અત્યારના સમયમાં આપણે દરેક વ્યક્તિની ખૂબ જ સારી રીતે ચકાસણી એને પરખ કર્યા પછી તેમના ઉપર વિશ્વાસ મૂક્યો હોવો જોઈએ. આ સમયમાં ક્યારેક કયો વ્યક્તિ આપણી સાથે છેતરપિંડી કરીને જતો રહે તેનું નક્કી રહેતું નથી. લોકો પોતાના શબ્દોની માયાજાળની અંદર ઘણા બધા લોકોને ફસાવે છે..
અને ત્યારબાદ તેમની પાસેથી એટલા બધા રૂપિયા પડાવે છે કે, પરિવાર આર્થિક સંકડામણમાં મુકાઈ જાય છે. અત્યારે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં સાધુનો અભ્યાસ ધારણ કરીને બે યુવકો સાથે છેતરપિંડી કરી રહ્યા હતા. આપણો દેશ માનવતા ભર્યો દેશ છે. તેમજ દરેક લોકો ધાર્મિક લાગણીને ખૂબ જ માન સન્માન અને આદર ભાવ આપે છે..
પરંતુ કેટલાક છેતરપિંડી કરનારા લોકો અત્યારે એવા અપનાવા લાગ્યા છે કે, કોઈ સામાન્ય વ્યક્તિને તેમની આ કાળી કરતુતોની ખબર પડે નહીં એટલા માટે તેઓએ સાધુનો વેશ ધારણ કરી લીધો હતો. મોટાભાગે સાધુ મહાત્માઓને દરેક લોકો ખૂબ જ સારું માન સન્માન અને આદરભાવ આપે છે. તેમના આશીર્વાદ પણ મેળવે છે..
એટલા માટે તેઓ સાધુનો વેશ ધારણ કરી લીધો હોય અને ત્યારબાદ બપોરના સમયે જુદી જુદી સોસાયટીઓમાં જઈને ઘરમાં કામકાજ કરતી એટલી મહિલાઓને પોતાની વાતમાં ફસાવી સોનાના દાન વિશે માહિતી આપતા હતા અને ત્યારબાદ પોતાની વાતની અંદર ફસાવી લઈને સોના ચાંદીના દાગીના ને લૂંટી જઈને ત્યાંથી ફરાર થઈ જતા હતા..
પાછળના ઘણા સમયથી આવી ઘણી બધી ફરિયાદો નોંધાઈ રહી હતી. શુભમ સોસાયટીની અંદર લાલજીભાઈ નામના યુવક તેમના પરિવાર સાથે રહે છે. તેમની પત્ની નમિતાબેન ઘરે એકલી રહીને ઘરકામ કરી રહી હતી. એવામાં બે યુવકો સાધુનો વેશ ધારણ કરીને તેમના ઘર પાસે આવી પહોંચ્યા હતા..
અને જણાવ્યું કે, તમારા ઘરમાં આવનારા સમયની અંદર ખૂબ જ મોટી મુશ્કેલીઓ આવવાની છે. તમારે સોનાનું દાન કરવું પડશે અને આ માટે તમારે તમારી ઘરની અંદર રહેલા સોનાના તમામ દાગીનાને અમારા હાથમાં મૂકવો પડશે અને ત્યારબાદ અમે આ દાગીના માંથી અશુદ્ધિઓ કાઢીને પવિત્ર કરી આપીશું અને તમને પરત આપી દેશું..
પરિણામે તમારું પરિવાર મોટી મુશ્કેલીથી બચી જશે, નમીતાબેન આ બંને અજાણ્યા યુવકોની વાતમાં ફસાઈ ગયા હતા. અને તેઓ તેમના કબાટમાંથી એક સોનાનું મંગળસૂત્ર સોનાની વીંટી સહિતની ચીજ વસ્તુઓ લઈ આવ્યા હતા અને આ બંને યુવકોના હાથમાં પણ મૂકી આપી હતી. ત્યારબાદ આ બંને અજાણ્યા યુવકોએ નમિતાબેનને જણાવ્યું કે, તમારા હાથમાં સોનાના ઘરેણા મુક્યા બાદ..
તમારે માત્ર બે મિનિટ સુધી આંખો બંધ કરીને અમે જે મંત્ર બોલીએ તે મંત્રને બોલવો પડશે, નમિતા બેનને આ બંને યુવકોના કહેવા પ્રમાણે તેમની આંખો પણ બંધ કરી દીધી અને તેમની સાથે સાથે મંત્ર બોલવા લાગ્યા. પરંતુ અચાનક જ્યારે મંત્રનો અવાજ બંધ થઈ ગયો ત્યારે તેણે આંખો ખોલીને જોયું તો આ બંને યુવકો ત્યાંથી ફરાર થઈ ગયા હતા..
આ જોતાની સાથે જ તેઓ સમજી ગયા કે આ બંને યુવકો તેમને છેતરપિંડી કરીને જતા રહ્યા છે. તેઓ તરત તેમના પતિ લાલજીભાઈ ને ફોન કરીને જણાવો કે તેમના ઘરે કોઈ બે યુવકો સાધુનો વેશ ધારણ કરીને આવ્યા હતા અને તેમના ઘરે થી છેતરપિંડી કરીને ઘરેણા લૂંટીને ચાલ્યા ગયા છે..
લાલજીભાઈ પોતાનું કામ ધંધો પડતો મૂકીને તરત જ ઘરે હાજર થઈ અને ત્યાર બાદ તેમની પત્નીને સાથે લઈને નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે પહોંચી ગયા હતા જ્યારે આવી ઘટનાઓ સામે આવે છે. ત્યારે દરેક પરિવાર માટે ખૂબ જ ચેતવણી રૂપ કિસ્સો સાબિત થઈ જાય છે.
આપણા દેશમાં તમામ લોકો જુદા-જુદા ધર્મમાં આશા રાખે છે. અને શ્રદ્ધાથી ભગવાનની પૂજા અને ભક્તિ પણ કરે છે. આ ઉપરાંત સાધુ મહત્વનું ખૂબ જ માનસન્માન અને આદર કરે છે. પરંતુ કેટલાક લોકો હવે સાધુનો વેશ ધારણ કરીને છેતરપિંડી કરવા લાગ્યા છે. જે ખૂબ જ ખોટી બાબત છે આવા છેતરપિંડી કરનાર લોકો અને પકડી પાડવા જોઈએ જેથી કરીને અન્ય વ્યક્તિ સાથે ક્યારેય આવી ઘટનાઓ બને નહીં.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]