આપણા દેશમાં જુદી-જુદી દરેક માન્યતાઓને સ્થાન આપવામાં આવે છે. આ ઉપરાંત આપણા દેશના લોકો એટલા બધા દયાળુ છે કે, તેઓને મોટાભાગના લોકો ઉપર દયા આવી જતી હોય છે. અને તેમની મુશ્કેલીમાં ભાગીદાર બની તેમને આ મુશ્કેલીમાંથી બહાર કાઢવા માટે મદદરૂપ પણ બનતા હોય છે..
પરંતુ અત્યારના સમયમાં કેટલાક લોકો પૈસા કમાવા માટે એવા નુસખાઓ અપનાવી રહ્યા છે કે, જેને જાણીને સામાન્ય લોકોની બુદ્ધિ પણ બહેર મારી ગઈ છે. થોડા દિવસ પહેલા પણ એક મામલો સામે આવ્યો હતો કે, જેમાં બે યુવકો સાધુ મહાત્માનો વેશ ધારણ કરીને લોકો પાસે ભંડારો કરવા માટે પૈસા માંગવા માટે નીકળ્યા હતા.
પરંતુ તેઓની આ કાળી કરતુતો લાંબો સમય સુધી ટકી શકી હતી નહીં અને અત્યારે પણ બિહારના મુજફફરપુરમાં બે યુવકો સાધુ બાવા બનીને જુદી-જુદી જગ્યાએ ફાળો ઉઘરાવવા માટે નીકળી પડ્યા હતા. પરંતુ એક જગ્યાએ તો તેઓએ એવી કાળી કરતુતો કરી છે કે, લોકોએ તેઓને બરાબરનો મેથીપાક ચખાડી દીધો છે..
મુજફપૂરના આહિયાપુર વિસ્તાર પાસે આવેલા સહભાગપુર મોહલ્લામાં સાધુ મહાત્માનો વેશ ધારણ કરીને બે યુવકો ઘૂસી આવ્યા હતા. તેઓ દરેક ઘરમાં જઈને લોકો પાસેથી ફાળો માંગતા હતા. ફાળો માંગતા માંગતા તે બંને સાધુ બાવા બનેલા યુવકો એક મહિલાના ઘરે ગયા હતા અને ત્યાં તેમની પાસે ફાળો માંગ્યો હતો..
પરંતુ તેઓએ જોયું કે આ મહિલાએ ગળામાં સોનાનો ખૂબ મોટો ચેન પહેર્યો છે અને તેના હાથમાં પણ સોના ચાંદીની વીંટી અને બંગડી પહેરેલી છે. આ જોતા જ તે સમજી ગયા કે આ ઘરમાં આના કરતાં વધારે પણ સોના ચાંદીનો માલ સામાન મળી રહેશે. એટલા માટે તેઓએ આ મહિલા પાસે થી દાન લેવાના બહાને તેને વાતમાં ગોળ ગોળ ફેરવાની શરૂ કરી હતી..
અને તેને ગળામાં પહેરેલો હાર તેમજ હાથમાં રહેલી સોનાની વીંટી ને આંચકીને ત્યાંથી ભાગવા લાગ્યા હતા. જ્યારે આ મામલો બન્યો ત્યારે મહિલા જોરથી બૂમાબૂમ કરવા લાગી હતી. આ બુમા બૂમ સાંભળીને ત્યાં આસપાસના અન્ય વ્યક્તિઓ પણ હાજર થઈ ગયા અને તેઓ આ સાધુ મહાત્મા બનીને આવેલા યુવકોની પાછળ દોડવા લાગ્યા હતા..
આ બંને વ્યક્તિ લાંબુ દોડી શક્યા નહીં અને સોસાયટીના લોકોએ તેને પકડી પાડ્યા હતા. જેમાં સાધુ બાવો બનીને આવેલો એક યુવક પકડાઈ ગયો છે. બીજો યુવક ત્યાંથી ભાગવામાં સફળ થઈ ગયો હતો અને તે લોકોના હાથ લાગી શક્યો નથી. લોકોએ જે સાધુ બાવાને પકડ્યો હતો..
તેને ઢોર મારવાનું શરૂ કરી દીધું હતું. ત્યાં કેટલાક લોકોએ ચપ્પલ વડે ઢોરમાર માર્યો હતો. તો કેટલાક લોકો લાફા અને પાટા વાળી કરી દીધી હતી તેને એટલો બધો ઢોરમાર માર્યો કે, તેના કપડા પણ ફાટી ગયા હતા. રોડ ઉપર જ્યારે આ ઘટના બની હતી. ત્યારે લોકો પોતાના વાહનો થોભાવીને આ ઘટનાને જોવા માટે ઊભા રહી ગયા હતા..
આટલી મોટી ઘટના બની ચૂકી છે, છતાં પણ કોઈપણ વ્યક્તિ દ્વારા ખોટી રીતે સાધુ મહાત્મા બનીને આવેલા બંને યુવકો સામે ફરિયાદ નોંધાવી નથી. હકીકતમાં આવા લોકોથી ચેતીને રહેવું જોઈએ, કારણકે જુદી જુદી ચીજ વસ્તુઓના ફાળો ઉઘરાવાને નામે ઘણા બધા લોકો સામાન્ય વ્યક્તિ સાથે છેતરપિંડી કરી રહ્યા છે. આવા લોકોથી હંમેશા ચેતીને રહેવું જોઈએ.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]