હાલના સમયમાં પરિવારમાં રહેતા પતિ-પત્ની નાની નાની વાતને લઈને ઝઘડાઓ કરે છે અને તેમાં પતિ પત્નીને કારણે પરિવારને ઘણી બધી મુશ્કેલીઓ સહન કરવી પડે છે ત્યારે પતિ-પત્ની કંટાળીને તેમના જીવ પણ ગુમાવી રહ્યા છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના અયાના વિસ્તારના સિહૌલીમાં બની હતી.
જેમાં એક પરિવારના યુવકે પોતાના જીવને જોખમમાં મૂક્યો હતો. સિહોલીના રહેવાસીએ પરિવારમાં લખન દોહરા નામના યુવક રહે છે. લખનભાઈ તેમના દીકરા અને દીકરાના પરિવાર સાથે રહે છે. લખનભાઈના દીકરાનું નામ સત્યેન્દ્રભાઈ લખનભાઈ દોહરા હતું. સત્યેન્દ્રભાઈની ઉંમર 28 વર્ષની હતી. સત્યેન્દ્રભાઈને પરિવારમાં ત્રણ બાળકો હતા.
સત્યેન્દ્રભાઈની પત્ની ભરથાણા જિલ્લામાં આવેલા ઇટાવા ગામની હતી. સત્યેન્દ્રભાઈને સંતાનમાં ત્રણ દીકરા હતા, જેમાં ત્રણે દીકરાનું નામ રિતેશ, અભિષેક અને ગુનગુન છે. સત્યેન્દ્રભાઈની પત્નીનું નામ ખુશ્બુ છે. પરિવાર ખૂબ જ રાજી ખુશીથી રહેતું હતું. પરંતુ થોડા સમયથી બંને પતિ-પત્ની વચ્ચે નાની નાની વાતને લઈને ઝઘડાઓ થતા હતા.
જેના કારણે ખુશ્બુ કંટાળીને પોતાના પિયર જતી રહી હતી અને તેમની પતિ અને બાળકોને સાસરે જ મૂકીને પોતાના પિયર રહેવા જતી રહી હતી. ત્યારબાદ સત્યેન્દ્રભાઈએ તેમની પત્નીને વારંવાર મનાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ પત્નીના પિયરીયાઓ સત્યેન્દ્રભાઈને વારંવાર ધમકીઓ આપતા હતા.
અને એકવાર તો તેઓ પોતાની પત્નીને મનાવવા માટે ગયા ત્યારે તેને માર પણ મારવામાં આવ્યો હતો. સત્યેન્દ્રભાઈને ગામમાંથી ચાલુ ખૂબ જ મુશ્કેલ અને શરમજનક લાગતું હતું કારણ કે તેમની પત્ની પિયર રિસામણે ગઈ હતી. જેના કારણે તેની ઈજ્જત ગઈ હોય તેવું તેને લાગી રહ્યું હતું. એક દિવસ તેઓ પોતાના ખેતરે જવા માટે નીકળ્યા હતા.
ત્યારે ગામની બહાર આવેલા વડના ઝાડ પર તેણે એવી ઘટના કરી નાખી કે ગામની ગામના દેવેન્દ્રભાઈ ની પત્ની દરરોજ ખેતરે જવા માટે નીકળતી હતી અને તે દરરોજની જેમ આ દિવસે પણ ખેતરે જવા માટે નીકળી ત્યારે તેમણે વડના ઝાડ પર જોઈને બૂમ પાડી બેઠી હતી. જેના કારણે દેવેન્દ્રભાઈએ જોયું તો વડના ઝાડ પર સત્યેન્દ્રભાઈ લટકી રહ્યા હતા.
સત્યેન્દ્રભાઈએ આપઘાત કરી લીધો હતો જેના કારણે તરત જ દેવેન્દ્રભાઈએ ગામના લોકોને અને લખનભાઈને આ ઘટનાની જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતા જ ગામના લોકો અને પરિવારના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ત્યારબાદ પોલીસને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. જેને કારણે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી..
તમામ તપાસને હાથ ધરી હતી. પોલીસે તપાસ કરતા સમયે જાણવા મળ્યું કે પત્નીના રિસામણે જવાને કારણે સત્યેન્દ્રભાઈ ત્રાસમાં રહેતા હતા. સત્યેન્દ્રભાઈના પિતા લખનભાઈએ ખુશ્બુના પિયરના લોકો સામે ફરિયાદ નોંધાવી હતી કે તેઓ વારંવાર સત્યેન્દ્રભાઈ પર અત્યાચાર કરતા અને તેને વારંવાર ધમકીઓ આપતા હતા. જેના કારણે કંટાળીને સત્યેન્દ્રભાઈ આ પગલું ભર્યું છે. પોલીસ આગળની તપાસ રજૂ કરી રહી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]