Breaking News

રીક્ષામાં બેસીને લગ્નમાંથી ઘરે પરત આવતા પરિવારને કાળ ભરખી ગયો, અકસ્માત થતા ત્રણ બાળકો અને માં-બાપ સહીત કુલ 5 લોકોના મોત.. ઓમ શાંતિ..!

રોજબરોજ રસ્તા ઉપરથી પસાર થતાં લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. ઘરની બહાર પગલું મુકતા જ જીવ જોખમમાં મુકાઈ જાય છે. ક્યારે કોની સાથે શું બની જાય છે તે કોઈને પણ ખબર હોતી નથી. અચાનક બનતા દર્દનાક કિસ્સાઓ સામે આવી રહ્યા હોય છે. પરંતુ હાલમાં એવો એક કિસ્સો સામે આવ્યો હતો કે, જે જાણીને દરેક લોકોના મોઢામાંથી ચીસો નીકળી ગઈ હતી.

આ ઘટના વડોદરા શહેરના અટલાદર પાદરા રોડ પર સર્જાઇ હતી. એક રીક્ષા અને કાર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાઈ ગયો હતો. મોડી રાતના સમયે આખા પરિવારને કાળભરખી ગયો હતો. વડોદરા શહેરનો રહેવાસી નાયક પરિવાર સોખડા ગામમાં તેમના સગા સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગ હોવાને કારણે હાજરી આપવા માટે ગયો હતો.

પરિવારમાં પતિ-પત્ની અને તેમના ત્રણ બાળકો લગ્ન પ્રસંગમાંથી હાજરી આપીને પરત પોતાના ઘરે આવી રહ્યા હતા. પરિવારના યુવક અરવિંદભાઈ નાયક તેમની પત્ની કાજલબેન અરવિંદભાઈ નાયક પોતાની જિંદગી જીવી રહ્યા હતા અને તેમની દીકરી દ્રષ્ટિ અરવિંદભાઈ નાયક તેમજ દીકરો ગણેશ અરવિંદભાઈ નાયક અને તેમની સાથે બીજી દીકરી શિવાની અલ્પેશભાઈ નાયક મુસાફરી કરી રહ્યા હતા.

તેઓ રિક્ષામાં બેસીને સોખડાથી વડોદરા પોતાના ઘરે આવી રહ્યા હતા. તે સમયે મોડી રાતનો સમય થઈ ગયો હોવાને કારણે રસ્તા પર ભીડ ન હતી પરંતુ સામેની તરફથી એક કાર ચાલક ખૂબ જ ઝડપી સ્પીડમાં પોતાની કાર લઈને આવી રહ્યો હતો. રાતનો સમય હોવાને કારણે અચાનક જ કાર ચાલકે પોતાની કાર પરનું કાબૂ ગુમાવ્યું હતું.

જેના કારણે કારસિદ્ધિ આવીને રીક્ષા સાથે અથડાઈ હતી. રિક્ષા સાથે કાર અથડાતા જ રિક્ષા ના કુચે કુચા થઈ ગયા હતા અને તેમાં બેઠેલા પરિવારના પાંચેય લોકો ને કાળભરખી ગયો હતો. અકસ્માત ખૂબ જ ભયાનક સર્જાયો હતો. અકસ્માત સર્જાતા જ લોકોના મોઢામાંથી ચીસો નીકળી ગઈ હતી.

આસપાસના સ્થાનિક લોકો તરત જ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને બચાવવા માટે દોડ્યા હતા. પરંતુ રિક્ષાના કુચેકુચા થઈ ગયા હતા. જેના કારણે રિક્ષાને જોતા જ રિક્ષામાં બેઠેલા લોકોનું જીવતા રહેવું મુશ્કેલ હોય તેવું લાગી રહ્યું હતું. ત્રણ લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયા હતા. રીક્ષામાંથી પરિવહનના લોકોને બહાર કઢાયા હતા.

પરંતુ જેમાં પતિ પત્ની અને એક બાળકનું ઘટના સ્થળે મૃત્યુ થઈ ગયું હતું. અને બે બાળકોને સારવાર માટે શહેરની એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ બંને બાળકોનું સારવાર દરમિયાન મૃત્યુ થઈ ગયું હતું. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. જેના કારણે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

અને તમામ તપાસને હાથ ધરી હતી. કારનો આગળનો ભાગ ભાંગી ગયો હતો. પરંતુ કારમાં બેઠેલા લોકોને કોઈ પણ ઈચ્છા થઈ ન હતી પરિવાર સાથે આવી ઘટના બની જતા તેમના સગા સંબંધીઓએ કારચાલક સામે ફરિયાદ નોંધાવી હતી પોલીસ આગળની તપાસ કરી રહી હતી. અચાનક પરિવાર પૂરો થઇ ગયો હતો. પરિવારે વિચાર્યું પણ નહી હોય તેની સાથે આવું બનશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *