ઝડપથી આગળ વધતી આ દુનિયામાં ક્યારેક કયો વ્યક્તિ અનીતિના કામકાજ ઉપર લાગી જાય તેનું નક્કી રહેતું નથી. દરેક માતા-પિતા તેમના બાળકોને સારા સંસ્કારો તો શીખવે છે, પરંતુ જો આગળ જતા આ સંસ્કારોનું પાલન તેમના દીકરા કે દીકરીઓ ન કરે તો માતા-પિતાની ઈજ્જત પણ કાંકરા સમાન બની જતી હોય છે..
એવા ઘણા બધા કિસ્સા સમાજમાંથી સામે આવી ચૂક્યા છે. અત્યારે વધુ એક આવનારો કિસ્સો દામોદર પાર્ક નામની સોસાયટીમાંથી સામે આવ્યો છે. આ સોસાયટીમાં મકાન નંબર 46માં ગીરીરાજભાઈ તેમના પરિવાર સાથે રહે છે. તેઓએ તેમનો નીચેનો માળ ચંદ્રકાંતભાઈને રહેવા માટે ભાડે આપ્યો હતો..
ચંદ્રકાંતભાઈ તેમના પરિવાર સાથે આ ભાડાના મકાનમાં રહેતા હતા. મકાન માલિક ગિરિરાજભાઈનો દીકરો અને ભાડુત ચંદ્રકાંત ભાઈ ની દીકરી સાથે મળીને એવા કામ કાંડ કરવા લાગ્યા હતા કે, જેનો પડદાફાશ અત્યારે થઈ જતા બંનેના પરિવારજનોને મોઢું સંતાડવાનો વારો આવી ગયો હતો..
દામોદર પાર્ક સોસાયટીમાં છેલ્લા દસ વર્ષથી કોઈપણ ચોરી લૂંટફાટ કે અન્ય કોઈ અજુબતી ઘટના બની હતી નહીં, પરંતુ છેલ્લા છ મહિનામાં કુલ સાત ચોરીના બનાવો નોંધાઈ ચૂક્યા હતા. આ ચોરી કઈ રીતે થાય છે અને કોણ કરી રહ્યું છે, તેની કોઈપણ વ્યક્તિને ખબર રહેતી હતી નહીં. આ ઉપરાંત તપાસમાં પણ આ ઘટનાનું કોઈ પણ તારણ સામે આવતું હતું નહીં..
પરંતુ એક દિવસ ગિરિરાજભાઈનો દીકરો અને તેમના જ મકાનમાં ભાડે રહેતા ચંદ્રકાંત ભાઈની દીકરી પરિતા બંનેને સોસાયટીના લોકોએ પકડી પાડ્યા હતા અને તેમનો તમામ કાંડ જાહેર થઈ ગયો હતો. આ બનાવ બનતા જ ચંદ્રકાંતભાઈને પણ મકાન ખાલી કરીને બીજે રહેવા માટે જવું પડ્યું હતું..
તો ગિરિરાજભાઈ એ પણ મકાન વેચીને બીજી જગ્યાએ રહેવાનું પસંદ કરી લીધું હતું. એક દિવસ બપોરના સમયે ગીરીરાજભાઈનો દીકરો અમૃત અને તેના જ મકાનમાં ભાડે રહેતા ચંદ્રકાંતભાઈ ની દીકરી પરીતા બંને તેના ઘરેથી બહાર નીકળી ગયા હતા અને આસપાસના પાડોશીઓના ઘરમાં તેઓ ચોરી કરવા લાગ્યા હતા..
તેઓ તેમના ટેરેસ ઉપરથી પડોશીના ઘરની અંદર પ્રવેશ મેળવી લેતા અને ત્યારબાદ ત્યાંથી રોકડ રૂપિયાની ચોરી કરીને તેવો મોજશોખ કરતા હતા. આ બંને યુવક યુવતીઓ એકબીજાના પ્રેમ પ્રકરણમાં આટલા બધા આંધળા બની ગયા કે, પૈસાની જરૂરિયાત ઊભી થતા તેઓએ આસપાસના પડોશીઓના ઘરમાં ચોરી કરવાનું પણ શરૂ કરી દીધું હતું..
પરંતુ એક વખત તેમની આ કાળી કરતુતો સોસાયટીના સૌ કોઈ લોકોની સામે જાહેર થઈ ગઈ હતી. ત્યારબાદ આ બંને વ્યક્તિ મકાન છોડીને ત્યાંથી જુદી-જુદી જગ્યાએ રહેવા માટે ચાલ્યા ગયા હતા. કારણ કે આ સોસાયટીની અંદર તેમનું નામ સાવ ધૂળ સમાન થઈ ગયું હતું. જ્યારે અંદરો અંદર જ આવી ઘટનાઓ સામે આવે ત્યારે જાણીતા સૌ કોઈ લોકોમાં ફફડાટનો માહોલ પણ સર્જાઈ જતો હોય છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]