પતિ અને પત્ની વચ્ચે નાની નાની બાબતોમાં થતી મગજમારીઓ કોઈ વખત એવું મોટું સ્વરૂપ ધારણ કરી લે છે કે, બેમાંથી કોઈ એક વ્યક્તિનો જીવ પણ જતો રહેતો હોય છે. જ્યારે-જ્યારે આવી ઘટનાઓ બને છે. ત્યારે તેમના પાછળના પરિવારના સભ્યો માટે જિંદગી કાઢવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે..
કારણ કે તેઓ દુઃખની આ ઘડીને સહન કરી શકતા નથી. અત્યારે કંઈક આ પ્રકારનો જ એક બનાવ બની જવાબ આવ્યો છે. આ ઘટના ભરતપુરની છે. અહીં દિલ્હી મુંબઈ રેલ્વે લાઈન ઉપર સાંજના સમયે એક મહિલાની છુંદાઈ ગયેલી લાશ મળી આવી હતી. આ લાશને જોતાં જ્યાંથી કેટલાક લોકોએ પોલીસને જાણકારી આપી હતી કે, અહીં એક મહિલા મૃત હાલતમાં મળી આવી છે..
પોલીસનો કાફલો તરત જ આ રેલ્વે લાઈન ઉપર ગયો હતો અને જરૂરી તપાસ શરૂ કરી હતી. તપાસ કરતા કરતા જ્યારે વાતના મૂળ સુધી પહોંચ્યા ત્યારે ખબર પડી કે આ મહિલાનું નામ કલ્પના છે. કલ્પનાના લગ્ન આજથી બે વર્ષ પહેલાં શિવ નગર કોલોનીમાં રહેતા સત્વીર નામના યુવક સાથે થયા હતા. સતવીર પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકેની ફરજ નિવાવતો હતો.
આ લગ્નજીવન દરમ્યાન શરૂઆતમાં થોડા દિવસ સુધી ઘરસંસાર એકદમ સરસ ચાલ્યો પરંતુ ધીમે ધીમે કલ્પનાને તેના સાસુ સસરા મહેણા મારવા લાગ્યા હતા. તો સત્વીર પણ તેના ઉપર હાથ ઉપાડી લેતો હતો. પોતાના પતિની મારપીટથી કંટાળીને કલ્પના પોતાને પિયરે રિસામણે રેહવા આવી ગઈ હતી..
થોડા દિવસ બાદ પરિવારજનોને થયું કે, હવે કલ્પના ક્યારેય પણ તેમના સાસરીયે પરત આવશે નહીં. એટલા માટે તેઓએ સમાધાન કરવા માટે કલ્પનાના દિયરને સાસરેથી પીયર મોકલ્યો હતો. કલ્પનાનો દિયર કુલદીપ તેની સાથે અન્ય બે થી ત્રણ વ્યક્તિઓને લઈને આવ્યો હતો. જ્યારે તેઓ સમાધાન કરવા માટે અહીં આવી પહોંચ્યા ત્યારે કલ્પનાના ઘરે અન્ય કોઈ વ્યક્તિ હાજર હતું નહીં..
એવામાં કલ્પનાના દીયરે કલ્પનાને ધમકી આપવાની શરૂ કરી દીધી હતી કે, જો તું સાસરીયે પરત નહીં આવે તો તને જાનથી મારી નાખીશ તો બીજી બાજુ કલ્પનાએ કહી દીધું હતું કે, સત્વીરને અન્ય કોઈ મહિલા સાથે ગેર સંબંધો છે. આ સંબંધોથી હું રાજી નથી એટલા માટે હું ક્યારેય પણ સાસરીય પરત આવવાની નથી.
બસ આ શબ્દો સાંભળતાની સાથે તેનો દિયર ખૂબ જ ગુસ્સે ભરાયો હતો. અને ન બોલવાના શબ્દો બોલીને ત્યાંથી નીકળી ગયો હતો. ત્યારબાદ થોડા દિવસ પછી તે પરિવાર પોતાની ભાભી કલ્પનાને તેડવા માટે તેના પિયરે આવી પહોંચ્યો હતો અને આ વખતે તે જબર જસ્તીથી પોતાની ભાભીને પોતાની સાથે લઈને જવા લાગ્યો હતો..
એવા રસ્તામાં કોઈ વાતને લઈને ફરી પાછો લડાઈ ઝઘડો શરૂ થઈ ગયો હતો. આ ઘટનામાં કુલદીપ તો હોશ ગુમાવી બેઠો અને નજીકમાંથી પસાર થતી રેલવે લાઇનની નીચે તેની ભાભી કલ્પનાને ફેંકી દીધી હતી અને ત્યાંથી પસાર થતી ટ્રેનમાં કલ્પના છુંદાઈ ગઈ હતી અને તેનું મૃત્યુ થયું છે.
આ તમામ ઘટનાઓ જ્યારે સામે આવી ત્યારે તરત જ કલ્પનાના માતા પિતાએ તેના સાસરિયાના લોકો સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં કલ્પનાના પતિ ઉપર મારપીટ કરીને શારીરિક ત્રાસ ગુજારવાનો આરોપ તેમજ તેના સાસુ સસરા ઉપર મેણા ટોણા મારવાનો અને તેને આપઘાતના પ્રયાસ તરફ દોરવાનો આરોપ લગાવ્યો છે..
આ સાથે સાથે કુલદીપ એ તેને મોતને ઘાટ ઉતારી હોવાથી કુલદીપ ઉપર પણ કાયદેસરની કાર્યવાહીઓ કરવામાં આવી રહી છે.એક દિયરે તેની ભાભીને ગુસ્સામાં આવીને મોતને ઘાટ ઉતારી દીધી છે. અત્યારે માત્ર એક નાના અમથા ઝઘડાને લઈ સમગ્ર પરિવાર બરબાદ થઈ જવા પામ્યો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]