Breaking News

રિસામણે ગયેલી પરિણીતાને જેઠે કહ્યું, ભાઇ સાથે રહેવું ન હોય તો મારી પાસે આવી જા.. અને મહિલાએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ.. વાંચો..!

ગુજરાતમાં ફરી એક વાર પારિવારિક સંબંધોને શરમમાં મૂકી દે તેઓ કિસ્સો સામે આવ્યો છે. આ કળિયુગ ના સમયમાં સંબંધોમાં લોકો મર્યાદા તોડી ને હદ પાર કરી ચુક્યા છે. અમરાઈવાડીમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જે સાંભળીને તમારા રુંવાડા બેઠા થઈ જશે.

અમરાઇવાડીમાં રહેતી પરિણીતાને તેના જેઠે કહ્યું કે, મારા ભાઇના ઘરે ન રહેવું હોય તો તું મારી પાસે આવી જા. જેથી પરિણીતાએ જેઠને બે લાફા માર્યા હતા. આ ઉપરાંત પતિ, જેઠ, નણંદ સહિત સાસરિયાઓના ત્રાસથી કંટાળીને ઉંદર મારવાની દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

હોસ્પિટલમાંથી પરિણીતાને રજા આપતા અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં પતિ સહિત સાસરિયા સામે ફરિયાદ નોંધાવી છે. અમરાઇવાડી વિસ્તારમાં રહેતી મહિલાએ 7 વર્ષ પહેલા નિકેશ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના છ મહિના બાદથી પતિ, જેઠ અને નણંદ ત્રણેય ભેગા મળીને પરિણીતાને દહેજ મામલે મ્હેણાટોણા મારતા હતા.

આ ઉપરાંત પતિ અને નણંદ ઘરની નાની નાની વાતે ઝઘડો કરીને પરિણીતાને ત્રાસ આપતા હતા. જેથી પરિણીતા પિયર રહેવા જતી રહી હતી. પતિને અવાર નવાર તેડવા આવવા માટે પરિણીતા જાણ કરતા પતિ કહેતો કે, તારે ઘરે આવવું હોય તો તારે પિયરમાંથી રૂપિયા અને સોના ચાંદીના દાગીના લઇને આવવા પડશે.

શનિવારે બપોરે પરિણીતા દૂધ લેવા માટે ઘરેથી નીકળી હતી ત્યારે રસ્તામાં પરિણીતાને તેનો જેઠ મળ્યો હતો. આથી જેઠે પરિણીતાને કહ્યું કે, મારે મકાન બનાવવું છે તો તારા પિયરમાંથી પૈસા લઇ આવ અથવા મને અત્યારે  રૂ.10 હજાર આપ. આટલું જ નહીં જેઠે પરિણીતાને કહ્યું કે, મારા ભાઇના ઘરે તારે રહેવું ન હોય તો મારી સાથે આવી જા.

જેથી પરિણીતા ઉશ્કેરાઇને જેઠને બે લાફા ઝીંક્યા હતા. પતિ સહિત સાસરિયાના ત્રાસથી કંટાળીને પરિણીતાએ ઉંદર મારવાની દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેથી  પરિવારજનો પરિણીતાને તાત્કાલિક એલજી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા હતા.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *