અત્યારે ખુલ્લેઆમ ગુનાખોરી વધી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે શહેરમાં અશાંતિ ફેલાવનાર લુખ્ખા અને ગુંડાતત્વો મન ફાવે તેવી પ્રવૃત્તિ કરી રહ્યા છે. શહેરનું તંત્ર આ ગુનાખોરીને અટકાવવા માટે જરૂરી કામ કરી પણ ચલાવે છે. પરંતુ આ બેફામ તત્વો એટલા બધા વકરી ગયા છે કે, તંત્રની કાર્યવાહીની તેમના પર કોઈ પણ અસર થતી નથી..
અત્યારે મધ્યપ્રદેશના ઇન્દોરથી માથા પકડીને વિચારવા પર મજબૂર કરી દે તે પ્રકારનો એક કિસ્સો સામે આવ્યો છે. ઇન્દોરમાં પરદેશી પૂરા વિસ્તાર પાસે આવેલી એક દારૂની દુકાન ઉપર સાવન શુકલા નામનો યુવક તેના કાકા સુનીલ શુક્લા સાથે ઉભો રહીને દારૂ ઢીંચતો હતો. ત્યારે તેમના સાથે એક માઠો બનાવ બની જવા પામ્યો છે..
બંને સુખ-દુઃખની વાતચીત કરીને કાકા ભત્રીજો ઉભા ઉભા દારૂ પીતા હતા. ત્યારે અજાણ્યા ત્રણથી ચાર લોકો ત્યાં આવી પહોંચ્યા હતા. અને તેઓએ સાવન શુક્લાને કહ્યું કે, તમારું કામ છે. જરાક બાજુ પર આવે તો સારું રહેશે એમ કહીને તેણે સાવન શુક્લાને બાજુ ઉપર બોલાવ્યો હતો. પરંતુ આ યુવકોને સાવન શુક્લાનું કોઈ પણ કામ હતું નહીં અને તેમને મારવા માટે જ આવ્યા હોય તેવું લાગતું હતું..
જ્યારે સામાન શુક્લાના કાકા સુનીલ શુક્લાને ભાસ થવા લાગ્યો કે આ યુવકોથી તેના ભત્રીજા સાવન શુક્લાને ડર રહેલો છે. ત્યારે તેઓ પણ ત્યાં પહોંચ્યા અને શું થયું છે તેની જાણકારી મેળવવા લાગતા જતા ત્યાં તો આ અજાણ્યા યુવકો ચાકુ જેવા ધારદાર સાધન લઈને કાકા અને ભત્રીજા બંને ઉપર તૂટી પડ્યા હતા.
કાકો અને ભત્રીજો આ બંનેને એટલો બધો ઢોર માર્યો હતો કે, તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ આવી પડી હતી. એમાં ભત્રીજો સાવન શુક્લા આટલો બધો ગંભીર રીતે ઘાયલ થયો છે કે, તેનો બચવું પણ ખૂબ જ મુશ્કેલ હતું અને હોસ્પિટલમાં દાખલ થયા બાદ ટૂંકી સારવારથી જ તેનું મૃત્યુ થઈ ગયું હતું..
જ્યારે આ માઠા બનાવના સમાચાર તેમના પરિવાર સુધી પહોંચ્યા ત્યારે પરિવારમાં પણ રોકકકળ મચી ગઈ છે. તો સાવન શુક્લાની માતા માટે તો આ દુઃખની ઘડી સહન કરવી મુશ્કેલ જ નહીં પરંતુ નામુમકીન સમાન બની ગઈ છે. સાવન શુક્લાના પિતા પણ દુઃખના ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા છે..
તેઓ વારંવાર એક જ રટણ કરી રહ્યા છે કે, આખરે સાવનની કોઈ પણ વ્યક્તિ સાથે દુશ્મની ન હતી છતાં પણ તેને અજાણ્યા વ્યક્તિએ મોતને ઘાટ ઉતારી દીધો છે. આ બાબતને લઈને તેમના પરિવારને ચોક્કસ ન્યાય મળવો જોઈએ એટલા માટે તેઓ પોલીસ સ્ટેશનને હાજર થયા છે અને આ અજાણ્યા લોકો કોણ હતા અને શા માટે સાવન શુક્લાને મોતને ઘાટ ઉતારીને જતા રહ્યા છે..
તેની જાણકારી મેળવવા માટે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે. જતી આવી બેફામ ગુનાખોરીને ડામવા માટે શહેરનું તંત્ર કામગીરી તો કરી રહ્યું છે. પરંતુ આ કામગીરીમાં ક્યાંક ને ક્યાંક કચાશ રહેતી હોય તેવું લાગી રહ્યું છે. આ કચાસોને દૂર કરીને આ કિસ્સાને અત્યારે સુઈ જવામાં તંત્રના સૌ અધિકારીઓ ભારે મથામણ કરી રહ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]