અત્યારે પરિવારમાં રહેતા લોકો સાથે ક્યારે કઈ ઘટના બની જાય તે કહી શકાતું નથી. પરિવારમાં એક વ્યક્તિનું મૃત્યુ થઈ જતા પરિવાર વેરવિખર થઈ જાય છે. અવારનવાર પરિવારમાં બનતી ચોકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના ભોજપુર જિલ્લાના બરહારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી.
જેમાં એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. પરિવાર મૌજમપુર ગામમાં રહે છે અને પરિવારમાં પતિ-પત્ની અને તેમના બાળકો રહેતા હતા. પતિનું નામ અમરસિંહ છે અને તેમની પત્નીનું નામ રૂપાદેવી હતું. અમરસિંહ ની ઉંમર 40 વર્ષની છે તેઓ મૌજમપુર ગામના વોર્ડ નંબર 9 માં રહેતા હતા. અમરસિંહ હોમગાર્ડ જવાન છે.
અને હાલમાં તેઓ સહર પોલીસ સ્ટેશનમાં નોકરી કરે છે. અમરસિંહ ની પત્ની રૂપાદેવી તેમના બાળકોને સાચવીને ઘર ચલાવતી રૂપાદેવી તેમના બાળકોને ખૂબ જ સારી રીતે સાચવતી હતી. તેમને બે દીકરા અને બે દીકરીઓ છે, જેમાં દીકરાનું નામ અમિતકુમાર અને ઋતુરાજકુમાર છે અને તેમની બંને દીકરીઓના નામ અમૃતા કુમારી અને છવી કુમારી છે.
પરિવારમાં દરેક લોકો ખૂબ જ ખુશીથી રહેતા હતા. બાળકો નાના હતા. જેના કારણે તેઓ શાળાએ અને ટ્યુશનને જતા એક દિવસ બાળકો ટ્યુશનને ગયા હતા અને અમરસિંહ પોતાની ફરજ પર ગયો ગયા હતા. રાતનો સમય થઈ જતા રૂપાદેવી રસોઈ કરવા લાગી હતી અને તેના ઘરમાં કોઈ ન હતું. રૂપાદેવી એકલી હતી.
તે પોતાના ગેસના ચૂલા પર ભોજન બનાવી રહી હતી. તે સમયે અચાનક જ એવી ઘટના બની કે રૂપાદેવી જે ગેસ પાસે ઉભી રહીને રસોઈ બનાવી રહી હતી. તે ગેસ સિલિન્ડરનો પાઇપ અચાનક ફાટ્યો હતો જેના કારણે અચાનક આગ લાગી ગઈ હતી. આગ લાગી જતા ગેસ સિલિન્ડર વિસ્ફોટ થયો અને ઘરમાં ચારે બાજુ આગ લાગી ગઈ હતી.
રૂપાદેવીએ પોતાને બચાવવાનો ખૂબ જ પ્રયાસ કર્યો પરંતુ આગ સીધી તેના પર લાગી જતા તે દાઝી ગઈ અને તે બૂમા બૂમ કરવા લાગી ઘરમાં આગ લાગી જવાને કારણે પાડોશીના લોકોને આગ લાગ્યાની જાણ થઈ હતી. તેઓ પોતાના ઘરેથી બહાર નીકળ્યા અને રૂપાદેવીને બચાવવાની ખૂબ જ કોશિશ કરી હતી.
પરંતુ રૂપાદેવીને તેઓ બચાવી શક્યા નહીં અને તરત જ અમરસિંહને પોતાની પત્ની સાથે આ ઘટના બની હોવાની પાડોશીના લોકોએ જાણ કરી પાડોશીના લોકોએ તરત જ સ્થાનિક પોલીસને પણ આ ઘટનાની જાણ કરી, જેના કારણે અમરસિંહ ઘરે પહોંચ્યા તે પહેલા જ તેમની પત્ની રૂપાદેવીએ જીવ ગુમાવી દીધો હતો.
અને બાળકો ટ્યુશનને ગયા હતા અને તેઓ પણ પોતાના ઘરે આવ્યા હતા અને તેમની માતાને મૃત હાલતમાં જોઈને બાળકો નિરાશ થઈ ગયા હતા અને આઘાતમાં આવી ગયા હતા. રૂપાદેવી સાથે આવી કરુણ ઘટના બની જતા ગામના લોકો માં શોખનો માહોલ ફેલાઈ ગયો હતો અમરસિંહ આઘાતમાં રડી રહ્યા હતા.
તેમની પત્ની એ નિર્દોષ જીવ ગુમાવ્યો હતો. તેમની સાથે આવી કરુણ ઘટના બની જતા તેમના બાળકોનું તેઓ વિચારી રહ્યા હતા બાળકોએ પોતાની માતાની મમતાને ગુમાવી હતી લોકોમાં ખૂબ જ હાહાકાર મચી ગયો હતો અને અમરસિંહના પરિવારમાં પણ દરેક લોકો ખૂબ જ રડી રહ્યા હતા આજકાલ આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે જેને કારણે પરિવારના લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]