જ્યારે પણ આપણી નજર કોઈ વિચિત્ર ચીજ વસ્તુને જુએ છે, ત્યારે આપણું મગજ તરત જ ચકરાવે ચડી જતું હોય છે, આ ઉપરાંત જ્યારે પણ કોઈ વિચિત્ર અવાજ સંભળાય ત્યારે આ અવાજ ક્યાંથી આવી રહ્યો છે અને શેનો છે, તેને પણ જાણવાની તાલાવેલી દરેક વ્યક્તિઓમાં જાગી ઊઠતી હોય છે..
એવી જ રીતે એક પરિવારને અત્યંત વિચિત્ર અવાજ સંભળાતો જોઈને સૌ કોઈ લોકોને માથે તાવ ચડી ગયો હતો કે, આપણે આ અવાજ ક્યાંથી આવી રહ્યો છે. અને આ અવાજ પાછળ શું કારણો જોડાયેલા છે જ્યારે લોકોને ખબર પડી ત્યારે સૌ કોઈ લોકો જોતા ને જોતા જ રહી ગયા હતા..
તો પરિવારજનો માટે પણ બે સેકન્ડ આ ઘડી સહન કરી ખૂબ જ મુશ્કેલ બની ગઈ હતી. આ બનાવ રાજા પાર્ક સોસાયટીનો છે, આ સોસાયટીની અંદર બંગલા નંબર 45માં સંયુક્ત કુટુંબની અંદર બે ભાઈઓનો પરિવાર જીવન ગુજારે છે. મોટો ભાઈ અમૃત અને નાનો ભાઈ દિલીપ બંને કાપડના વ્યવસાય સાથે જોડાયેલા છે..
તેઓ જ્યારે રાત્રિના સમયે ઘરે આવીને ભોજન લીધા બાદ પોતાના રૂમમાં સૂઈ રહ્યા હતા, ત્યારે અચાનક જ રાત્રે કબાટમાંથી વિચિત્ર અવાજ આવા લાગ્યો હતો. બે દિવસ તો તેઓએ આ અવાજ કોઈ અન્ય કોઈ જગ્યાએથી આવતો હશે તેમ સમજીને ચેનથી સુવા લાગ્યા હતા. પરંતુ ત્રીજા દિવસે જ્યારે આ અવાજ ખૂબ જ તીવ્ર બની ગયો ત્યારે તેના ભાઈને જગાડ્યો અને જણાવ્યું કે..
તેના રૂમમાં મુકેલા કબાટમાંથી અત્યંત વિચિત્ર અવાજ આવી રહ્યો છે, આ આવવા જેથી દિલીપની પત્ની પણ ખૂબ જ ડરી ગઈ હતી. જ્યારે અવાજ પરિવારના દરેક સભ્યોએ સાંભળ્યો ત્યારે તેમને પણ માથે તાવ ચડી ગયો અને આ અવાજ ક્યાંથી આવ્યો છે, તેને જાણવા લાગ્યા હતા. તેઓએ કબાટ ખોલવાની કોશિશ કરી અને જોયું કે, હકીકતમાં આ વિચિત્ર અવાજ પાછળ શું જોડાયેલું છે..
ત્યારે તેમના હોશ ઉડી ગયા હતા, કબાટની અંદર ઉપરના ભાગે તેઓએ એક છુપું ખાનુ બનાવડાવ્યું હતું તેની અંદર તેઓએ અઢળક રૂપિયાની કિંમત મુકી હતી, આ ખાનું આસાનીથી કોઈ વ્યક્તિની નજરે ચડે તેવું ન હોવાને કારણે પરિવારજનો પણ આ ખાનાની સાર સંભાળ ખૂબ જ ઓછી રાખતા હતા..
જ્યારે આ ખાનાને ખોલવામાં આવ્યો ત્યારે કાગળનો ઝીણો ઝીણો કચરો નીચે ઠલવાયો હતો, અને આ ખાનાની અંદરથી અંદાજે પાંચથી સાત જેટલા ઉંદર પણ નીચે પડી ગયા હતા અને તે રૂમની અંદર આમથી આમ હડિયા પાટી કરવા લાગ્યા હતા. આ ઉંદરને રૂમની અંદર દોડતા જોઈને દિલીપભાઈ તેમજ અમૃતભાઈની પત્નીએ પણ ચીસા ચીઝ મચાવી દીધી હતી..
અડધી રાત્રે આ અવાજ સાંભળીને આસપાસના પડોશીઓ પણ ત્યાં આવી પહોંચી હતા, અને જોયું તો ખબર પડી કે દિલીપભાઈએ બે મહિના પહેલા કબાટની અંદર બનાવેલા આ છુપા ખાનાની અંદર અંદાજે પાંચ લાખ રૂપિયા રોકડા મૂક્યા હતા, પરંતુ ત્યાં ઉંદરો પહોંચી ગયા હતા અને તેઓએ આ તમામ રૂપિયાને ફાડી ખાધા હતા..
તેઓ રાત્રિના સમયે બહારનો અવાજ બંધ થઈ જવાને બાદ આ કબાટમાં તેઓ આ ખાનાની અંદર ખુશી જતા હતા અને ત્યારબાદ પૈસાની નોટોને ફાડી નાખી હતી, આવા સાંભળીને પરિવારજનો ખૂબ જ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. જ્યારે હકીકત વિશે ખબર પડી ત્યારે બે ઘડી તો સૌ કોઈ લોકો નું મગજ કામ કરતું બંધ થઈ ગયું કારણ કે..
પાંચ લાખ રૂપિયા ઉંદરોએ કોતરી નાખ્યા હતા, એક બાજુ દુઃખની ઘડી હતી તો બીજી બાજુ તેમને ખૂબ જ આચાર્ય થતું હતું કે, આ તેમની સાથે શું થઈ ગયું છે. ઘટનાની જાણકારી આસપાસના પડોશી સુધી પહોંચી ત્યારે તેમના પણ મોતિયા મરી ગયા હતા કે, બિચારા પરિવારના પાંચ લાખ રૂપિયા ઉંદરો કોતરીને ખાઈ ગયા હતા..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]