હાલમાં એક ગામડાની અંદર જ્યારે કોઈ ફફળાટનો માહોલ સર્જાઈ જવા પામ્યો હતો, ગામની અંદર રહેતા મોટાભાગના લોકો ખૂબ જ ડરી ગયા હતા. કેટલાક લોકો તો ગામ મૂકીને અન્ય ગામની અંદર વસવાટ કરવા જવાનું પણ કહેવા લાગ્યા હતા. જ્યારે રાત્રીનો સમય થાય ત્યારે આ ગામની અંદર એવી ઘટનાઓ બનવા લાગતી હતી કે સૌ કોઈ લોકોમાં ભારે ડરનો માહોલ પેદા થઈ ગયો હતો..
આ માથા ધ્રુજાવતી ઘટના વિનેપર ગામમાંથી સામે આવી છે, આ ગામની અંદર મોટાભાગે ખેડૂતોની વસ્તી વસવાટ કરી રહી છે. જેવો ખેતરગામ કરીને જીવન ગુજારતા હતા ગામના છેવાડે આવેલા મોટા ફળિયામાં દેવદાસભાઈ નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે રહે છે, દેવદાસભાઈનો પરિવાર છેલ્લા કેટલાક સમયથી અડધી રાત્રે ખૂબ જ ચોકાવનારી ઘટનાનો સામનો કરી રહ્યો હતો..
શરૂઆતમાં તો તેઓ આ બધી બાબતો સહન કરતા રહ્યા પરંતુ જ્યારે તેમનાથી હવે આવી ઘટનાઓ સહન થવાની બંધ થઈ ત્યારબાદ તેણે આ ઘટના વિશે દરેક લોકોને જણાવ્યું હતું, જે લોકોએ પણ આ ઘટના વિશે સાંભળ્યું તેવો શરૂઆતમાં હસી મજાક કરવા લાગ્યા પરંતુ અંતે તેમની સાથે પણ આ ઘટના બનવા લાગતા તેમના પણ હોશ છૂટી ગયા હતા..
દેવદાસભાઈના પરિવારમાં જેમની પત્ની શાંતાબેન દેવીદાસ ભાઈના ત્રણ દીકરા અને એક દીકરીનો પણ સમાવેશ થતો હતો, રાત્રિના બે વાગ્યે આસપાસ તેમના ઘરથી બે મકાન દૂર આવેલા એક ખંડેર મકાનમાંથી કોઈ મહિલા અને નાના બાળકો ખૂબ જ જોર જોરથી રડીને ચીખો નાખતા હોય તેવો અવાજ તેમને સંભળાતો હતો..
આ અવાજ સાંભળતાની સાથે દેવદાસ ભાઈના દીકરા-દીકરી ખૂબ જ ડરી જતા હતા, આ સાથે સાથે ગામના કેટલાક લોકોનું જણાવવું હતું કે તેમના ગામની અંદર ભૂતનો સાયો આવી ગયો છે, જે ગામના લોકોને હેરાન પરેશાન કરી રહ્યો છે. એટલા માટે દેવદાસભાઈ ને મનમાં શંકા પેદા થઈ અને તેઓ પણ ડરવા લાગ્યા હતા..
અંદાજે ચારથી પાંચ દિવસ સુધી લગાતાર તેઓએ અડધી રાત્રે આ અવાજ સાંભળ્યા હતા. કોઈ પણ વ્યક્તિએ ઘરની બહાર નીકળીને આવા જ ક્યાંથી આવી રહ્યો છે, તેની જાણકારી મેળવવાની કોશિશ કરી નહીં. પરંતુ દરેક લોકો જાણતા હતા કે વર્ષોથી બંધ પડેલા આ જુના પુરાના મકાનની અંદરથી જ આત્માના રડવાનો અવાજ આવી રહ્યો છે..
દેવદાસભાઈનો પરિવાર જ્યારે આ ઘટનાથી ખૂબ જ કંટાળી ગયો ત્યારે તેઓએ આ વાતની જાણકારી ગામના અન્ય કેટલાક લોકોને કરી હતી, પરંતુ લોકોએ આ વાતને હસી મજાકમાં કાઢી મૂકી દેવદાસ ભાઈને નારાજ કરી દીધા હતા. પરંતુ થોડા જ દિવસોની અંદર આ ઘટના તેમની સાથે પણ બની જતા દરેક લોકોને હવે ખબર પડી ચૂકી હતી કે, તેમના ગામની અંદર ભૂત પ્રેત આત્માનો નિવાસ શરૂ થઈ ગયો છે..
જે ગામના લોકોને હેરાન પરેશાન કરી રહ્યા છે, સાંજના સાત વાગ્યા પછીથી લોકોએ ઘરની બહાર નીકળવાનું પણ ટાળી દીધું હતું. ગામના લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા હતા અને અંતે એક સારા સજજન વ્યક્તિએ ગામના દરેક લોકોને જણાવ્યું કે, હકીકતમાં ક્યારેય પણ ભૂત પ્રેત કે આત્મા કોઈ લોકોને ડરાવતા ધમકાવતા નથી..
હકીકતમાં આ પાછળ કોઈ માણસનો જ હાથ હશે અને આ વાતની આપણે તપાસ પણ ચલાવી જોઈએ અને જ્યારે બીજા દિવસે સાંજના 2:00 વાગ્યા આસપાસ આ અવાજો આવવાના શરૂ થઈ ગયા હતા, ત્યારે દિપક નામનો આ યુવક તરત જ ઘર પાસે પહોંચી ગયો અને ઘરની અંદર ચાલ્યો ગયો હતો..
ગામના લોકો ખૂબ જ ડરી ગયા હતા કે, દિપક જીવતી હાલતમાં પાછો આવશે કે નહીં પરંતુ દીપક એવી ઘટનાનો પડદાફાશ કરીને ત્યાંથી બહાર નીકળ્યો હતો કે, સૌ કોઈ લોકો જોતાને જોતા જ રહી ગયા હતા. હકીકતમાં દીપક અંદરથી લાઉડ સ્પીકર લઈને બહાર આવ્યો હતો, તેણે જણાવ્યું કે હકીકતમાં ગામનો જ કોઈ યુવક અલાઉડ સ્પીકર માંથી આવી ચીખવા ચિલ્લાવાની અવાજો દરેક લોકોને સંભળાવી રહ્યો છે..
અને લોકોને ડરાવવાની કોશિશ કરતો હતો, જ્યારે આ ઘટના પાછળ કોણ વ્યક્તિ જોડાયેલો છે તે જાણવાની કોશિશ કરી ત્યારે કોઈ પણ વ્યક્તિએ તેનું મોઢું ખોલ્યું નહીં. અંતે ગામના સરપંચે આ ઘટનાને લઈને પોલીસ ફરિયાદ પણ નોંધાવી દીધી હતી કે, ગામના જ કોઈ યુવકે ગામના તમામ લોકોને ડરાવી ધમકાવી દીધા છે..
પોલીસે એક પછી એક દરેક લોકોની પૂછપરછ શરૂ કરી હતી, જેમાં આ મકાનની આસપાસના વિસ્તારમાં રહેતા લોકોની વધારે કડક પૂજ પરછ કરવામાં આવે ત્યારે ખબર પડી કે આ મકાનની સામેના મકાનમાં રહેતા વિષ્ણુભાઈ નામના વ્યક્તિ આ ઘટના પાછળ જોડાયેલા હતા. હકીકતમાં વિષ્ણુભાઈને આ જગ્યા પચાવી પાડવી હતી. એટલા માટે તેઓ લોકોને ડરાવી ધમકાવીને ત્યાંથી દૂર ધકેલવા માંગતા હતા..
અને ત્યારબાદ તેઓ આ જગ્યા ઉપર કબજો જમાવીને પોતાની જામીન સમજી તેને વાપરી શકે અથવા તો વેચાણ કરી શકે. આ ઘટના સામે આવતાની સાથે જ ગામમાં ચારેકોર ચકચાર મચી જવા પામ્યો હતો, આ પ્રકારના ઘણા બધા કિસ્સાઓ પાછળના સમયમાં પણ સામે આવી ચૂક્યા છે, જેણે દરેક લોકોને દોડતા કરી દીધા હતા..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]