જ્યારે પણ આપણી આંખે કોઈ અજુગતિ ચીજ વસ્તુઓ જોવામાં આવે છે, ત્યારે કેટલાક દિવસ સુધી તો એ ચીજ વસ્તુ આપણા મગજમાંથી બહાર કાઢવી ખૂબ જ મુશ્કેલ બની જતી હોય છે. જ્યારે પણ મગજ શાંત થાય ત્યારે તરત જ એ દ્રશ્ય આપણી નજર સામે ફરી પાછું ઊભું થઈ જતું હોય છે..
આવી જ એક ઘટના સોસાયટીમાં રહેતા લલીતભાઈ નામના યુવક સાથે બની હતી, હકીકતમાં લલીતભાઈ આઈસ્ક્રીમની દુકાન ચલાવતા હતા અને તેઓ રોજ રાત્રે અંદાજે એક વાગ્યાથી લઈ બે વાગ્યા સુધીના સમયની અંદર પોતાને ઘરે પરત આવતા હતા. આખો દિવસ સુધી તેઓ પોતાની દુકાન ઉપર બેસતા અને રાત્રે તેમની દુકાન ઉપર ઘરાકી વધારે હોવાને કારણે તેઓ મોડી રાત્રે પોતાને ઘરે પરત ફરતા હતા..
તેઓ જ્યારે સોસાયટી ની અંદર પ્રવેશ કરતા ત્યારે રોજ રાત્રે સફેદ કપડાં પહેરેલી કોઈ આત્મા તેની સોસાયટીમાં આંટાફેરા મારતી હોય તેવું તેમને નજરે ચડતું હતું, શરૂઆતમાં તો થોડાક દિવસ તેઓએ આ બાબતને નજર અંદાજ કરી હતી અને વિચાર્યું કે આ બધા મનના વહેમ હોય છે..
હકીકતમાં ક્યારેય પણ આવી બાબતે શક્ય નથી, લલીતભાઈ જે મકાનની અંદર રહે છે. તે મકાનની બાજુના ભાગે જ રોજ રાત્રે સફેદ કપડાની અંદર જુદી-જુદી જગ્યાએ બેઠેલી આ મહિલાને જોઈ હવે તેમના છૂટી ગયા હતા. તેઓએ બીજા દિવસે સોસાયટીમાં રહેતા કેટલાક લોકોને આવા જણાવી હતી..
પરંતુ કોઈ પણ વ્યક્તિએ લલીતભાઈની વાત ઉપર વિશ્વાસ કર્યો નહીં અને હસી મજાક કરીને તેમની મશ્કરી કરી નાખી હતી, પરંતુ સોસાયટીમાં રહેતા જ અન્ય ત્રણથી ચાર વ્યક્તિઓએ પણ જ્યારે આ ઘટનાને મહેસુસ કરી ત્યારે તેમને લલીતભાઈની વાત ઉપર વિશ્વાસ આવ્યો કે નક્કી આ બાબત બિલકુલ સાચી છે..
સોસાયટીની અંદર કોઈ ભૂતપ્રેત કે આત્મા આંટાફેરા મારી રહી છે, અને લોકોને ડરાવી રહી છે. કેટલાક લોકો તો સાંજના સમયે તરત જ ભોજન લઈ સૂઈ જવાની કોશિશ કરવા લાગ્યા હતા. તો કેટલાક લોકોએ ઘરની બહાર જવાનું પણ ટાળ્યું હતું. સોસાયટીની અંદર રહેતા જ કેટલાક લોકો હિંમત કરીને સફેદ કપડાં પહેરીને આંટાફેરા મારતી આ મહિલાની નજીક જવાની કોશિશ કરી હતી..
અને તેમને એવી ઘટના દેખાય કે, તેમના મગજમાં પણ તાવ ચડી ગયો હતો. જ્યારે લલીતભાઈ તેમજ તેમના પડોશમાં રહેતા સતિષભાઈ ઉપરાંત ગૌરાંગભાઈ સહિતના તમામ લોકો સફેદ કપડાં પહેરેલી આ મહિલાની નજીક ગયા ત્યારે તેમને ખૂબ જ ડર લાગ્યો હતો. એ બાજુ તેમનું શરીર ધ્રુજી રહ્યું હતું તેમજ શરીર પણ પડસેવેથી નીતરી ગયું હતું..
છતાં પણ તેઓ આ ઘટનાનો પરદાફાશ કરવા માટે નજીક ગયા હતા અને ત્યાં જઈને તેઓએ જોયું તો ખબર પડી કે, આ મહિલા કોઈ ભૂતપ્રેત કે આત્મા નહીં પરંતુ તેમના સોસાયટીના લલિતભાઈના મકાનની બાજુમાં આવેલા મકાનમાં રહેતી મહિલા છે. તે સોસાયટીના લોકોને ડરાવીને મકાન ખાલી કરાવવા માંગતી હતી..
અને ત્યાં તમામ પ્લોટને ઝડપી લેવા માંગતી હતી, જ્યારે આ ઘટનાનો પરદાફાશ થયો ત્યારે સોસાયટીના રહીશોએ પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાવી દીધી અને જણાવ્યું કે, આ મહિલાએ કેટલાક લોકોના જીવને જોખમમાં મૂક્યા છે. સોસાયટીના લોકોને ડરાવી ધમકાવીને તે લોકોને અન્ય જગ્યાએ રહેવા જવા પર મજબૂર કરવા માંગતી હતી..
પરંતુ ગૌરાંગભાઈ, જયેશભાઈ તેમજ લલિતભાઈ જેવા રહીશોના કારણે આ ઘટનાનો પરદાફાશ થઈ ચૂક્યો હતો, અને સોસાયટીમાં પણ શાંતિનો માહોલ સર્જાઈ ગયો હતો. આ ઘટનાએ સૌ કોઈ લોકોના જીવ તાળવે ચોંટાડી દીધા હતા, પરતું અંતે સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]