Breaking News

સાળીની એનીવર્સરીમાં મન મૂકીને ડિસ્કો કરતા જીજાજીને અચાનક હાર્ટ એટેક આવ્યો, લથડીયુ ખાઈને ઢળી પડ્તા થયું મોત,

આપણે હસ્તી ખેલતી જિંદગી જીવતા હોય અને ક્યારે આપણા ઉપર મૃત્યુ ઉડતું ઉડતું આવી પડે તેનું નક્કી હોતું નથી. અત્યારે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ માંથી સાળીની એનિવર્સરી ની અંદર ડિસ્કો કરતા જીજાજીનું માત્ર બે સેકન્ડની અંદર મૃત્યુ આવી ગયું છે. અને તેમનું મૃત્યુ થઈ જતા એનિવર્સરીનો આ ખુશી નો પ્રોગ્રામ મોતના માતમ છવાઈ ગયો હતો..

40 વર્ષના અમરદીપ વર્મા નામના દવાના એક વેપારી તેની સાળીની એનિવર્સરીની પાર્ટીની અંદર હાજરી આપવા માટે પ્રયાગરાજના સિવિલ લાઇન પાસે આવેલા પંખોડી ગાર્ડનમાં આવી પહોંચ્યા હતા. સ્ટેજ ઉપર તેની સાળી પૂનમ તેમજ પૂનમનો પતિ ડાન્સ કરી રહ્યા હતા. એ વખતે શાળીએ તેના જીજાજી અમરદીપ તેમજ અમરદીપની પત્ની નીતુ વર્માને પણ સ્ટેજ ઉપર આવીને ડિસ્કો કરવા માટે જણાવ્યું હતું..

ત્યાં અન્ય ઘણા બધા સગા સંબંધીઓ પણ ડિસ્કો કરી રહ્યા હતા. અને તેમની સાથે સાથે અમરદીપ અને તેની પત્ની નીતુ પણ ડિસ્કો કરવા લાગ્યા હતા. પરંતુ અચાનક જ અમરદીપને છાતીમાં હળવો એવો દુખાવો શરૂ થઈ જતા, તેઓ સ્ટેજ ઉપરથી નીચે આવીને નીચે ખુરશીમાં બેસી ગયા હતા..

થોડીવાર સુધી તેમને આ દુખાવો થયો. પરંતુ જ્યારે દુખાવો ઓછો થઈ ગયો ત્યારે તેઓને ફરીથી ડાન્સ કરવા માટે સ્ટેજ ઉપર બોલાવવામાં આવ્યા હતા અને તેઓ જ્યારે ફરીવાર સ્ટેજ ઉપર ગયા ત્યારે મન મૂકીને ડાન્સ કરવા લાગ્યા હતા. આ ડાન્સ કરતા કરતા અચાનક જ તેમની તબિયત લતડી ગઈ અને લથડીયુ ખાઈને તેઓ નીચે ઢળી પડ્યા હતા..

તેઓ નીચે ઢળી પડતા જ અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો અને સૌ કોઈ લોકોએ ડીજે પણ બંધ કરાવી દીધું હતું. સંબંધીઓએ તેમને ઉઠાડવાની કોશિશ કરી પરંતુ તેમને આંખો મીચી દીધી હતી. અમરદીપને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ ત્યાં અમરદીપની હાલત આટલી બધી ખરાબ હતી કે તેને અન્ય હોસ્પિટલમાં ખસેડવાની ફરજ આવી પડી હતી..

તેને અડધી કલાક બાદ ત્યાં નજીકમાં આવેલી સ્વરૂપ રાણી નેહરુ હોસ્પિટલની અંદર સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં ફરજ પરના ડોક્ટરે અમરદીપ ભાઈને મૃત જાહેર કરી દેતા મેરેજ એનિવર્સરી નો આ પ્રોગ્રામ મોતના માતમમાં છવાઈ ગયો હતો. સૌ કોઈ લોકોનું કહેવું હતું કે અમરદીપ વર્મા ખૂબ જ ખુશખુશાલ હતો..

તેનું નામ ખૂબ જ આગવુ હતું કારણકે, તે દવાનો ખૂબ જ મોટો વેપારી હતો. તેણે ઘણી બધી સિવિલ લાઇન હોસ્પિટલોમાં પણ કામકાજ કરેલું છે અને તે અત્યારે પ્રયાગરાજના રોડ ઉપર આવેલા બંગલા નમ્બર નવની અંદર રહે છે. અચાનક જ તેને હ્રદય રોગનો હુમલો આવી જતા તેનું મૃત્યુ થઈ ગયું હતું..

આ બનાવને લઈને સગા સંબંધીઓ પણ ખૂબ જ ઊંડા શોકની અંદર ચાલ્યા ગયા છે. આ ઘટના બની ત્યારે લોકોનું કહેવું છે કે, આપણે નિયમિત જીમમાં જવું જોઈએ તેમજ આપણા સ્વાસ્થ્યનો ખૂબ જ વધારે ધ્યાન રાખવું જોઈએ. જો સ્વાસ્થ્યમાં સહેજ પણ ભૂલચૂક થઈ જાય તો અત્યારે કયા વ્યક્તિનું નાના અમથા રોગને કારણે મૃત્યુ થઈ જાય તેનું નક્કી હોતું નથી..

એટલા માટે આપણે દિન પ્રતિદિન સ્વાસ્થ્યનું ખૂબ જ વધારે ધ્યાન રાખવું જોઈએ. આ અગાઉ પણ એવા ઘણી બધી ઘટનાઓ સામે આવી ચૂકી છે કે જેમાં લગ્ન પ્રસંગ ની અંદર ડિસ્કો કરતા અથવા તો વરાજાની જાનમાં આ ઉપરાંત સ્ટેજ ઉપર કોઈ નૃત્ય કે ડાન્સ કરતી વખતે કોઈ વ્યક્તિનું હૃદય રોગના અમલાને કારણે મૃત્યુ થઈ ગયું હોય..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *