ક્યારે ઘરના સભ્યો દુશ્મન બની જાય તે કહી શકાતું નથી. સમાજમાં આજકાલ આવી ઘણી બધી ઘટનાઓ જોવા મળી રહી છે. જેમાં લોકો પોતાના જ પરિવારના સભ્યો સાથે મારામારી અને ઝઘડાઓ કરીને તેમના જીવ લઈ રહ્યા હોય છે. જેમાં પરિવારના પિતા-પુત્ર, પતિ-પત્ની અને માતા-પુત્રના ઝઘડાઓ ઘણા જોયા છે પરંતુ આ એક ઘટના એવી બની હતી.
કે જેમાં બે દીકરાઓએ પોતાના પિતા સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું હતું. આજકાલ લોકોને દારૂની ખૂબ જ ખોટી લત લાગી છે. રાજ્યમાં દારૂબંધી હોવા છતાં લોકો દારૂ પીને પોતાના પરિવારને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે. દારૂ પીને નશો થવાને કારણે તેઓ પોતાના પરિવાર સાથે શું કરી રહ્યા છે? તેનું તેને ભાન રહેતું નથી.
દારૂ પીને પોતાના પરિવારને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે. પોતાના શરીરને પણ જોખમમાં મૂકી રહ્યા છે. સામાજિક અને શારીરિક રીતે પોતાના પરિવારથી દૂર થઈ રહ્યા છે. આવી જ એક ઘટના હાલના સામે આવી હતી. આ ઘટના પોરબંદર જિલ્લામાં બની હતી. પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાં રહેતા પરિવાર સાથે આ ઘટના બની હતી.
રાણાવાવ તાલુકાના ઝરડી સીમ વિસ્તારમાં આ ઘટના બની હતી. એક પરિવાર ખૂબ જ ખુશીથી રહેતું હતું. પરિવારમાં માતા-પિતા અને તેમના બે પુત્રો રહેતા હતા. પિતાનું નામ લખમણભાઇ બાપોદરા હતું. લખમણભાઇની ઉમર 45 વર્ષની હતી. લખમણભાઇના પિતાનું નામ દુધાભાઈ બાપોદરા હતું. લખમણભાઇને બે પુત્ર હતા.
બંને પુત્રો ખૂબ જ ખુશીથી તેમના પરિવાર સાથે રહેતા હતા. તેમાંથી એક પુત્રનું નામ વિજય હતું. બીજા પુત્રનું નામ વિરાજ હતું. પરિવારમાં બંને પુત્રો થોડું ઘણું રળીને પરિવારનું ગુજરાન ચલાવવામાં આર્થિક મદદ કરતા હતા. લખમણભાઇને ઘણા સમયથી દારૂ પીવાની ખોટી લાગી હતી. તેઓને દારૂ એક વ્યસન થઈ ગયું હતું.
તેઓ દરરોજ સાંજના સમયે દારૂ પીને ઘરે આવતા હતા. એક દિવસ તેઓ દરરોજની જેમ દારૂ પીને ઘરે આવ્યા હતા. દરરોજની જેમ પરિવાર સાથે ખૂબ જ તેનો ઝઘડો થયો હતો. લખમણભાઇની પત્ની તેમને દારૂ પીવાની ના પાડતા હતા. જેને કારણે લક્ષ્મણભાઈ તેમની પત્ની સાથે ખૂબ જ ઝઘડો કરતા હતા. બંને પુત્રોને આ વાત પસંદ ન હતી.
તેને કારણે એક દિવસ લખમણભાઇ દારૂ પીને ઘરે આવ્યા હતા. તેના પુત્ર સાથે તેનો ઝઘડો થયો હતો. તે સમયે પુત્રોની માતા આ ઝઘડામાં વચ્ચે આવી હતી. લખમણભાઇ તેમની પત્ની પર ગુસ્સો ઉતારીને તેમને મારવા માટે દોડીયા હતા. તે સમયે બંને પુત્રએ તેમના પિતા સાથે જીવ લેણ ઘટના ઘડી દીધી હતી.
બંને ભાઈઓએ મળીને કુહાડી અને કોદાળીના ઘા તેમના પિતાના પીઠના ભાગમાં મારી દીધા હતા. બંને પુત્રો તેના પિતાના આ વર્તનથી ખૂબ જ કંટાળી ગયા હતા. તેને કારણે એક આ દિવસે પુત્રોએ કંટાળીને પિતા સાથે હ.ત્યાની ઘટના કરી નાખી હતી. તેમની પિતાની હ.ત્યા કર્યા બાદ પિતાની લાશને ઘરની બાજુમાં ખાડો કરીને તેમાં દાટી દીધો હતો.
તેને કારણે લખમણભાઇના પિતા દુદાભાઈને આ ઘટનાની જાણ થતા તેઓએ તરત જ રાણાવાવ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. તેમના પૌત્રની સામે ફરિયાદ નોંધાવી હતી. તેમના દીકરાને તેમના પૌત્રએ મારી નાખ્યો છે તેમ ફરિયાદ નોંધાવી હતી. તેને કારણે પોલીસ ઘટનાએ પહોંચી હતી. બંને પુત્રોની પૂછપરછ કરીને ખાડામાંથી તેમના પિતાનું નામ લાશને બહાર કાઢવામાં આવ્યું હતું.
ત્યારબાદ તેમના પિતાની લાશને પીએમ માટે જામનગર મોકલવામાં આવ્યો હતો. તેમની માતાને બચાવવા માટે બંને દીકરાઓએ પોતાના પિતાનું ઢીમ ઢાળી દીધું હતું. આજકાલ આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે. દિવસને દિવસે આવી ઘટનાઓ ઘટવાને બદલે વધી રહી છે. જેને કારણે પરિવારના સભ્યોનો ક્યારેય મૃત્યુ થઈ જાય તે કહી શકાતું નથી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]