જો લાંબો સમય જીવન જીવવું હોય તો શરીરના સ્વાસ્થ્યનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. ગમે તેવી ચીજ વસ્તુ ખાઈ લેવાને કારણે શરીરમાં બીમારીઓ પ્રવેશે છે અને ગંભીર બીમારીઓ થતા જ આયુષ્ય ધીમે ધીમે ઘટવા પણ લાગતું હોય છે. અત્યારે આવી ઉપર મુસાફરી કરતા એક પરિવારજનોની સાથે ઘટના બની ચૂકી છે..
આ બનાવ ભાગલપુર સારેજ હાઇવેનો છે. આ હાઇવે ઉપર ઘણા બધા ઢાબાઓ આવેલા છે. જ્યાં હાઇવે ઉપરથી પસાર થતા મુસાફરો રોકાઈને ભોજન લેતા હોય છે. હાઈવે ઉપરના ઢાબામાં મળતું ચટાકેદાર ભોજન ખાવાના ઘણા બધા લોકો ખૂબ જ શોખીન હોય છે. પરિતોષભાઈ નામના જ્વેલરીના વેપારી અહીં શિવ શક્તિ નામના ઢાબા ઉપર રોકાયા હતા..
પરિતોષભાઈની પત્ની હેમાલીબેન તેમજ તેનો મોટો દીકરો સુભાષ અને નાની દીકરી સાક્ષીની સાથે હાઇવે ઉપરથી મુસાફરી કરીને તેમના સંબંધના ઘરે જઈ રહ્યા હતા, એવામાં બપોરના સમયે સૌ સભ્યોની ભૂખ લાગી હોવાથી તેઓ હાઇવે ઉપરના ઢાબામાં રીંગણાનું ભડથું ખાવા માટે ઊભા રહ્યા હતા..
આ ઢાબા ઉપરથી તેઓએ ઓર્ડર આપ્યો હતો અને ઓર્ડર આપવાની સાથે જ તેમની પ્લેટમાં રીંગણાનું ભડથું રોટલો સહિતની ચીજ વસ્તુઓ પીરસી દેવામાં આવી હતી. વધારે પડતી ભૂખ લાગી હોવાથી પરિતોશભાઈના દીકરા અને દીકરીએ જમવાનું શરૂ કરી દીધું પરંતુ જ્યારે પરીતોશભાઈની પત્ની હેમાલીબેન રીંગણાના ભડથાને મોઢામાં મુકવા જઈ રહ્યા હતા..
ત્યારે એવું દ્રશ્ય જોઈ લીધું હતું કે, જોતાની સાથે જ તેઓ ચીસો નાખી ગયા અને તેમને ઉલટીઓ થવા લાગી હતી. આ ઉપરાંત તેમના બાળકો પણ આ દ્રશ્ય જોઈને ઉબકાઓ કરવા લાગ્યા હતા. આ ઢાબા ઉપર આ પરિવારજનોને ઉલટી કરતા જોઈને ત્યાં જમી રહેલા અન્ય લોકો પણ હચમચી ગયા હતા અને શું થયું છે તે જાણવા લાગ્યા હતા..
રીંગણાના ભડથાની અંદર મરી ગયેલી ગરોળી જેવી જીવાંત દેખાય આવી હતી, આ દ્રશ્ય જોતા જ તેમનો મગજનો પિત્તો હલી ગયો અને તેમણે તેમના પતિને જણાવ્યું કે, આ પ્રકારનું ભોજન આપણે ક્યારે પણ ખાવું જોઈએ નહીં. કારણ કે, આ રીંગણાના ભડથાની અંદરથી ખૂબ જ ચોંકાવનારી ચીજ વસ્તુ મળી આવી છે..
જેને જોતાની સાથે પરિતોષભાઈના પણ હોશ છૂટી ગયા હતા અને તાત્કાલિક ધોરણે આ ઢાબામાં તેઓએ હંગામા મચાવી દીધો હતો. જ્યારે જમી રહેલા અન્ય વ્યક્તિઓને ખબર પડી કે, રીંગણાંના ભડથાની અંદરથી મરેલી જીવાંત દેખાઈ આવી છે, ત્યારે તેઓએ પણ જમવાનું પડતું મૂકીને ઢાબાના માલિકને ખખડાવી નાખ્યો હતો..
ખાવાની ચીજવસ્તુની અંદર મરેલી જીવાંતો મળી આવી છે, જે પેટની અંદર જતાની સાથે જ ફૂડ પોઝિશનિંગ જેવી સ્થિતિને પણ સર્જી નાખે છે. અને કોઈ વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. કોઈ વ્યક્તિના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરવો એ કોઈ વ્યક્તિનો અધિકાર નથી, આ ઘટનાની કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને અહીં કેવી રીતે ખાવાનું આપવામાં આવે છે તેની પણ માહિતી મેળવી લેવી જોઈએ..
પરીતોશભાઈ અને ઢાબા ઉપર રહેલા અન્ય વ્યક્તિઓએ ભેગા મળીને આ ઘટનાની જાણકારી ત્યાં નજીકના ફૂડ તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓને આપી હતી કે, આ હાઈવે ઉપર રહેલા શિવ શક્તિ ઢાબામાં ખૂબ જ હલકી ગુણવત્તા નું ખાવાનું પીરસવામાં આવે છે અને અહીં પીરસેલા રીંગણના ભડથાની અંદર તો ગરોળી જેવી મરેલી જીવાંતો દેખાઈ આવી છે..
ફૂડ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ તાત્કાલિક ધોરણે અહીં આવી પહોંચ્યા હતા અને તપાસ ચલાવી તો ખાવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ દેખાઈ આવી હતી, તાત્કાલિક ધોરણે ઢાબામાં રહેલા તમામ સામગ્રીને નાશ કરવામાં આવી હતી અને તેનું લાઇસન્સ પણ રદ કરી દેવામાં આવ્યું છે..
કોઈ વ્યક્તિના સ્વાસ્થ્ય સાથે સાથે ખીલવાડ કરવો એ યોગ્ય વાત નથી, આ ઉપરાંત ઢાબાનો માલિક દરેક ચીજ વસ્તુ ખૂબ જ સસ્તી વેચતો હોવાથી ત્યાં ખાવા માટે લોકો પડાપડી બોલાવી દેતા હતા ભાગલપુર હાઇવે પાસેના શિવ શક્તિ ઢાબામાં અત્યારે હચમચાવી દેતી ઘટના બની જતા સૌ કોઈ આવી જગ્યાએ આપેલા વિચાર કરવો જોઈએ..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]