સામાન્ય વ્યક્તિને ક્યારેય માનવામાં પણ ન આવે તેવા અજીબો ગરીબ કિસ્સા બનવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. અત્યારે મધ્યપ્રદેશના સાગર પાસે આવેલા ઘોરાઈ માંથી વધુ એક રહસ્યમય બનાવ સામે આવી ગયો છે. આ ઘટના સામે આવતાની સાથે પોલીસ પણ ચોંકી ઉઠી છે..
આ ઘટના ઓડામલ ગામની છે. આ ગામની અંદર પ્રેમ સિંહ નામનો યુવક તેની 20 વર્ષની પત્ની માયા સાથે રહે છે. પ્રેમ સિંહના લગ્ન આજથી દોઢ વર્ષ પહેલા માયા સાથે થયા હતા. એક દિવસ તેઓએ સાંજના સમયે પોતાને ઘરે પાણીપુરી બનાવી હતી. માયાને પાણીપુરી ખૂબ જ વધારે પસંદ હોવાને કારણે તે વારંવાર પાણીપુરી બનાવતી હતી..
ભરપેટ પાણીપુરી ખાધા બાદ સાંજના સમયે તેઓ સૂઈ ગયા હતા. જ્યારે અડધી રાત્રે પ્રેમ સિંહને તરસ લાગતા તે પાણી પીવા માટે જાગ્યો ત્યારે તેણે જોયું તો તેની બાજુમાં સૂતેલી તેની પત્ની તરફડીયા મારતી હતી. આ દ્રશ્યને જોતાની સાથે જ તે સમજી ગયો કે, તેની પત્નીની તબિયત બગડવા લાગી છે..
તેને તરત જ તેની પત્નીને પૂછવાની કોશિશ કરી હતી કે, તે શા માટે તરફડિયા લગાવી રહી છે..? તેમજ તેને શું તકલીફ પડી રહી છે..? પરંતુ તેની પત્ની મોઢામાંથી એક પણ શબ્દ બોલે એ પહેલા તો તેની હાલત એટલી બધી બગડવા લાગી કે તેને હોસ્પિટલ દાખલ કરવાની ફરજ આવી પડી હતી. પ્રેમ સિંહ તરત જ રસોડામાં જઈને પાણીનો એક ગ્લાસ લઈ આવ્યો હતો..
અને પોતાની પત્નીને પાણી પીવડાવવાની કોશિશ કરી હતી, પરંતુ માયાએ થોડું ઘણું પાણી પીધું અને ત્યારબાદ ફરી પાછી સુઈ ગઈ હતી. પ્રેમ સિંહ આસપાસના પડોશીઓને પોતાની ઘરે બોલાવી લાવ્યો અને જણાવ્યું કે, માયાની તબિયત અચાનક જ બગડી ગઈ છે. અને તેને તરત જ હોસ્પિટલ લઈ જવી પડશે..
પડોશીઓએ ભાડાની રીક્ષા બાંધીને માયાને હોસ્પિટલ લઈ જવા માટેની કામગીરી પણ શરૂ કરી દીધી હતી. સવારમાં વહેલા તેઓ હોસ્પિટલ પહોંચી ગયા, પરંતુ ત્યાં ડોક્ટરએ તપાસ કરીને માયાને મૃત જાહેર કરી દીધી હતી. આ માઠા સમાચાર સુધી પહોંચતા પ્રેમ સિંહ ના હોશ છૂટી ગયા હતા..
તેણે માયાના માતા પિતા સહિત અન્ય સગા સંબંધીઓને પણ જાણકારી આપી દીધી હતી કે, માયાનું ખૂબ જ રહસ્યમય રીતે મૃત્યુ થયું છે. હોસ્પિટલમાં રહેલા ડોક્ટરે પોસ્ટમોર્ટમ કરવા માટે જણાવ્યું હતું. કારણ કે માયાનુ મૃત્યુ કયા કારણોસર થયું છે, તે જાણવું ખૂબ જ જરૂરી છે. ઘટનાને લઈને નજીકના પોલીસ સ્ટેશનમાં પણ જાણકારી આપી દેવામાં આવી હતી કે, 20 વર્ષની એક મહિલાનું ખૂબ જ રહસ્યમય રીતે મૃત્યુ થયું છે..
હાલ તેના પોસ્ટમોટમ રિપોર્ટની કામગીરી ચાલુ રહી છે. આ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે, માયાનું મૃત્યુ કયા કારણોસર થયું છે. માયાના પિતા મુન્નાલાલભાઈનું કહેવું છે કે, માયા તેમની ખૂબ જ લાડકી દીકરી હતી. તે વધારે ભણેલી ન હતી. પરંતુ પારિવારિક અને વ્યવહારીક સમજણ શક્તિ તેનામાં ખૂબ જ વધારે હતી..
હજી બે દિવસ પહેલા જ તેની સાથે ફોન ઉપર વાત થઈ હતી, ત્યારે તેણે સુખ દુઃખની ઘણી બધી વાતો કહી હતી. પરંતુ બે દિવસની અંદર તેનું મૃત્યુ થઈ જતા તેના માતા પિતા પણ ખૂબ જ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. પ્રેમ સિંહ અને પ્રેમ સિંહના માં-બાપ માથે અત્યારે મોટી આફત આવી પડી છે. ભગવાન આ આફત સહન કરવાની તેમને શક્તિ આપે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]