ત્યાં સારવાર લેવા માટે કહ્યું તે મુજબ તેણીએ શહેરના આયુર્વેદિક ડોક્ટરનો સંપર્ક કર્યો હતો. આ વૈધનું નામ હરી સોલંકી છે. તપાસ કરાવ્યા બાદ વૈધએ જણાવ્યું કે અત્યારે હું 10 દિવસની દવા આપું હ્હું ત્યાર બાદ ફરીવાર બતાવી જજો.
આ દવા પૂરી થતાં પરિણીતા પોતાની સાસુ સાથે ફરીથી નિદાન માટે જતાં ડોક્ટરે પરણિતાને તપાસીને કહ્યું કે, તમારી ઉપર કોઈકે ટૂચકો કર્યો હોવાથી તમારે બાળક નથી થતું. આથી 8 દિવસ બાદ પાનેતર, લીંબુ સહિત અન્ય વસ્તુઓ લઈને આવશો, તો તમારી સમસ્યાનું સમાધાન થઈ જશે.
8 દિવસ બાદ પરણીતા અને તેની સાસુ વૈદે કીધી એ તમામ વસ્તુઓ લઈને ત્યાં પહોચ્યા હતા. ડોકટરે પરણીતાને અંદર બોલાવી લીધી પરંતુ સાસુને અંદર પ્રવેશ કરતા રોકી અને ત્યાં બહાર જ બેસારી રાખી. ત્યારબાદ પરણીતાને અંધારી રૂમમાં લઈ ગયો. જ્યાં પરણીતાને કપડા કાઢીને પાનેતર પેરવા કહ્યું હતું.
એ મુજબ પરણીતાએ પાનેતર પહેરી લીધું અને કપડા કાઢી નાખ્યા હતા. ત્યાર બાદ વિધિની ક્રિયા ચાલુ કરવી પડશે તેથી પરણીતાને કમર પર દોરો બાંધવા કહ્યું અને કેટલાક પડીકા બાંધીને આપ્યા જે નદીમાં પધરાવી દેવા જણાવ્યું હતું.
આ કામ પૂરું થયા બાદ પરિણીતાના કપડા કઢાવીને ડૉક્ટરે ખુદ પોતાના કપડા પર ઉતારી દીધા હતા અને પરિણીતાની મરજી વિરુદ્ધ પરાણે શરીર સ.બંધ બાંધ્યા હતા. તેથી આ આયુર્વેદિક વૈદે મહિલા સાથે બળજબરી પૂર્વક શરીર સબંધ બાંધ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
આ મામલે પીડિત મહિલાએ પરિવારજનોને ફોન કરીને દવાખાને બોલાવીને સમગ્ર ઘટનાથી વાકેફ કર્યા હતા. જે બાદ પીડિત મહિલાએ કોડીનાર પોલીસ સ્ટેશને પહોંચીને આયુર્વેદિક ડૉક્ટર વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હકીકતમાં ધાર્મિક વિધિના નામે આ પ્રકારની હરકતો કરી લોકો જિંદગી બરબાદ કરનાર આવા લોકોના ધીંગાણા દિવસેને દિવસે વધી રહ્યા છે. લોકોને અન્ધશ્રદ્ધામાં ડૂબાડની પૈસા પડાવવા અને આવા કામો કરવા આ લોકો માટે મજાક બની ગયો છે. સાવધાન રહો અને સર્તક રહો..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]