ઘણા બધા વિસ્તારોમાં આજની યુવાન પેઢીના યુવક યુવતીઓ નાની-નાની વાતમાં કંટાળીને પોતાના જીવ ગુમાવી રહ્યા છે. પોતાની મુશ્કેલીઓ પરિવારના લોકોને જણાવ્યા વગર માનસીક ત્રાસથી કંટાળીને પોતાના જીવ ગુમાવી રહ્યા છે. આવી જ એક આપઘાતની ગંભીર ઘટના હાલમાં સામે આવી હતી.
આ ઘટના ઉત્તરાખંડમાં ઉધમ સિંહનગરમાં રહેતા પરિવારની યુવતી સાથે બન્યો હતો. બિંદુખાતાના વીઆઈપી ગેટ ખાડા નાળા પાસે આવેલા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડની બાજુની ગલીમાં યુવતી પરિવાર સાથે રહેતી હતી. પરિવારમાં દાદી અને તેના જીજા રહે છે. દાદીનું નામ રેણુ અને જીજાનું નામ સંજુ શર્મા છે. યુવતીનું નામ પ્રિયા શ્યામસિંહ હતું.
પ્રિયાની ઉંમર 19 વર્ષની હતી. પ્રિયાના પિતાનું ત્રણ મહિના પહેલા જ અવસાન થઈ ગયું હતું. જેના કારણે પ્રિયા તેની દાદી અને જીજાજી સાથે રહેતી હતી. પ્રિયાના બે મહિના પછી તેમની નજીકની કોલોનીમાં જ રહેતા યુવક સાથે લગ્ન થવાના હતા. આ યુવકનું નામ રિતેશ છે. રિતેશ અને પ્રિયાની સગાઈ ઘણા સમય પહેલા પરિવારના લોકોએ કરાવી દીધી હતી.
જેના કારણે પ્રિયાના લગ્ન બે મહિના બાદ જ હતા. પ્રિયાની દાદી પ્રિયાના લગ્નને લઈને ખૂબ જ ખુશ હતી. પરંતુ પ્રિયા કોઈ વાતને લઈને ખૂબ જ કંટાળેલી હતી. પ્રિયા તેના પિતાના અવસાન બાદ આઘાતમાં રહેતી હતી. જેના કારણે એક દિવસ દાદી બજારમાં ગયા હતા અને તેમના જીજા કામ પર ગયા હતા. ત્યારે પ્રિયા ઘરે એકલી જ હતી.
એકલા ઘરમાં તેને મગજમાં ખૂબ જ વિચાર આવી રહ્યા હતા અને તે શું કરી રહી છે. તે તેને ખબર ન હતી. જેના કારણે પ્રિયાએ ઘરના દરવાજા બંધ કરીને લટકીને પોતાનો જીવ ગુમાવી દીધો હતો. ત્યારબાદ પ્રિયાના પરિવારના લોકો દાદી અને જીજા ઘરે આવતા તેમણે દરવાજો ખડખડાવ્યો હતો પરંતુ પ્રિયાએ દરવાજો ખોલ્યો નહીં.
જેના કારણે આસપાસના લોકોએ ભેગા મળીને દરવાજાને તોડી નાખ્યો હતો અને અંદર જતા જોયું તો પ્રિયા લટકતી હાલતમાં જોવા મળી હતી. આ જોઈને દાદી ચીસ પાડીને ત્યાંને ત્યાં જ બેસી ગયા અને પ્રિયાએ આપઘાત કરીને પોતાનો જીવ ગુમાવી દીધાને કારણે પ્રિયાના મંગેતર રિતેશને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.
રિતેશ પણ તરત જ ઘટના સ્થળે દોડી આવ્યો અને પ્રિયાને આ હાલતમાં જોઈને તે પણ આઘાતમાં આવી ગયો ત્યારબાદ પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ તપાસને હાથ ધરી હતી. પ્રિયાના આપઘાતની વાત સાંભળીને આસપાસના વિસ્તારોમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી.
પોલીસ પ્રિયાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હળવદ મોકલી દેવામાં આવ્યો હતો. પ્રિયાએ આ પગલું શા માટે ભર્યું તેમની તપાસ પોલીસ કરી રહી હતી. આજકાલ લોકો નાની નાની વાતમાં કંટાળીને પોતાના જીવ ગુમાવી રહ્યા છે અને તેમના પરિવારના લોકોને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]