નાના-મોટા દરેક ધંધાની અંદર ખૂબ મોટું સાહસ રહેલું હોય છે. અમુકમાં પૈસા ગુમાવવાનું સાહસ હોય છે, તો અમુક ધંધામાં જીવ જતા રહેવાનું પણ સાહસ રહેલું હોય છે. અત્યારે જીવના જોખમ ઉપર નોકરી ધંધો કરીને પરિવારનું ઘર ચલાવવા માટે ઘણા બધા લોકો મજબૂર હોય છે. ક્યારે કયા વ્યક્તિનું મોત આવી જાય તેનું નક્કી હોતું નથી..
હરિયાણાના હિસારમાંથી અત્યારે એક દર્દનાક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક યુવકનું એવી રીતે મૃત્યુ થયું છે કે, તેના વિશે સાંભળતાની સાથે જ તમારા હાથ પગના રુવાટા એક બેઠા થઈ જશે. શિવાનંદ શાહ નામનો એક વ્યક્તિ મકાન બનાવતી વખતે બનાવવામાં આવતા રેતી કપચી અને સિમેન્ટના માલનું મશીન ચલાવે છે..
અને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેનો એકનો એક દીકરો કૃષ્ણ પણ તેની સાથે મજૂરી કામ કરવા માટે આવી જતો હતો. તેઓએ આઝાદ નગર વિસ્તારમાં એક મકાનનું કામકાજ રાખ્યું હતું. મકાનના માલિક સંજયભાઈએ સવારના સમયે જ આ તમામ લોકોને અહીં બોલાવી લીધા હતા. જેમાં શિવાનંદભાઈની સાથે તેમનો દીકરો કૃષ્ણ પણ આવી પહોંચ્યો હતો..
રેતી-કપચી અને સિમેન્ટનો માલ બનાવવા માટે લાવેલા મશીનને સંજય નામનો એક મજૂર ચલાવી રહ્યો હતો. પરંતુ તે ખુબ જ ખરાબ રીતે કામકાજ કરતો હોવાથી સૌ કોઈ લોકો તેને કહી કરી રહ્યા હતા કે, આપણે સૌ કોઈ લોકોએ સાથે મળીને ધીરજપૂર્વક વ્યવસ્થિત કામકાજ કરવાનું છે. જો તું મન ફાવે તેવી રીતે કામ કરવા લાગીશ તો કોઈ વ્યક્તિના જીવને જોખમ પણ રહે છે..
અને કદાચ એ વાત આગળ જતા સત્ય પણ બની છે. સંજય આ મશીનને ગમે તેમ ચલાવતો હતો, જ્યારે શિવાનંદભાઈનો દીકરો કૃષ્ણ આ મશીન પાસે રેતી કપચીના તગારા નાખવા માટે આવી પહોંચ્યો, ત્યારે તેના ગળામાં રહેલું મફલર રેતી કપચીના આ માલ બનાવવાના મશીનની અંદર ફસાઈ ગયું હતું..
અંદર રહેલી ચકરડીની અંદર મફલર ફસાઈ જવાથી કૃષ્ણના ગળામાં અચાનક જ આંચકો લાગ્યો હતો અને તેનું માથું પણ આ મશીનની અંદર ચાલ્યું ગયું હતું અને એક જોરદાર ચીખ સંભળાયા બાદ કૃષ્ણનું માથું ચુરમાની જેમ ફાટી ગયું હતું અને તેનું ત્યાંને ત્યાં જ મૃત્યુ થઈ ગયું હતું. તેનું માથું મશીનની અંદર ગોળ ગોળ ફરવા લાગ્યું હતું..
તેનું ધડ કપાઈને નીચે પડી ગયું હતું. જે લોકોએ ઘટના સ્થળે આ દ્રશ્યને જોયું તેમના માટે તો હોશ ઊડી ગયા હતા, કારણ કે ક્યારે પણ આ પ્રકારની ઘટના કોઈ વ્યક્તિ પોતાની નજર સામે જુએ છે. તો તેની હંમેશા નાની ઊંઘ ઊડી જતી હોય છે. મશીન ચલાવનાર સંજય નામના યુવકની ગેર રેતીના કારણે આજે કૃષ્ણનો જીવ ગયો છે..
જ્યારે આ ઘટના ઘટી ત્યારે તાત્કાલિક ધોરણે મકાન બનાવવાનું કામકાજને બંધ કરાવી દેવામાં આવ્યો હતો અને ઘટનાની જાણકારી નજીકના પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચાડી દેતા પોલીસનો કપલો કરના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં તેઓએ અકસ્માતમાં મૃત્યુનો બનાવ નોંધ્યો હતો અને આગળની તપાસ પણ શરૂ કરી છે..
જેમાં તેની સાથે કામ કરી રહેલા અન્ય મજૂરોના પણ નિવેદનોને નોંધવામાં આવ્યા છે. જરૂરી તપાસ કર્યા બાદ જ ખબર પડશે કે, સંજય નામના યુવક કે જે મશીન ચલાવતો હતો. તેની કારણે આ યુવકનો જીવ ગયો છે કે, પછી તે કૃષ્ણને મારવાનો ઇરાદો ધરાવતો હતો. આ તમામ બાબતો આગળની તપાસ ઉપર આધારિત છે. પરંતુ જ્યારે આ ઘટના બની ત્યારે ત્યાં ઉભેલા સૌ કોઈ લોકોના કાળજા ધમધમી ગયા હતા, કારણ કે આ એક દર્દનાક મૃત્યુનો બનાવ છે. જેને સહન કરવું કોઈ વ્યક્તિ માટે સહેલો નથી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]