Breaking News

રવિવારે બપોરે ટકરાશે ચક્રવાત ‘જવાદ’, આ વિસ્તારોમાં મચી જશે તબાહી.. NDRFની ટીમો તહેનાત.!

તાઉતે, યાસ, ગુલાબ અને શાહીન વાવાઝોડા પછી ભારતમાં હજી એક વાવાઝોડું ‘જવાદ’ ઓરિસ્સાના દરિયા કિનારે ટકરાવા જઈ રહ્યું છે. હવામાન વિભાગે જાણકારી આપતા જણાવ્યું હતું કે આ વાવાઝોડું ઓરિસ્સાના દરિયા કિનારા તરફ આગળ વધી રહ્યું છે. અને તેની દિશા પૂર્વ થી પશ્ચિમ તરફની છે…

એટલે કે ઓરિસ્સામાંથી પસાર થયા બાદ તે છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના પૂર્વીય ભાગોમા થઈને ગુજરાત તરફ આગળ વધશે.. ત્યાર બાદ તે પાકિસ્તાન તરફ ચાલ્યું જશે. આ વાવાઝોડું લગભગ સાતેક રાજયોમાં તબાહી મચાવવા માટે પહોંચી ગયું છે. વાવાઝોડાની ગતિ ઓછી નહીં થાય તો નુકસાનની માત્રા વધવાની સંભાવના રહેલી છે.

વાવાઝોડાની ગતિ ઓછી થઈ જાય તો તે દરિયામાં દરિયામાં જ ફંટાઈ જશે. જેથી વાવાઝોડાનો ખતરો ટળી જશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે અત્યારે અહીં વાવાઝોડું વિશાખાપટ્ટનમ થી 420 કિલોમીટર દૂર છે છતાં પણ આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાના દરિયા કિનારાના વિસ્તારોમાં 60 થી 70 કિલોમીટરની ઝડપે તોફાની પવન ફૂંકાઇ રહ્યો છે..

તેમ જ છેલ્લા બે-ત્રણ દિવસથી સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત જવાદ વાવાઝોડું રવિવારે બપોર સુધીમાં વિશાખાપટ્ટનમ ની નજીક પહોંચશે અને ત્યારબાદ તેને ભયંકર અસર શરૂ થઈ જશે. આ વાવાઝોડું જ્યારે જમીન પર પ્રવેશે ત્યારે તેના પવનની ઝડપ ૧૧૦ કિલોમીટર પ્રતિ કલાકે વધી જશે.. જેમ જેમ અંદર પ્રવેશતુ જશે તેમ તેમ તેના પવનની ઝડપ વધશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

આ વાવાઝોડાની મહત્તમ અસર રવિવારે સવારથી જોવા મળશે અને બુધવાર સુધી આ સ્થિતિનો અનુભવ થશે. વાવાઝોડુ બે રાજ્યોને પાર કરી દેશે ત્યારબાદ તેની તીવ્રતા ધીમે-ધીમે ઘટતી જશે. આ વાવાઝોડાને પગલે સ્કૂલ શાળા બંધ કરી દેવામાં આવી છે. તેમજ નિચાણવાળા વિસ્તારોમાંથી અથવા તો કાચા મકાનમાં રહેતા લોકોનું તાત્કાલિક ધોરણે સ્થળાંતરિત કરવામાં આવી રહ્યું છે.

તેમજ સાવચેતીના ભાગરૂપે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે. આ વાવાઝોડાને કારણે કોઈ પણ કુદરતી આફત આવી પહોંચી તેવી સ્થિતિને પહોંચી વળવા માટે ઓરિસ્સા આંધ્રપ્રદેશ તેમજ છત્તીસગઢ આ ત્રણ રાજ્યોની મળીને ટોટલ 46 NDRFની ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે.

જેથી કરીને કોઈપણ વ્યક્તિના જીવ જોખમમાં મુકાય. આ વાવાઝોડાની તૈયારીઓની માહિતી પીએમ મોદીએ પણ ગુરુવારની બેઠકમાં કરી હતી. તેમજ દરિયાકાંઠાના જિલ્લા અધિકારીઓને સતર્ક રહેવા માટે તેમજ ટીમોને એક આદેશ પર પહોંચી વળવા માટે આદેશ આપી દીધા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *