અત્યારે એક એવી ઘટના સામે આવી છે કે, જેને સાંભળીને ઘણા બધા સમાજના મોભીઓ મિટિંગ કરીને ચર્ચા વિચારણા કરવા લાગ્યા છે. કારણ કે આવનારા સમયમાં તેમના સમાજમાં પણ આવી ઘટનાઓ બની શકે છે. એટલા માટે લોકોને કેવી રીતે જાગૃત કરવા આ સાથે સાથે કેવી રીતે આ પ્રકારના બનાવોને અટકાવવા આ અંગે સૌ કોઈ લોકો વિચાર કરવા લાગ્યા હતા..
આ ચોંકાવનારો બનાવો ઔરંગાબાદના વિજાપુર પાસે આવેલા ગોઈ ગામમાંથી સામે આવ્યો છે. આ ગામની અંદર એવી ઘટના બની છે કે, જેને જોનારા સૌ કોઈ લોકો ના ડોળા ફાટીને ફટાકડો થઈ ગયા હતા. તો કેટલાક લોકો તો આ દ્રશ્યને જોઈ શક્યા નથી અને તેમની રાતની ઊંઘ પણ છીનવાઈ ગઈ છે. આ ગામડામાં સંકેત નામનો યુવક તેની 19 વર્ષની જુવાનજોધ બહેન કીર્તિ અને તેની માતા શોભા સાથે રહેતો હતો.
19 વર્ષની કીર્તિ કોલેજમાં અભ્યાસ કરતી હતી. તેની સાથે સાથે તેમના જ ગામમાં રહેતો અવિનાશ નામનો યુવક પણ તેની કોલેજમાં અભ્યાસ કરતો હતો. અવિનાશ આ ગામથી માત્ર ત્રણ કિલોમીટર દૂર આવેલા એક ફાર્મ હાઉસ ઉપર જીવન ગુજારતો હતો. કીર્તિ અને અવિનાશ બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા અને કોલેજના સમય દરમિયાન એક બીજા વ્યક્તિ બંને ખૂબ જ પ્રેમ કરી બેઠા હતા..
તેમના આ પ્રેમ સંબંધને તેઓએ અસલ જીવનમાં અપનાવવા માટે પોતાના ઘરે મા બાપને વાતચીત કરી હતી. પરંતુ કીર્તિના ભાઈ સંકેત અને કીર્તિની માતા શોભાએ આ સંબંધની ચોખ્ખી ના પાડી દીધી હતી. પરંતુ કીર્તિ અવિનાશને એટલો બધો પ્રેમ કરી બેઠી હતી કે, તેની સાથે જ લગ્ન કરવાની જીદે ચડી ગઈ હતી..
અને એક દિવસ પરિવારની મરજી વિરુદ્ધ જોઈ કીર્તિ અવિનાશ સાથે ભાગીને લગ્ન કરી લીધા હતા. એટલું જ નહીં પરંતુ લગ્ન કર્યાના થોડા સમય માટે ગ.ર્ભ.વતી પણ બની ગઈ હતી. અને હવે તે એક બાળકની મા બનવા જઈ રહી હતી. ત્યારે અચાનક જ સંકેત અને શોભા બંને એ ઘરની લાડકી દીકરી કીર્તિને ફોન કરીને જણાવ્યું હતું કે હવે તેઓ તેને અપનાવવા માંગે છે અને તેને મળવા પણ માંગે છે..
કીર્તિ પોતાના ભાઈ અને પોતાના માતાની રાહ જોઈને બેઠી હતી કે, ક્યારે તેઓ તેમના ઘરે આવે.. સંકેત અને શોભા બંને કીર્તિના ઘરે પહોંચી ગયા હતા. ત્યારે કીર્તિ રસોડામાં કોઈક ચીજ વસ્તુ લેવા માટે ગઈ અને બિચારી તેને શું ખબર કે આજે તેનો જીવ જતો રહેવાનો હતો. તે જ્યારે રસોડામાં ગઈ ત્યારે તેની પાછળ પાછળ સંકેત પણ ગયો હતો..
અને ત્યાં પડેલું ચાકુ ઉપાડીને તેણે કીર્તિનું ગળું વાઢી નાખ્યું હતું. એટલું જ નહીં પરંતુ જ્યાં સુધી કીર્તિના શરીરમાંથી જીવનો ગયો ત્યાં સુધી તેને મારતો રહ્યો હતો. પરિણામે કીર્તિના બે ટુકડા કરી નાખ્યા હતા. જેમાં તેનું ગળું ધડથી અલગ કરી નાખ્યું અને આ ગળું હાથમાં પકડીને તે પોતાનો મોબાઈલ પણ કાઢી સેલ્ફી લેવા લાગ્યો હતો..
આ સેલ્ફી તેણે એક ગ્રુપમાં શેર પણ કરી દીધી હતી. આ ઉપરાંત તેને પોતાની બહેનને મોતને ઘાટ ઉતારી દેવાનો સહેજ પણ શરમ અનુભવાય નહીં અને બોલતો રહ્યો કે, તેની બહેને તેઓને ખૂબ મોટું અપમાન સહન કરવાનો વારો અપાવ્યો હતો અને હવે તેણે તેના બેનનો જીવ લઈને આ અપમાનનો બદલો લઈ લીધો છે..
કીર્તિ બધી રીતે સાચી હતી. પરંતુ પરિવારજનોનું કહેવું છે કે, તેણે પરિવારની મરજી વિરુદ્ધ ભાગીને લગ્ન કર્યા અને ત્યારબાદ તે ગ.ર્ભ.વતી બની ગઈ આ ઘટનાને કારણે ગામડામાં સૌ કોઈ લોકો સામે કીર્તિના ભાઈ અને કીર્તિની માતાની ઈજ્જત ચાલી ગઈ હતી. એટલા માટે તેઓએ આ કારનામું કરી નાખ્યું હતું.
જ્યારે આ ઘટના સામે આવી ત્યારે ભલભલા લોકોના રુવાટા એકાએક બેઠા થઈ ગયા હતા અને સૌ કોઈ લોકોને આ ઘટના ઉપર વિચારવા મજબૂર પણ કરી દીધા છે. અત્યારના સમયમાં કેટલાક પરિવાર કે સમાજમાં પ્રેમ લગ્ન કરનાર યુવક યુવતીઓ જો મનમેળ ધરાવતા હોય તેમ જ ફેમિલી બેગ્રાઉન્ડ અને કમાણી તેમજ બંનેના હાવભાવ પણ જો સારા હોય તો તેમના લગ્ન કરાવી દેવામાં આવતા હોય છે..
પરંતુ કેટલાક સમાજમાં પ્રેમ લગ્નની સામે સખત મનાઈ ફરમાવી દેવામાં આવે છે. અને કોઈ કાળે આ પ્રેમ લગ્નને સ્વીકાર કરવામાં આવતા નથી. દરેક સમાજની માન્યતાઓ અને રીતી રિવાજો જુદા-જુદા છે. પરંતુ આ તમામ માન્યતાઓ અને રીતે રિવાજોને બાજુ પર મૂકીને કોઈ વ્યક્તિનો જીવ લઈ લેવો તે યોગ્ય બાબત નથી. અપનાવવા કે ન અપનાવા એ જે તે વ્યક્તિ ઉપર આધાર છે..
પરંતુ પોતાના જ પરિવાર અને પોતાના જ કોઈ સગા સભ્યને આવી રીતે મોત આપી તેમનો જીવ લેવોએ ગુનો છે. આ ઘટના બન્યા બાદ સંકેત તાત્કાલિક પોલીસ સ્ટેશને હાજર થયો હતો અને પોલીસને કહી દીધું કે, તેને તેની બહેનને મોતને ઘાટ ઉતારી દીધી છે. અને આ ઘટનામાં તેની માતા શોભાએ પણ તેને ખૂબ જ સાથ આપ્યો છે.
પોલીસ પણ સંકેતના મોઢે ત્યાં શબ્દો સાંભળીને ચોંકી ગઈ હતી તેને સંકેત પાસેથી વધારે માહિતી મેળવી ઘટના સ્થળની તલાસી પણ શરૂ કરી દીધી હતી. આ ઉપરાંત આસપાસના પડોશીઓના નિવેદનો પણ નોંધવામાં આવ્યા છે. હાલ સંકેત અને શોભા બંનેની ધરપકડ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહીઓ કરવામાં આવી રહી છે.
પરંતુ આ ઘટના બન્યા બાદ દરેક સમાજના લોકોએ વાંચી લેવું જોઈએ અને આવા બનાવો ન બને એટલા માટે પરિવારના લોકોને શું સંદેશો આપી શકાય તેના વિશે ચર્ચા વિચારણા પણ શરૂ કરી દેવી જોઈએ. આ બનાવ ખુબ જ ચોંકાવનારો સાબિત થયો છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે શું એક ભાઈને તેની બહેન ઉપર સહેજ પણ દયા નહી આવી હોઈ કે શું..?
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]