Breaking News

રીક્ષામાં બેસીને ઘરે આવતા વડીલને જોકું આવી જતા નીચે ગોથું ખાઈ ગયા, માથું ફાટી જતા સર્જાઈ ગયો મોતનો માતમ.. ઓમ શાંતિ..

આજકાલ ઈમાનદારીથી નોકરી કરતા ખૂબ જ ઓછા લોકો જોવા મળે છે. બીજાની મદદ કરવા માટે હંમેશા તત્પર રહેતા વ્યક્તિ સાથે જ ક્યારેક જીવલેણ ઘટના બની જાય તો તેમના પરિવારના અને બીજા લોકોના જીવ અધ્ધર થઈ જાય છે. આવી જ એક બીજાની મદદ કરતા યુવક સાથે ગંભીર ઘટના બની હતી.

આ ઘટના ફિરોઝાબાદમાં આવેલા નાગલા સિંધી વિસ્તારના થાર ગામના રહેવાસી યુવક સાથે બની હતી. યુવકનું નામ માનસિંહ હતું. તેમની ઉંમર 56 વર્ષની હતી. માનસિંહ સુનહરી લાલ દક્ષિણ પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે પોતાની ફરજ બજાવતા હતા. તેઓ પોતાની ફરજ ખૂબ જ ઈમાનદારીથી નિભાવતા હતા.

એક દિવસ માનસિંહ પોતાની ફરજ પૂરી કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. તેઓ પોતાના પરિવાર સાથે રહેતા હતા. હોમગાર્ડ જવાન પાસે પોતાની પ્રાઇવેટ ગાડી ન હતી. જેના કારણે તેઓ ઓટો રીક્ષા દ્વારા પોતાના ઘરે દરરોજ આવતા જતા અને તેઓ ડ્યુટી પરથી નીકળીને તેઓ એક ઓટોરિક્ષામાં બેઠા હતા.

ઓટોરિક્ષામાં ઘણા બધા મુસાફરો હોવાને લીધે તેઓ ડ્રાઇવરની બાજુની સીટ પર બેસી ગયા હતા. ઓટો ચાલક ખૂબ જ ઝડપી સ્પીડમાં પોતાની ઓટો રીક્ષા ચલાવી રહ્યો હતો. તે સમયે માનસિંહને ઊંઘ આવતી હોવાને કારણે તેઓ ઊંઘમાં હતા અને અચાનક ખાડો આવી જતા ઓટોરિક્ષા ઉછળી હતી.

તે સમયે હોમગાર્ડ જવાન માન સિંહ પોતાની જગ્યા પરથી ઉછળીને ઓટોની બહાર રસ્તા પર પડી ગયા હતા. તેઓ રસ્તા પર પડતા જ તેને ખૂબ જ ઈજા થઈ પરંતુ રીક્ષા ચાલકે પોતાની રીક્ષા ઉભી રાખીને માનસિંહને બચાવવાને બદલે તે પોતાની રીક્ષા ઝડપી ભગાવીને ત્યાંથી ભાગી ગયો હતો. માન સિંહ રસ્તા પર ગંભીર હાલતમાં પડેલા હતા.

જ્યારે સ્થાનિક લોકોએ તેને રસ્તા પર પડેલા જોયા ત્યારે તરત જ એમ્બ્યુલન્સને ફોન કરીને બોલાવવામાં આવી અને માન સિંહને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ રસ્તામાં જ માન સિંહનું મૃત્યુ થઈ ગયું અને માનસિંહના ત્યારબાદ સ્થાનિક લોકોએ પોલીસને પણ આ ઘટનાની જાણ કરી હતી.

જેના કારણે પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તમામ તપાસને હાથ ધરી હતી. પોલીસે માનસિંહના કપડા પરથી તે હોમગાર્ડ હોવાની જાણ થતા તેમના પરિવારના લોકોને આ ઘટનાની જાણ કરી હતી. પરિવારને જાણ કરતા જ પરિવારના લોકો આઘાતમાં આવી ગયા હતા અને પરિવારમાં હાહાકાર મચી ગયો હતો..

ત્યારબાદ મોડી રાતે ગામમાં સંપૂર્ણ સન્માન અને માનથી તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હોમગાર્ડના પરિવારના લોકોને સરકાર તરફથી મદદ કરવામાં આવશે તેમ ખાતરી આપવામાં આવી છે અને પોલીસ હજુ આગળની તપાસ કરી રહી હતી. અચાનક રોડ પર પડી જતા હોમગાર્ડ જવાને પોતાનો જીવ ગુમાવ્યો હતો. તે પોતાના પરિવારથી દૂર થયા હતા. બીજા લોકોની મદદ કરતા યુવક સાથે જ આવી કરુણ ઘટના બની જતા પરિવારના લોકો ખૂબ જ રડી રહ્યા હતા.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *