Breaking News

રીસામણે ગયેલી પત્ની સાસરીયે પાછી ન આવતા ખેડૂતે જીવડા મારવાના ટીકડા પીઈને જીવન ટૂંકાવી દીધું, હૈયું ધ્રુજાવતો કિસ્સો..!

પતિ અને પત્ની વચ્ચેનો સંબંધ ખૂબ જ નાજુક હોય છે. પતિ અને પત્ની બન્ને સમજદાર હોય તો ઘર બહુ સારી રીતે ચાલે છે. પરંતુ જો બંનેમાંથી કોઈ એક વ્યક્તિનું મન દરેક બાબતોને લઈને ઊંધું ચાલતું હોય તો બંને વચ્ચે અવારનવાર ઝઘડાઆવો થતા હોય છે. એવા આપણે ઘણા બધા કિસ્સાઓ જોયા છે.

જેમાં પતિ અને પત્ની વચ્ચે સુમેળ ન હોવાને કારણે ઝઘડાઓ થવા લાગે છે. અને ત્યારબાદ વાત છૂટાછેડા અને આપઘાત સુધી પણ પહોંચી જતી હોય છે. હાલ આ પ્રકારની ઘટના રાજકોટ શહેરના કુવાવડા ગામમાંથી સામે આવી છે. જ્યાં ખેતી કરીને જીવન ગુજારતા પ્રવીણભાઈ ગોરધનભાઈ સોજીત્રા નામના ખેડૂતે પોતાની પત્નીના વિરહના કારણે આપઘાત કરી લીધો છે.

હકીકતમાં પ્રવીણ ભાઈના લગ્ન થયા ત્યાર બાદ થોડા જ સમયમાં તેમની પત્ની સાથે અવારનવાર નાની નાની બાબતોને લઇને ઝઘડાં થતાં હતા. પત્ની ખૂબ જ ગુસ્સે ભરાઈ જતી હતી. તેમજ વારંવાર રિસામણે જવાની વાત કરતી હતી અને એક દિવસ ઝઘડો થતાંની સાથે જ તે પોતાના માતાપિતા પાસે રિસામણે જતી રહી હતી..

તો બીજી બાજુ પ્રવીણભાઈ ગોરધનભાઈ સોજીત્રા ખૂબ જ એકલા પડી ગયા હતા. તે રોજ રોજ રિસામણે ગયેલી તેમની પત્નીની રાહ જોઇને બેઠા હતા કે તે આજે આવશે અને કાલે આવશે… પરંતુ તેમની પત્ની રીસામણેથી પરત ન આવતાં તેમને ખૂબ જ માઠું લાગી ગયું હતું. અને એક દિવસ તેઓએ આપઘાતનું પગલું ભરી લીધું હતું.

જેના કારણે પરિવારજનોના મોઢા ફાટેલા રહી ગયા છે. કુવાવડા ગામના ખેડૂતે ખેતરમાં છાંટવાની જંતુનાશક ઝેરી દવા પી લીધી હતી. આ દવા પીતાની સાથે જ તેમના શરીરનું સ્વાસ્થ્ય કથળી ગયું હતું. શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી. આ બાબતની જાણ પરિવારજનોને જાણ થઈ કે પ્રવીણભાઈ તેમની સામે ગયેલી પત્નીના વિરહમાં જંતુનાશક દવા પી લીધી છે..

એટલે તેઓ તરત જ કુવાવડાની હોસ્પિટલમાં તેમને સારવાર માટે લઈ ગયા હતા. પરંતુ ત્યાં થોડી સારવાર ચાલ્યા બાદ તરત જ પ્રવીણભાઈ જીવ ગુમાવી દીધો હતો. આ બનતાની સાથે જ કુવાવડા પોલીસ મથકના પણ ત્યાં દોડી આવ્યા હતા. લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી..

અને ત્યારબાદ પરિવારજનોની પૂછતાજ પણ કરવામાં આવી હતી. જેમાં પરિવારજનોએ જણાવ્યું કે પ્રવીણભાઈ ખેતી કરીને પરીવારનું ગુજરાન ચલાવે છે. તેમના લગ્ન થયા એ પછીથી પતિ અને પત્ની બંને નો સ્વભાવ કંઈક જુદો જ જોવા મળ્યો હતો. અને તેમની વચ્ચે ખૂબ જ ઝઘડાઓ ઉત્પન્ન થતા હતા.

આ ઝઘડાઓ થોડા દિવસની અંદર જ બંધ થઈ જશે એમ વિચારીને તેઓનું લગ્નજીવન ચાલતું હતું. પરંતુ ઝઘડા બંધ થવાનું નામ લેતા હતા નહીં અને એક દિવસ તેમની પત્ની રીસામણે જતી રહી હતી. લાંબા સમય બાદ પણ તે પોતાના સાસરિએ પરત ન આવતાં પ્રવીણભાઈનો ખૂબ જ માઠું લાગી ગયું હતું..

એના કારણે તેઓએ લોકો સાથે બોલવાનું બંધ કરી દીધું હતું. અને એકલા એકલા મનમાં ઘુમરાયા કરતા હતા. અને એક દિવસ તેઓએ જંતુનાશક દવા પીને આપઘાત કરી લેતાં જ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે. જ્યારે પરિવારજનો શોકમગ્ન થયા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *