માણસ સમય અને લોભમાં એટલો આંધળો થઈ જાય છે કે તેને એ પણ દેખાતો નથી કે કોણ પોતાનું છે અને કોણ પરાયું છે. આ લોભમાં તે એવો અપરાધ પણ કરે છે કે જેના વિશે કોઈ વિચારતું પણ નથી. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના નાગપુરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના ખુબ જ ગંભીર બની હતી.
આ ઘટના નાગપુરના શિવનગરની છે. જ્યાં એક પરિવારની દીકરી કિરણ અને તેનો પતિ વિજયે આ ઘટનામાં સામેલ હતા. પુત્રીએ તેના પતિ સાથે મળીને તેના જ પિતાની સાથે નિર્દયતાથી કર્યું હતું એવું કે લોકો જોઇને ગળગળા થઇ ગયા હતા. કિરણ અને તેના પતિ વિજય તિવારી કિરણના પિયરે આવ્યા હતા. કિરણના પિતાનું નામ માનસિંહ હતું.
તે સમયે કિરણ અને તેના પિતાનો માનસિંહ સાથે કોઈ નજીવી બાબતે ઝઘડો થયો હતો.જે એટલો વધી ગયો કે બંને પતિ-પત્નીએ મળીને તેને મારી નાખવાનું કાવતરું ઘડી નાખ્યું હતું. પિતાને રૂમમાં બોલાવીને પતિ-પત્નીએ માનસિંહની નિર્દયતાથી હ.ત્યા કરી નાખી હતી. પુત્રીએ જ તેના પિતા સાથે આવું ન કરવાનું કરી નાખ્યું હતું.
ત્યારબાદ બંનેએ પિતાના મૃતદેહને ધાબળામાં લપેટીને દીવાલમાં ઘણા દિવસો સુધી છુપાવીને રાખ્યો હતો. પછી એક દિવસ પતિ-પત્ની લાશને નિકાલ માટે લઈ જતા હતા. તેમના મૃતદેહને પતિ-પત્નીએ લાશને સૂટકેસમાં ભરીને રાતના સમયની આસપાસ એક ઓટો ડ્રાઇવરને 250 રૂપિયામાં બાંધીને લઈ જતા હતા.
ઓટો ચાલકનું નામ શ્રવણ હતું. શ્રવણને આ પતિ-પત્નીનું વર્તન જોઈને ઓટો ડ્રાઈવરને અજીબ લાગ્યું. તેણે બેગ ઉપાડવાની ના પાડી. ઓટો ચાલક શ્રવણ વારંવાર જોતો હતો કે મહિલાનો પતિ થોડા સમય પછી બેગ પર વારંવાર પરફ્યુમ છાંટતો હતો, ત્યારબાદ તેની શંકા થોડી વધી અને તેણે પેશાબ કરવાના બહાને ઓટો રોકી અને પોલીસને આ અંગે જાણ કરી હતી.
જ્યારે પોલીસ થોડી જ વારમાં સ્થળ પર પહોંચી હતી. બેગને બંને જણા પાસેથી જપ્ત કરવામાં આવી, ત્યારે તેમાં મૃતદેહ જોઈને બધા ચોંકી ગયા. આ પછી પોલીસ તપાસ આગળ વધી અને તેઓએ વિજય અને કિરણને શોધી કાઢ્યા. તપાસ બાદ જાણવા મળ્યું કે કિરણનો પતિ વિજય ગુનાહિત સ્વભાવનોહતો. તેની સામે પહેલાથી જ અન્ય ઘણા ગુનાહિત કેસ નોંધાયેલા હતા.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]