કોઈપણ વ્યક્તિ પાસેથી ખાવાની વસ્તુઓ લેતા પહેલા 100 વખત વિચાર કરવા લાગશો તેઓ એક બનાવો હાલ એક વેપારી સાથે બન્યો છે. આ વેપારી મૂળ સુરતના ડભોલી કતારગામ વિસ્તારમાં રહે છે. અને છૂટક શાકભાજીનું વેપાર કરે છે. આ વર્ષે કેરીની સિઝનમાં તેઓએ નવસારીના એક વેપારી પાસેથી કેરીની ખરીદી કરી હતી..
જેની કુલ કિંમત 1.10 લાખ દસ હજાર રૂપિયા હતી. પરંતુ આ કિંમત તેણે બાકીમાં રખાવીને કેરી ઉધાર ખરીદી હતી. ત્યારબાદ તેઓએ પોતાનો બોલેરો પીકઅપ વન ઉપર લોન કરાવીને લોનના અઢી લાખ રૂપિયા પોતાના હાથ ઉપર લઇ લાખ રૂપિયા પોતાના મોટા પુત્રને આપ્યા હતા…
જ્યારે 1.10 હજાર રૂપિયા તેઓએ પોતાની પાસે રાખીને નવસારીના કેરીના વેપારીને દેવા માટે ઘરેથી નીકળ્યા હતા. તેઓએ એકપણ વાર વિચાર કર્યો હશે નહીં કે, આજે તેમની સાથે ખૂબ જ મોટો અણબનાવ બનવા જઈ રહ્યો છે. તેઓ સિંગણપુર વિસ્તારથી સુરતના બસ ડેપો તરફ જવા માટે નીકળ્યા હતા. આ સફર તેઓ રિક્ષા વડે કાપી રહ્યા હતા..
ત્યારે પરીક્ષામાં બેઠા ત્યારબાદ થોડી જ વારમાં બે વ્યક્તિ પણ તેમની સાથે રિક્ષામાં આજુબાજુ બેસી ગયા હતા. આ વ્યક્તિએ ફ્રીજમાંથી વિમલ પાન મસાલા કાઢી હતી અને ત્યારબાદ તેઓએ શાકભાજીના વેપારીને કહ્યું કે લ્યો આ મસાલો, તમારે ખાવો હોય તો… શાકભાજી ના વેપારીએ મસાલાના ભાઈબંધી નામે તેમની પાસેથી વિમલના થોડા દાણા લીધા અને પોતાના મોઢામાં મૂકી દીધા હતા..
ત્યારબાદ રીક્ષા ચાલકે સ્ટેશન વિસ્તાર પાસે મોહન મીઠાઈ નામની દુકાન આવેલી છે. ત્યાં રીક્ષા ઉભી રાખી અને આ બંને યુવકોને ત્યાંથી ઉતારી દીધા હતા. ત્યારબાદ શાકભાજીના વેપારીએ રિક્ષાવાળાને આપવા માટે ₹2,000ની નોટ ખીચામાંથી કાઢી હતી. પરંતુ રિક્ષા ચાલક પાસે છુટા પૈસા ન હોવાને કારણે તેઓએ વેપારીને છૂટા લેવા આસપાસની દુકાન પાસે મોકલ્યા હતા..
અને તેઓ છુટા લઇને પરત આવ્યા અને પોતાની પૈસા ભરેલી થેલી રિક્ષામાંથી બહાર કાઢીને જોયું તો તેની અંદરથી પૈસા ગાયબ હતા. રીક્ષા ચાલકે જણાવ્યું કે, કદાચ આ રૂપિયા પરીક્ષામાં બેઠેલા બંને વ્યક્તિઓએ લઈ લીધા હશે. તો બીજી બાજુ શાકભાજીના વેપારી એ જણાવ્યું કે તેઓએ મને જ્યારથી વિમલ ખવડાવી છે..
ત્યારથી તેઓનું મન કામ કરતું બંધ થઈ ગયું છે. અને તેઓ શું બોલતા હતા તેનું પણ ભાન રહ્યું હતું નહીં. એટલે કે તેઓ વિમલની અંદર ઘેની પદાર્થ ખવડાવીને 1.10 લાખ રૂપિયાની છેતરપિંડી કરીને ચાલ્યા ગયા હોય તેવું લાગે છે. આ બાબતને લઈને તેઓ તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચીને આ બંને યુવકો સામે ફરિયાદ નોંધાવી છે.
આ બનાવ બન્યા બાદ કોઈપણ અજાણ્યા વ્યક્તિ પાસેથી ખાવા પીવાની ચીજ વસ્તુઓ લેતા પહેલા તમે સો વખત વિચાર કરશો કારણ કે જો તમારી પાસે કિંમતી ચીજ વસ્તુ કે રોકડ રૂપિયા રહેલા હશે. અને તમે આવી ચીજ વસ્તુઓ ખાઈ લેશો તો કદાચ તેમાં જેની પદાર્થ ભેળવીને તમને બેભાન કરીને લૂંટવાના પ્રયાસ પણ ચલાવવામાં આવી રહ્યા છે. પોલીસ આવા રીટા ગુનેગારોને તાત્કાલિક ધોરણે પકડી પડશે અને કડકમાં કડક સજા આપશે તેવી સૌ કોઈ લોકોને આશા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]