ક્યારે કયા વ્યક્તિનું નસીબ બદલાઈને સાતમા આસમાને પહોંચી જાય જાનુ નક્કી હોતું નથી. કહેવાય છે કે, જે વ્યક્તિ સાચી દાનત અને સાચી નીતિથી કામકાજ કરે છે તેને ભગવાન એકને એક દિવસ જરૂર બમણી ગતિએ પ્રગતિ કરવામાં આશીર્વાદ પુરા પાડે છે અને ભગવાનના આશીર્વાદથી હંમેશા સાચી નીતિ ઉપર ચાલનાર વ્યક્તિ એકની એક દિવસ જરૂર સફળ વ્યક્તિ પણ બની શકે છે..
અત્યારે રોડ ઉપર કચરો વાળતી એક મહિલાનું નસીબ એવી રીતે રાતોરાત પલટી ગયું હતું કે, તેના દરેક સપના સાકાર થવા જઈ રહ્યા હતા. આ ઘટનાની હકીકત જાણીને તમારી અક્કલ પણ કામ કરતી બંધ થઈ જશે, આ મામલો રાણીઠા વિસ્તારનો છે. શહેરની પૂર્વ બાજુએ આવેલા આ વિસ્તારમાં સાફ-સફાઈ કરવા માટે વિક્રમ પાર્ક સોસાયટીની પાસે કમળા નામની મહિલા તેની ફરજ બજાવી રહી છે..
કમળા રોજબરોજ આ સોસાયટીના આસપાસના વિસ્તારોમાં સાફ-સફાઈ કરીને નગરપાલિકા પાસેથી પગાર લેતી હતી અને સફાઈ કરતી જોઈ દરેક વ્યક્તિ તેની મહેનતને શાબાશી આપતા કે, કમળાબેન ની મહેનતના કારણે આ સમગ્ર વિસ્તાર સાફ થઈ રહ્યો છે. તેમનું કામ હંમેશા ચોખ્ખું રહેતું અને ક્યારેય પણ કોઈ વ્યક્તિ તેના કામની ફરિયાદ કરી શકે તેવી છાપ તેમની ન હતી..
એક દિવસ તેઓ સવારે કચરો વાળી રહ્યા હતા, ત્યારે એકઠા કરેલા કચરાની અંદરથી તેમને એવી ચીજ વસ્તુ મળી આવી હતી કે જેનાથી તેઓ રાતો રાત કરોડપતિ બની ગયા હતા. પરંતુ તેની હકીકત જાણીને આસપાસના રહીશોના પણ ડોળા ફાટી ગયા હતા. કમળાબેને એકઠા કરેલા કચરાની અંદર એક ચળકાટમાંથી ચીજ વસ્તુ જોતાની સાથે જ તેઓએ કચરાનો ઢગલો ખોલી નાખ્યો હયો..
અંદર જોયું તો એક વિચિત્ર પ્રકારની જ્વેલરી મળી આવી હતી. તેમને એક વિશિષ્ટ ગોળાકારનું લોકેટ ચકદુ મળી આવ્યું હતું. જેની ઉપર ચારેકોર હીરા ચડેલા હતા. આ સાથે સાથે તેનો કલર પણ ખૂબ જ ફેન્સી હોય તેવું લાગતું હતું. આ જોતાની સાથે જ તેઓ ખુશ થવાને બદલે ચિંતામાં મુકાઈ ગયા કે, જો આ જ્વેલરી સાચી સોનાની તેમજ હીરાની હશે તો કોઈ વ્યક્તિ ખૂબ જ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયું હશે..
કારણ કે તેમની આટલી મોટી કિંમતની ચીજ વસ્તુ ખોવાઈ જવાનું દુઃખ હંમેશા દરેક વ્યક્તિઓને રહે છે. જો આ જગ્યાએ અન્ય કોઈ વ્યક્તિ હોત તો તેઓ આ ચીજ વસ્તુઓને ખીચામાં મૂકીને તેને વેચીને મોજ મજા કરી શકે, પરંતુ કમલાબેન હંમેશા સાચી નીતિ ઉપર ચાલવા વાળા વ્યક્તિ હોવાથી તેઓએ ત્યાં નજીકની એક સોનીની દુકાનમાં જઈ આ ચીજ વસ્તુ દેખાડી હતી..
અને આ જ્વેલરી શું છે? તે જાણવાની કોશિશ કરી, ત્યારે આ જવેલરી જોઈને સોનીની પણ આંખો ચમકી ઉઠી અને તે કહેવા લાગ્યા કે, આ જ્વેલરી અંદાજે બે થી અઢી કરોડ રૂપિયાની છે. કારણ કે આ સોનું એકદમ ફેન્સી કલરનું છે, આ ઉપરાંત તેના ઉપર સાચા 24 કેરેટના હીરા ચડાવવામાં આવ્યા છે..
હીરા અને સોનાની ખૂબ જ મોંઘી છે અને નક્કી આ જ્વેલરી વિદેશથી અહીં લાવવામાં આવી હશે. આટલી બધી કરોડોની કિંમતી જ્વેલરી કયા વ્યક્તિની હશે તેવો વિચારવા મજબૂર બની ગયા હતા. તેઓ પોલીસ સ્ટેશનને હાજર થયા અને ત્યાં જવેલરી જમા કરાવી દીધી હતી. અને કહ્યું કે, વિક્રમ પાર્ક પાસેના રોડ પાસેથી તેમને આ જ્વેલરી મળી આવી છે..
જે કોઈપણ વ્યક્તિની હોય તેને પરત આપવામાં આવે તેવી તેમની માંગ છે. એ જ સમયે પોલીસે પણ જણાવ્યું કે, તેમને શહેરના કરોડપતિ શેઠ તરફથી એક ફરિયાદ મળી છે કે તેમના દીકરાની વહુની ખૂબ જ ઈમ્પોર્ટન્ટ જ્વેલરી ખોવાઈ ગઈ છે. અને તેના ફોટોગ્રાફ્સ પણ તેઓએ રિપોર્ટમાં આપ્યા છે. આ ફોટોગ્રાફને જોવામાં આવ્યા ત્યારે આ જવેલરી તે ફોટોગ્રાફ સાથે સરખી આવતી હતી..
તેઓએ તરત જ આ કરોડપતિ શેઠને પોલીસ સ્ટેશનને બોલાવ્યા અને જણાવ્યું કે આ કચરો વાળતી મહિલાને તમારા દીકરાની વહુ ની ઈમ્પોર્ટન્ટ જ્વેલરી મળી આવી છે. જેની કુલ કિંમત અંદાજે બે કરોડથી અઢી કરોડ સુધીની હોવાનું જણાયું છે. આ કરોડપતિ સેઠ તેમના પરિવારજનોની સાથે પોલીસ સ્ટેશનને પહોંચી અને તેમને આ જ્વેલરી પરત આપવામાં આવી હતી..
આ શેઠ ખુશ થઈને કામવાળી મહિલા કમળાબેનને દસ લાખ રૂપિયા ઇનામ પેટે આપ્યા હતા અને કહ્યું કે તમે જે ઈમાનદારી દાખવી છે, તેનાથી તેઓ ખૂબ જ ખુશ થયા છે. આ જ્વેલરીની કિંમત અઢી કરોડની છે. પરંતુ તેઓ તેમને 10 લાખ રૂપિયા ઈમાનદારીને કારણે આપી રહ્યા છે..
જ્યારે જ્યારે આવી ઘટનાઓ બને ત્યારે શરૂઆતમાં તો સૌ કોઈ લોકોને હોશ ઉડી જતા હોય છે, કમળા બેને ઈમાનદારી દાખવી હતી એ બદલ સૌ કોઈ લોકો ખૂબ જ ખુશ થયા છે અને આ કરોડપતિ શેઠે કહ્યું કે બસ તમે આવી ઈમાનદારીથી જીવન જીવશો તો ભગવાન એક દિવસ તમને જરૂર ખૂબ જ મહાન અને સફળ વ્યક્તિ બનાવી દેશે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]