ઘણીવાર આપણી આસપાસ એવા બનાવો બની રહ્યા છે, જે જોતા જ દરેક લોકો ચોંકી જાય છે, અવારનવાર મારામારી, ઝઘડા, ચોરી, લૂંટફાટને લઈને થતા બનાવો વધારે જોવા મળે છે. આજકાલ લોકો પોતાના ઈમાનદારી થી ધંધો કરવાને બદલે બીજા લોકોની સંપત્તિને લુટીને પોતાના પૈસા બનાવી રહ્યા છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી.
આજકાલ લગ્ન પ્રસંગ ખુબ ચાલી રહયા છે, જેમાં દરેક લોકો પોતાના સગા સંબંધીઓને ત્યાં લગ્ન પ્રસંગે ગયા હોય છે અને તેમની સાથે જ આવી ઘટના બની રહી છે, આ ઘટના બાસવાડા ના આનંદપુરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. આનંદપુરી વિસ્તારમાં આવેલા છજા ટાઉનમાં એક પરિવાર રહેતું હતું, પરિવારમાં પતિ પત્ની અને તેમના બાળકો રહેતા હતા.
તેઓ ખૂબ જ રાજી ખુશીથી રહેતા જેમાં પરિવારના યુવકનું નામ મહેશભાઈ સુખલાલ કલાલ હતું. મહેશભાઈને તેમના સાસરિયાંઓમાં તેમના સગા સાળાના લગ્ન થવાને કારણે તેઓ પોતાના પરિવાર સાથે ગોપીનાથ મહેલમાં ગયા હતા અને તેમના ઘરને કરીને ગયા અને ઘરમાં ખુશીનો માહોલ હતો, દરેક લોકો ઘરના લગ્ન હોવાને કારણે તેઓ ખૂબ જ ખુશ હતા.
મહેશભાઈ પોતાના ઘરને બંધ કરીને બે દિવસથી તેમના સાસરીયે પરિવાર સાથે ગયા હતા ત્યારબાદ એક દિવસ સવારના સમયે પાડોશીઓએ મહેશભાઈ ને ફોન કરીને એવી વાત જણાવી કે મહેશભાઈ તરત જ પોતાના ઘરે હાફળા-ફાફળા થઈને પહોંચ્યા ત્યારે મહેશભાઈ ને પાડોશીના લોકોએ જણાવ્યું હતું કે,..
તેમના ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો છે જેના કારણે ઘરમાં કશું થયું હોવાની લોકોને શંકા હતી, જેના કારણે મહેશભાઈ ને ઘરે બોલાવવામાં આવ્યા હતા. મહેશભાઈ આવીને જોયું તો તેમના ઘરનો દરવાજો ખુલ્લો જોઈને તેઓ આઘાતમાં આવી ગયા હતા. મહેશભાઈની પત્ની ઘરમાં અંદર પ્રવેશી ત્યારે તેમણે જોયું તો ઘરનો બધો સામાન જેમતેમ પડેલો હતો.
અને કબાટના તેમજ દુકાનના તાળા ટુટેલા હતા ઘરની બાજુમાં દુકાન બનાવવામાં આવી હતી જેના તાળા તોડી નાખ્યા હતા એક સાથે 5 તાળા તૂટેલા જોઈને તેવો આઘાતમાં આવી ગયા તેમણે કબાટમાં જોયું તો દરેક રોકડ દાગીના ગાયબ થયેલા હતા, જેના કારણે તેઓને ઘરમાં લુટેરાઓએ લુટ કર્યાની જાણ થઈ હતી.
તરત જ આનંદપુરી પોલીસને આ ઘટનાની જાણ મહેશભાઈ કરી હતી જેના કારણે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે પૂછપરછ મહેશભાઈને કરતા મહેશભાઈ જણાવ્યું કે તેમના કબાટમાંથી બે તોલાનું સોનાનું મંગલસૂત્ર જેની કિંમત એક લાખ રૂપિયા જેટલી હતી. અડધો તોલા વજનની સોનાની ચેન ની કિંમત 25,000 આસપાસ હતી.
20,000 ના સિક્કાની ચોરી કરી હતી અને રોકડ પૈસા હતા અને દુકાનના સામાનની વાત કરવામાં આવે તો તેઓએ બીજી કોઈ અન્ય વસ્તુની ચોરી ન કરતા લુટેરાઓએ વિમલ અને તાનસેનના પાંચ પાંચ પેકેટની ચોરી કરી હતી. આ ઘરમાં ચોરી થયાની જાણ થતા જ પરિવાર આઘાતમાં આવી ગયું હતું.
તેઓના ઘરેથી 1.5 લાખના દાગીનાની અને બે લાખના રોકડ પૈસાની ચોરી થઈ હોવાને કારણે મહેશભાઈ લૂંટાઈ ગયા હતા અને તેઓમાંથી હાથ મૂકીને રડવા લાગ્યા હતા. પોલીસ લૂટેરાઓની તપાસ કરી રહી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]