અત્યારના સમયમાં લોકો પોતાના વાહનો પોતાના મોજ શોખ માટે ખૂબ જ ઝડપીમાં ચલાવી રહ્યા છે, ગમે તેવા ટ્રાફિક વિસ્તાર હોય છતાં પણ લોકો પોતાનું વાહન ધીમું ચલાવતા નથી અને તેના કારણે બનતી ગંભીર એવી ઘટના સામે આવી હતી. જે જાણીને દરેક લોકોના હૃદય પીગળી ગયા હતા. આ ઘટના મોરગાંવથી ઇસ્લામપુરના રસ્તા પર બની હતી.
રસ્તા પર એક યુવક સાથે અચાનક જીવલેણ ઘટના બની હતી. આ યુવકનું નામ વિનોદ સિંહ હતું. તેમની ઉંમર 19 વર્ષની હતી. તેમના પિતાનું નામ મિથુન કુમાર છે. વિનોદભાઈ બરદિહા મથપર મહોલ્લાના રહેવાસી હતા. વિનોદભાઈ ખેદાન વીઘા ગામમાં ગયા હતા અને તેઓ મૂર્ગાવથી ઇસ્લામપુર તેમના ઘરે પરત જઈ રહ્યા હતા.
ત્યારે રસ્તામાં તેના ખિસ્સામાં ₹100 ની નોટ હતી જેના કારણે તેમણે 100 રૂપિયાની નોટ પાકીટને બદલે તેમાં છૂટી મૂકી હતી, જેના કારણે ₹100 ની નોટ રસ્તા પર નીચે પડી ગઈ હતી. વિનોદભાઈએ રીક્ષા ઉભી રખાવી અને 100ની નોટ લેવા માટે ઉતર્યા હતા. તે સમયે વિનોદભાઈ પૈસા લેવા માટે જેવા નીચેની તરફ થયા કે,..
તરત જ પાછળની તરફથી એક ઝડપી સ્પીડમાં બાઈક આવી રહી હતી. બાઈક ચાલક ખૂબ જ ઝડપી તેમની બાઈક ચલાવી રહ્યો હતો, જેના કારણે તેણે વિનોદભાઈને ટક્કર મારી દીધી હતી. ટક્કર લાગતા વિનોદભાઈ રોડ પર પછડાઈ ગયા હતા અને બાઈક ચાલક ત્યારથી ભાગી ગયો હતો. વિનોદભાઈ સો રૂપિયાની નોટ પકડે તે પહેલા જ વિનોદભાઈને બાઈક ચાલકે ઉછાળી દીધા હતા.
જેના કારણે ઘટના સ્થળ પર આસપાસ રહેલા લોકો તરત જ ભેગા થઈ ગયા હતા અને તેમણે પોલીસને આ ઘટનાની જાણ કરી જેના કારણે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે એમ્બ્યુલન્સને બોલાવી અને વિનોદભાઈને સદર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ વિનોદભાઈ નું મૃત્યુ થઈ ગયું હતું.
જેના કારણે ઇસ્લામપુર પોલીસ આગળની તપાસ કરી રહી હતી અને તેમના પરિવારના લોકોને જાણ કરવામાં આવી ત્યારે પરિવારના લોકો આઘાત પણ આવી ગયા હતા. વિનોદભાઈનું મૃત્યુ થઈ જતા પરિવારના લોકોએ આ બાઈક ચાલક સાથે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ બાઇક ચાલકની તપાસ કરી રહી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]