હજુ પણ ઘણા બધા વિસ્તારોમાં લોકો નીચી વિચારસરણીમાં જીવતા જોવા મળી રહ્યા છે. લોકો શિક્ષિત બનવાને બદલે અંધશ્રદ્ધા અને અસામાજી કાર્યોમાં માનીને પોતાના જ પરિવારના લોકોને હેરાન કરી રહ્યા છે. જેમાં મહિલાઓ અને દીકરીઓ સાથે વધારે આ ઘટનાના બની રહી છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી.
જેમાં પરિવાર જૂની અસામાજિક ઘટનાઓમાં માની રહ્યો હતો અને તેમના પરિવારની વહુ સાથે તેમણે ખૂબ જ અત્યાચાર કર્યા હતા. આ ઘટના કટિહાર માનસાહીના ચકમન ટોલાના રહેવાસી પરિવારની વહુ સાથે બની હતી. પરિવારની મહિલાના પિયરના લોકો ડુમરીયા વિસનપુર રામટોલામાં રહેતા હતા. મહિલાનું નામ સ્વીટી હતું.
તેના લગ્ન પિયરના લોકોએ 12 વર્ષ પહેલા ચકમન ટોલાના રહેવાસી યુવક સાથે કરાવ્યા હતા. આ યુવકનું નામ આનંદ મંડલ હતું. આનંદ અને સ્વીટીના લગ્ન બાદ સ્વીટી પોતાના સાસરે રહેવા માટે આવી ગઈ હતી. તે પોતાના લગ્ન બાદ ખૂબ જ સારી રીતે પોતાના સાસરીયાના લોકો સાથે રહેતી હતી. સ્વીટીને થોડા મહિના ખૂબ જ સારી રીતે સાચવવામાં આવી હતી.
પરંતુ ધીમે ધીમે તેના સાસરીના લોકો અને તેનો પતિ અવારનવાર દહેજને લઈને નાના મોટા ઝઘડાઓ કરતા હતા. જેના કારણે સ્વીટી ખૂબ જ કંટાળી ગઈ હતી. દરરોજ દહેજને કારણે ઝઘડાઓ થવા લાગ્યા હતા અને સ્વીટીએ તેના પિતાને આ વાત જણાવી હતી. જેના કારણે સ્વીટીના પિતાએ આણંદના દબાણને કારણે પાકું મકાન તેના સાસરીમાં બનાવી દીધું હતું.
છતાં પણ સાસરીના લોકો સુધરીયા ન હતા અને સ્વીટીને હજુ આ મકાન નાનું છે એ મોટું કરી આપવા માટે દહેજને લઈને ઝઘડાઓ કરતા હતા. સ્વીટીને એક પુત્રીનો જન્મ થયો હતો. છતાં પણ સ્વીટી અને આણંદના પારિવારિક જીવનમાં કોઈ શાંતિ આવી નહોતી. સ્વીટી અંતે ખૂબ જ કંટાળી ગઈ હતી. અને આણંદે બીજા લગ્ન કરી નાખ્યા હતા.
તે બીજા લગ્ન કર્યા બાદ તેની બીજી પત્ની સાથે બે પુત્રોને તે ઘરે લઈને આવ્યો હતો અને તેને સ્વીટીને ઘરની બહાર કાઢવાની કોશિશો કરી હતી તે સમયે સ્વીટીએ પોતાના પિયરના લોકોને આ વાત જણાવી હતી. પિયરના લોકોને વાત જણાવી દીધાને કારણે આનંદ ખૂબ જ ગુસ્સામાં થઈ ગયો હતો અને તેણે સ્વીટી અને તેમની પુત્રીને મારી નાખવાનું કાવતરું કર્યું હતું.
એક દિવસ તેને સ્વીટીને પોતાના ખેતરમાં બોલાવીને ચાકુના ઉપરા પર ઘા મારીને માતા તેમજ તેમની 9 વર્ષની માસુમ દિકરીને પતાવી દીધા હતા છતાં પણ તેમનું કોઈ જ અફસોસ રહ્યો ન હતો. માસુમ દીકરીનું પણ તેણે વિચાર્યા વગર આ ઘટના ઘડી નાખી હતી. ત્યારબાદ બંને માતા દીકરીના મૃતદેહને ત્યાં જ ખેતરમાં દફડાવી દીધા હતા.
ત્યારબાદ તેણે પોલીસ સ્ટેશનમાં જઈને પોતાની પત્ની અને પુત્રીના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી અને પોલીસને આજીજી કરતો હતો તેમની પત્ની અને દીકરીને ઝડપથી શોધી આપે પરંતુ પોલીસને આણંદ પર શંકા જતા તેમના પીછો કરતા તેમના જ મકાઈના ખેતરમાં તેણે જમીન નીચે તેમની પત્ની અને દીકરીને દફનાવી દીધા હતા.
જેને કારણે પોલીસે બંનેના મૃતદેહને બહાર કાઢ્યા હતા ત્યારે આણંદને આ ઘટનાની જાણ થતા તે ભાગી ગયો હતો. પોલીસ આણંદને શોધી રહી હતી અને બંને માતા દીકરીને ન્યાય આપવા માટે પ્રયાસો કરી રહી હતી. પોલીસ હજુ આ ઘટનાની તપાસ કરી રહી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]