માતા પિતાએ શીખવેલી બાબતો ઉપર અમલ કરવામાં આવે તો માણસ ક્યારેય પણ મુશ્કેલીની અંદર મુકાતો હોતો નથી, પરંતુ માતા-પિતાની સલાહને મગજમાં રાખ્યા વગર જ ગમે તેમ જીવન જીવવામાં આવે તો માણસ એક ને એક દિવસ જરૂર પછતાઈ જતો હોય છે, અત્યારે બે સગા ભાઈઓએ એવા કારનામાં કરવાના શરૂ કરી નાખ્યા હતા કે, તેના બાપદાદા એ ભેગી કરેલી તમામ સંપત્તિઓ જતી રહી હતી..
કરોડો રૂપિયાની સંપત્તિ ધોવાઈ જવાને કારણે પરિવાર એટલો બધો કંગાળ થયો કે, મા-બાપને ભીખ માંગવાનો વારો આવી ગયો હતો, આ ચોંકાવનારી ઘટના વિશે સાંભળીને તમે પણ કહેવા લાગશો કે આ જીવનની અંદર ગમે તેટલા રૂપિયા હોય પરંતુ જો વ્યક્તિમાં સંસ્કાર ન હોય તો અબજો રૂપિયાની સંપત્તિ પણ ગણતરીના સમયની અંદર જતી રહેતી હોય છે..
પુરુષોત્તમદાસ ભાઈ નામના વ્યક્તિ ખૂબ જ મોટો વ્યવસાય ધરાવતા હતા, તેઓને જુદા-જુદા કુલ પાંચથી સાત બિઝનેસ ચાલતા હતા, અને તમામ બિઝનેસ માંથી તેઓ કરોડો રૂપિયાની આવક ધરાવતા હતા. જ્યારે તેમની ઉંમર 55 વર્ષની થઈ ગઈ ત્યારબાદ તેઓએ તેમનો તમામ વ્યવસાય તેમના બંને દીકરાઓને શીખવીને આ વ્યવસાયને સારી રીતે પ્રગતિ કરવાનું જણાવ્યું હતું..
તેમનો મોટો દીકરો શિવમ અને નાનો દીકરો સંજય આ બંને દીકરાઓને થોડી થોડી જવાબદારીઓ પુરુષોત્તમદાસ દાદાએ સોંપી દીધી હતી, પુરુષોત્તમભાઈને એવી તો શી ખબર કે તેમના બંને દીકરા આ વ્યવસાય ને સંભાળી શકે તેટલી તાકાત ધરાવતા નથી અને એક ને એક દિવસ જરૂર તેઓ ખૂબ જ મોટી નુકસાનીઓ કરવાના છે..
હકીકતમાં આ બંને દીકરાઓનો ઉછેર ખૂબ જ સારા પરિવારમાં થયો હતો અને ક્યારે પણ કોઈ ચીજ વસ્તુઓની કચાશો બાકી રહી હતી નહીં, ત્યારે તેમના ઉપર કોઈ પ્રેશર પણ હતું નહીં, એટલા માટે તેઓ હંમેશા પોતાના મનની મોજ શોખો કરવા લાગ્યા હતા અને પોતાના પિતાએ આપેલા વ્યવસાયને સંભાળવાને બદલે તેઓ ઘોડાની રેસ, કસીનો અને પોકર જેવી રમતોમાં અઢળક રૂપિયા લગાડવા લાગ્યા હતા..
ધીમે ધીમે તેઓને સટ્ટાબાજીનો શોખ જાગવા ઉઠ્યો અને તેઓ દિન પ્રતિદિન એટલી બધી નુકસાનીઓ કરવા લાગ્યા હતા કે, તેના પિતાએ વ્યવસાય કરીને ભેગી કરેલી કરોડો રૂપિયાની સંપત્તિ માત્ર છ મહિનાની અંદર આ બંને ભાઈઓએ ભેગા મળીને સાફ કરી નાખી હતી, એક પછી એક તમામ બિઝનેસને તેઓએ વેચી નાખ્યા હતા..
અને જેટલા રૂપિયા મળ્યા તેનાથી તેઓ સત્તાબાજી ની અંદર રૂપિયા લગાવી દેતા હતા, પરંતુ કમ નસીબે તેમનું એક પણ વાર જીત થઈ નહીં અને વારંવાર તેઓ રૂપિયાને પરત મેળવવાની લાલચમાં વધુને વધુ રૂપિયા તેમાં નાખતા ગયા હતા અને એક જ સમયે તમામ સંપત્તિઓ વેંચાઈ ચૂકી હતી અને પરિવાર સાવ બરબાદ થઈ જવા પામ્યો હતો..
જ્યારે તેમની તમામ ક્ષમતાઓ પૂરી થઈ ગઈ ત્યારબાદ તેઓ વ્યાજે રૂપિયા લઈને આ કારનામાની અંદર રૂપિયા લગાવતા હતા, તેઓ જ્યાંથી વ્યાજે રૂપિયા લઇ આવતા હતા, તે વ્યક્તિ જ્યારે પૈસાની ઉઘરાણી કરવા માટે તેમના ઘર સુધી આવી પહોંચે ત્યારે પુરુષોત્તમભાઈને ખબર પડી કે તેમના બંને દીકરાએ તેમના કરોડો રૂપિયાની સંપત્તિને સાફ કરી નાખી છે..
અને અત્યારે તેઓને ભીખ માંગવાનો આવી ગયો હતો, પુરુષોત્તમ દાદાએ ક્યારેય પણ તેમના દીકરાઓને સારી બાબતો શીખવી હતી નહીં, હંમેશા તેઓ તેમના વ્યવસાયની અંદર વ્યસ્ત રહેતા હતા કદાચ તેઓ તેમના દીકરાઓને ધંધાની અંદર કેવી રીતે પ્રગતિ કરવી તેમજ કેવી રીતે નીતિ નિયમોનું પાલન કરી શકાય તે શીખવ્યું હોત તો આજે તેમનો રડવાનો વારો આવ્યો હોત નહીં..
સંજય અને શિવમ નામની આ બંને તેના માતા-પિતાને ભીખ માંગતા કરી નાખ્યા હતા, તેઓ જે બંગલાની અંદર રહેતા હતા, એ બંગલો પણ વેચાઈ ચૂક્યો હતો. આ ઉપરાંત આ બંને ભાઈઓની પત્ની તેમનું સાસરિયું મૂકીને તેમના પિયરે રહેવા માટે જતી રહી હતી, નવાબી શોખો ધરાવતા આ બંને દીકરાઓએ તેમના પિતાના તમામ માન સન્માનને ગુમાવી દીધો હતી..
અને તમામ સંપત્તિ પણ જતી રહેતા હવે આ બંને મહિલાઓ તેમના સાસરે રહેવા માટે તૈયાર હતી નહીં, તેવો પોતપોતાના પિયર રહેવા માટે જતી રહી હતી. કહેવાય છે કે ઘર તેમજ પરિવારને કેવી રીતે ચલાવવો તેની સારી સમજણ આવી ખૂબ જ જરૂરી છે, કદાચ વ્યક્તિ કરોડો પતિ પણ હોય પરંતુ તેમનામાં જો સારી સમજણ ન હોય તો તેમનાથી પરિવાર અને જીવન ગુજરાન સારી રીતે ચાલી શકતું નથી..
હાલ આ ઘટનાને આપણે નજીકના તમામ લોકો સુધી પહોંચાડવી જોઈએ અને ઘટના ઉપરથી શીખ લઈને ક્યારેય પણ અવળા રવાડે ચડી જવું જોઈએ નહીં, આ ઘટનાએ દરેક લોકોને ખુબ જ ચોંકાવી દીધા છે જ્યારે ઘણી બધી શીખ પણ આપી છે કે આવનારો સમય વિકટ સાબિત થઈ શકે છે એટલા માટે પહેલે થી તૈયાર રેહવું જોઈએ..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]