Breaking News

સમાજમા બદનામીના ડરથી પતિએ તેની પત્ની અને બાળકીને ઉતારી દીધા મોતને ઘાટ, પોલીસે પુછતાછ શરુ કરી તો ઉડી ગયા હોશ..!

ઉત્તર પ્રદેશ રાજ્યના ગાજીયાબાદ જિલ્લામાં એક સૌ કોઈના રૂંવાડા બેઠા કરી દે એવી ઘટના સામે આવી છે. ગાઝિયાબાદના નંદીગ્રામ ખાતે આવેલા સાદિક નગર ગામમાં એક વ્યક્તિ પોતાની પત્ની અને બાળકીનો જીવ લઈ લીધો છે. આ બાબતની જાણ ગામના લોકોને થતા સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

ઉત્તર પ્રદેશ રાજ્યના ગાજીયાબાદ જિલ્લામાં નંદીગ્રામ ખાતે આવેલા સાદિક નગર ગામમાં સંજય પાલ તેની પત્ની રહે છે. તેમની સાથે તેની 15 વર્ષીય પુત્રી તાશુ અને 17 વર્ષીય પુત્ર કુણાલ રહે છે. સંજય પાલ ગાજીયાબાદ શહેરમાં એ રીક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાત ચલાવે છે.

પરંતુ છેલ્લા ઘણા દિવસોથી ગામના કેટલાક લોકો સંજય પાલ ની પત્ની વિશે ખરાબ અફવાઓ ફેલાવી રહ્યા હતાં. આ વાતને સાચી માનીને સંજય પાલ વારંવાર પોતાની પત્નીને ધમકાવતો તેમજ તેની સાથે મારામારી કરતો હતો. આ વાત એટલી હદે આગળ વધી ગઈ કે ગઈકાલે સંજય પાલ એ ઘરે કોઈ હાજર ન હતું, ત્યારે પાવડા વડે પોતાની પત્નીની હત્યા કરી નાખી હતી.

આ બાબતની જાણ તેની પુત્રી તાશુ ને થઈ ગઇ હોવાના કારણે સંજયએ તેને પણ મોત ને ઘાટ ઉતારી દીધી હતી. આ તમામ ઘટના અંગે ગામના લોકોને જાણ થતા તેણે તરત જ નંદીગ્રામ ના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આ બાબતની ફરિયાદ નોંધાવી હતી પોલીસ દ્વારા સંજય પાલની ધરપકડ કરવામાં આવી હતી તેમજ તેની કડક પૂછપરછ શરૂ કરાઈ હતી.

પોલીસને આ પૂછપરછ દરમ્યાન સામે આવ્યું કે સંજય પાલને લાગતું હતું કે તેની પત્ની અનૈતિક કાર્યોમાં જોડાયેલી છે. જેથી તેણે આ ગંભીર પગલું ઉઠાવ્યું હતું. સંજયભાઈ ના કહેવા પ્રમાણે અત્યાર સમયે તેનો પુત્ર કુણાલ પણ ઘરે જતો આ સમયે તે નીચેના માળે રહેલી રૂમમાં સૂતો હતો. જેથી તેને આ ઘટના અંગે કોઈ પણ જાણ ન હતી.

પોલીસ દ્વારા સંજય પાલ વિરોધ ગુનો નોંધીને તેને જેલમાં ધકેલી દીધો છે તેમજ તેના વિરુદ્ધ આગળની કાર્યવાહી શરૂ કરાય છે. આ સમગ્ર ઘટનામાં સંજય પાલ દ્વારા કહેવામાં આવ્યું છે કે તેને પોતાની દ્વારા કરાયેલી આ બંને હત્યાનો કોઈ પણ અફસોસ નથી. પોતાની માતાને બહેનની હત્યાના કારણે કુણાલ શોકમાં ડૂબી ગયો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *