આજકાલના સમયમાં કોઈપણ વ્યક્તિ ઉપર મન મૂકીને વિશ્વાસ કરવો અઘરો બની ગયો છે. કારણ કે કયો નજીકનો વ્યક્તિ આપણી સાથે છેતરપિંડી કરીને જતો રહે તેનું આપણને ખબર રહેતી નથી. અત્યારે એક એવી ઘટના સામે આવી છે કે, જેને સૌ કોઈ લોકોએ તરત જ જાણી લેવી જોઈએ અને વધુમાં વધુ લોકો સુધી જરૂર પહોંચાડવી જોઈએ..
આ ઘટના હરિયાણાના અંબાલાની છે. અહીં રીતેશભાઈ તેમની વડીલ માતા સાથે જીવન જીવે છે. તેઓ એકાઉન્ટ મેનેજમેન્ટનું કામકાજ કરે છે. જ્યારે તેમની માતા ઘર કામ કરી રિતેશને મદદરૂપ બને છે. એક દિવસ સવારના સમયે રીતેશભાઈ પોતાના કામકાજ માટે ઘરની બહાર ગયા હતા. ત્યારે તેમની શેરીમાં શાકભાજી વેચવા માટે લારી લઈને એક યુવક આવી પહોંચ્યો હતો..
રોજબરોજ આ યુવક આ સોસાયટીની અંદર શાકભાજી વેચવા માટે આવતો હતો, એટલા માટે સોસાયટીના સૌ કોઈ લોકો આ યુવકને સારી રીતે ઓળખતા હતા. એક દિવસ શાકભાજી વેચવા આવનાર તરુણ નામના યુવકે રીતેશભાઈની વડીલ માતાને જણાવ્યું કે, તેની પત્ની પિયરમાં મળવા માટે ગઈ છે..
અને સવારના સમયે તેને કોઈ વ્યક્તિએ ચા બનાવી આપી નથી. જો તે ચા નહીં પીવે તો તેનો આખો દિવસ ખરાબ જશે, એટલા માટે તેણે વડીલ મહિલા પાસે ચા ની માંગણી કરી હતી. રીતેશભાઈની માતાએ વિચાર્યું કે આ શાકભાજી વેચવા વાળો યુવક દરરોજ તેમની સોસાયટીમાંથી પસાર થાય છે..
અને તેઓ આ યુવક પાસેથી શાકભાજી ખરીદે છે. એક દિવસ તેને ચા પીવડાવવાથી તેનું ભલું થઈ જતું હોય તો તેમને ચા પીવડાવવામાં કોઈ પણ પ્રકારનો વાંધો નથી. તેણે શાકભાજી વેચવા આવનારા યુવકને પોતાને ઘરે બોલાવ્યો ત્યારબાદ તેને પાણી પણ આપ્યું હતું. અને ત્યાર પછી હિતેશભાઈની વડીલ માતા રસોડામાં ચા બનાવવા માટે ચાલ્યા ગયા..
પરંતુ તેઓને ચા બનાવીને પરત આવ્યા ત્યારે રિતેશ ત્યાં બેઠેલો હતો નહીં, અને પોતાની લારી લઈને સોસાયટીમાંથી બહાર નીકળી ગયો હતો. રીતેશભાઈના વડીલ માતા વિચારમાં મુકાઈ ગયા કે, આખરે શાકભાજી વેચવા આવનારો તરુણ ચા પીવા માટે સોસાયટીમાં તેમના ઘરે તો આવી પહોંચ્યો, પરંતુ ચા પીધા વગર જ શા માટે તે બહાર નીકળી ગયો છે..
તેઓ મનોમન સમજવા લાગ્યા કે, એવું તો શું બન્યું હશે કે જેના કારણે તરુણ તરત જ તેમના ઘરેથી બહાર નીકળી ગયો છે. એવામાં રીતેશભાઈ પોતાનું કામકાજ પતાવીને પોતાની ઘરે આવ્યા અને તેમના બેડરૂમની અંદર રહેલા કબાટમાંથી તેઓ તેમના પૈસા કાઢીને બહાર જવા માટે નીકળ્યા ત્યારે તેમણે જોયું કે, તેમના ઘરના કબાટ ખુલેલી હાલતમાં મળી આવ્યા હતા..
જેમાંથી ત્રણ લાખ રૂપિયા હતા, જ્યારે તેઓએ તેમની વડીલ માતાને પૂછ્યું કે શા માટે તેમનો કબાટ ખુલ્લો છે. તેમજ અંદર રહેલા પૈસા શા માટે ગાયબ થઈ ગયા છે. ત્યારે તેને જણાવ્યું કે, તેમની સાથે સવારના સમયે શાકભાજીવાળા યુવકે ઘરની અંદર પ્રવેશ કર્યો હતો અને ચા પીવાની માંગણી કરી હતી.
કદાચ યુવક આ પૈસાની ચોરી કરીને જતો રહ્યો હશે, પરંતુ આ ઘટના બની એની પાંચ કલાક વિતી ચૂક્યા હતા. છતાં પણ રિતેશભાઈ તાત્કાલિક ધોરણે પોલીસ સ્ટેશન પહોંચી ગયા અને ત્યાં આ ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્યું કે, તેમને તેમની સોસાયટીમાં શાકભાજી વેચવા માટે આવનારા યુવક ઉપર શંકા છે..
પોલીસે આશંકાને આધારે સીસીટીવી કેમેરાની શોધખોળ શરૂ કરી છે અને શાકભાજી વેચનાર આ યુવકને પકડી પાડી તેની પૂછપરછ કરવા માટે જરૂરી કામગીરીઓ પણ શરૂ કરી દીધી છે. થોડા સમયની અંદર જ શાકભાજી વેચનારા યુવકને પકડી પાડવામાં આવ્યો હતો. અને તેની પાસેથી ₹3 લાખ રોકડા પણ મળી આવ્યા છે.
એટલે સાબિત થઈ ગયું કે, આ યુવકે જ વડીલ માતાને ચકમો આપીને તેમના ઘરેથી રૂપિયા ફેરવી લીધા છે. જ્યારે જ્યારે આવી ઘટનાઓ બને છે, ત્યારે સમગ્ર દિવસ દરમિયાન ઘરકામ કરતી એકલી મહિલાઓને ચોંકાવી દે તેવો કિસ્સો સાબિત થઈ ગયો છે. જેના પરથી દરેક લોકોએ શીખ લેવી જોઈએ અને આ પ્રકારની ભૂલો ક્યારેય પણ ન થાય તેનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]