સોનાના ભાવ વિશ્વના બજારને ધ્યાનમાં રાખીને વધે છે. તેમજ વૈશ્વિક બજારમાં ચાલતી હલચલોના કારણે ઘટે છે. સોનાના ભાવમાં આધાર સંપૂર્ણ રીતે પેટ્રોલ-ડીઝલના ભાવના આધાર તેમજ વૈશ્વિક દુનિયામાં મચતી હલચલો ઉપર આધાર રાખે છે. રશિયા અને યુક્રેનના યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ રોજ વધી રહ્યો હતો…
પરંતુ જેમ-જેમ યુદ્ધની સ્થિતિ નરમ થતી જાય છે. તેમ-તેમ સોનાનો ભાવ ફરી પાછો ઘટવા લાગ્યો છે. છેલ્લા છ દિવસથી સોનાના ભાવમાં સતત ઘટાડો નોંધાતાની સાથે સોનામાં રોકાણ કરનાર લોકોને રાહતનો શ્વાસ લીધો છે. તેમજ સોની માર્કેટમાં જોવા મળતી મંદી હવે ધીમે ધીમે સુધરવા લાગી છે અને તેજીનો દોર શરૂ થવા જઇ રહ્યો છે..
એક અઠવાડિયા પહેલા સોનાનો ભાવ 57000 ને પાર પહોંચી ગયો હતો. પરંતુ છેલ્લા ચાર દિવસથી ભાવમાં રોજ થોડો ઘટાડો થવાને કારણે હાલ 24 કેરેટ સોનાનો ભાવ 52 હજાર રૂપિયા તેમજ 22 કેરેટ સોનાનો ભાવ આશરે ૪૮ હજાર આસપાસ નોંધાયો છે.
24 કેરેટ સોના માં ૯૯.૯૯ ટકા સોનું શુદ્ધ આવે છે. જ્યારે 22 કેરેટ સોનામાં ૯૧ ટકા સોનું શુદ્ધ આવે છે. અને અન્ય ૯ ટકા માં તાંબુ,ઝીંક અને ચાંદી જેવા ધાતુઓનું મિશ્રણ આવે છે. 22 કેરેટ સોનું 24 કેરેટ સોનું કરતાં વધારે મજબૂત હોય છે કારણ કે તેની અંદર મિશ્રધાતુની અશુદ્ધિ રહેલી છે..
24 કેરેટ સોનુ એકદમ શુદ્ધ છે. પરંતુ તેમાંથી ઘણા બનાવી શકાતા નથી. કારણ કે તે 22 કેરેટ સોના જેટલું મજબૂત હોતું નથી. એટલા માટે મોટાભાગના દુકાનદારો 22 કેરેટ સોનુ વેચે છે. હાલ ગુજરાતના મોટા મોટા સોની બજારમાં લોકો ખરીદી માટે ઉમટી પડ્યા છે. કારણ કે સતત છ દિવસથી ભાવમાં ઘટાડો થવાને કારણે જરૂરિયાત મુજબ લોકો સોનું ખરીદવા માટે પહોંચ્યા છે..
જ્યારે ભાવ ૫૭ હજાર તેમજ 55 હજાર રૂપિયા નોંધાયો હતો. ત્યારે માર્કેટમાં મંદી ની લહેર છવાઈ ગઈ હતી. પરંતુ ભાવમાં ઘટાડો નોંધાતા ફરી એકવાર તેરી આવશે તેવું જણાઈ રહ્યું છે. તો બીજી બાજુ ચાંદી ની વાત કરીએ તો ચાંદીના ભાવ પ્રતિ કિલોએ 70,200 રૂપિયા નોંધાયા છે.
ચાંદીના ભાવમાં પણ છેલ્લા એક અઠવાડિયાથી નોંધપાત્ર ઘટાડો થતાં ચાંદીના શોરૂમમાં લોકોની ભીડ ઉમટી પડી છે. ચાંદીની ખરીદીમાં પણ સોના કરતા વધારે ઉછાળો આવ્યો છે. ચાંદીના ભાવ થોડા દિવસ વધે છે તો થોડા દિવસથી ઘટે છે. પરતું સરેરાશ ભાવ ઘટતા લોકો ખરીદી કરી રહ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]