હંમેશા દરેક પરિવારમાં રહેતા પતિ-પત્ની વચ્ચે પારિવારિક ઝઘડાઓ થતા જોવા મળે છે પરંતુ હાલમાં એવો એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં પતિ-પત્ની વચ્ચે એટલો પ્રેમ હતો કે જેને કારણે બંને એકબીજા વગર રહી શકતા ન હતા. આ ઘટના જયપુરમાં આવેલા કોટપુટલી વિસ્તારમાં બની છે. સરાય મોહલ્લામાં ઝનાના હોસ્પિટલની સામે એક પરિવાર રહેતું હતું.
પરિવારમાં પતિ-પત્ની જ રહેતા હતા. પતિનું નામ રમેશ સુરેલીયા હતું અને તેમની ઉંમર 55 વર્ષની હતી અને તેમની પત્નીનું નામ સંતોષી દેવી હતું. તેમની ઉંમર 52 વર્ષની હતી. બંનેના લગ્ન થયા તેને ઘણા વર્ષો થઈ ગયા હતા પરંતુ બંનેને કોઈ સંતાન ન હતું. અને તેઓના પાડોશી પણ તેમની સાથે રહેતા ન હતા. પતિ-પત્ની એકલા જ રહીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
બંને પોતપોતાના કામો કરતા હતા અને એક જ ઘરમાં ખૂબ જ રાજી ખુશીથી રહેતા અને બંને વચ્ચે ખૂબ જ એક પ્રેમ હતો. બંને એકબીજા વગર રહી શકતા ન હતા. રમેશભાઈ ઘણા સમયથી કોટપુટલીની રામલીલામાં રાવણનું પાત્ર ભજવતા હતા. તેઓ ઘણા વર્ષોથી રામાયણમાં રાવણનું નાટકનું પાત્ર ભજવતા હતા.
અને તેમના પરિવારનો ગુજરાન ચલાવતા હતા અને તેની પહેલા તેઓ ટેક્સી ચલાવતા હતા. દરેક મુસાફરોને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડીને તેઓ પોતાની ફરજ બજાવતા હતા. સંતોષી દેવી તેમના પતિ સાથે ખૂબ જ સારી રીતે રહેતી અને પતિને આર્થિક મદદ પણ કરતી હતી. સંતોષી દેવી પોતાના જ ઘરે રસોઈ બનાવીને લોકોને ટિફિન પહોંચાડતી હતી.
અને તે પોતાનો ધંધો કરતી પરંતુ થોડા વર્ષોથી સંતોષી દેવી ખૂબ જ બીમાર રહેતા હતા. જેના કારણે તેમની કોટપુટલીમાં જ સારવાર ચાલી રહી હતી. એક દિવસ તેઓ સંતોષી દેવીની તબિયત ખૂબ જ બગડી હતી. જેના કારણે રમેશભાઈ તેમને જયપુરમાં આવેલી એસએમએસ હોસ્પિટલમાં લઈ ગયા હતા. અને ત્યાં ડોક્ટરોએ તપાસ કરતા સંતોષી દેવીની એવી બીમારી સામે આવી હતી.
કે જેને કારણે ડોક્ટરો પણ ગભરાઈ ગયા હતા. રમેશભાઈએ ડોક્ટરના હાથમાંથી ધ્રુજતા હાથે રિપોર્ટ લીધો અને ડોક્ટરને સંતોષી દેવીને શું થયાનું પૂછ્યું હતું. ત્યારે જે જણાવ્યું તે સાંભળીને રમેશભાઈ ત્યાંને ત્યાં જ આઘાતમાં બેસી ગયા અને તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ હોય તેવો આઘાત લાગી ગયો હતો.
ડોક્ટરોએ કહ્યું હતું કે, સંતોષી દેવીને કેન્સર જેવી બીમારી છે અને તેને કેન્સર છેલ્લા સ્ટેજમાં છે. જેને કારણે કંઈ પણ કહેવું ખૂબ જ મુશ્કેલ છે. રમેશભાઈ સંતોષી દેવીની સારવાર વિશે પૂછ્યું ત્યારે ડોક્ટરે જણાવ્યું કે તેમનું બચવું ખૂબ જ મુશ્કેલ છે. જેના કારણે બંને પતિ-પત્ની ત્યાંથી કોટપુટલી પોતાના ઘરે પાછા આવ્યા હતા.
ત્યારબાદ સંતોષી દેવીનું મૃત્યુ થશે તે વિચારીને રમેશભાઈ ખૂબ જ ચિંતિત રહેતા હતા. અને તેઓ પોતાની જિંદગીમાં એકલા થઈ જશે તેમ તેને લાગી રહ્યું હતું. જેના કારણે એક દિવસ બંને પતિ પત્નીએ સાંજે સાથે જમીને સુઈ ગયા ત્યારબાદ અચાનક મોડી રાતે જાગીને બંને પતિ પત્ની રડવા લાગ્યા હતા.
રમેશભાઈએ પોતાની આર્થિક કમાણીને ભેગી કરીને તેમના જ ઘરની સામે એક દુકાન ભાડે આપી હતી. આ ભાડે દુકાનમાં રામકુમાર નામનો યુવક ઘણા સમયથી મેડિકલ સ્ટોર ચલાવી રહ્યો હતો. રામકુમાર બંને પતિ પત્ની માટે દરરોજ સવારનું ખાવાનું લાવતા પોતાના ઘરેથી ટિફિન લઈને આવતા હતા અને બંને જણાને સવારનું ટિફિન આપતા હતા.
તેઓ દરરોજની જેમ ખાવાનું લઈને આવ્યા હતા અને રમેશભાઈ ખાવાનું દરરોજ પોતાના મેડિકલ સ્ટોરે થી લઈ જતા હતા. પરંતુ આ દિવસે રામકુમાર પાસે રમેશભાઈ આવ્યા નહીં જેના કારણે રામકુમાર રમેશભાઈના ઘરે ગયા ત્યારે રામકુમારે જે જોયું તે જોઈને તેમના હાથમાંથી ટિફિન પડી ગયું હતું. રામકુમારે બૂમ પાડી હતી.
જેના કારણે આસપાસના પાડોશીના લોકો પણ રમેશભાઈના ઘરે પહોંચી ગયા હતા, દરેક લોકોએ જોયું તો બંને જણાએ લટકીને આપઘાત કરી લીધો અને પોતાના જીવ ગુમાવી દીધા હતા. બંને જણામાં ખૂબ જ પ્રેમ હતો. જેના કારણે બંને એકબીજાને ગળે લગાડીને આપઘાત કરી લીધો હતો. ત્યારબાદ તરત જ પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.
જેના કારણે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ અને રૂમની તપાસ કરી હતી અને બંનેના મૃતદેહને પણ નીચે ઉતારવામાં આવ્યા હતા. રૂમની તપાસ કરતાં સમયે પોલીસને રૂમમાંથી એક ડાયરી મળી હતી. આ ડાયરીમાં દંપત્તિએ અંતિમ નોટ લખી હતી અને તેમાં લખ્યું હતું કે, ‘અમે અમારા જીવનથી હેરાન થઈને આપઘાત કરી રહ્યા છીએ,..
તેમાં કોઈનો વાંક નથી અને કોઈને પણ હેરાન કરશો નહીં, અંતિમ નોટમાં તેમણે પૈસાને લઈને થતી લેવડ-દેવડ, મિલકત અને તેમની પત્નીની કેન્સરની બીમારીને જણાવી હતી’ ત્યારબાદ પોલીસ આગળની તપાસ કરી રહી હતી. દંપતિએ પોતાનું ઘર બંધ કર્યું ન હતું અને દરવાજો પણ ખુલ્લો મૂકીને આ પગલું ભરી લીધું હતું. બંને દંપતીએ આ પગલું ભર્યું હોવાને કારણે પાડોશીના લોકો પણ ખૂબ જ આઘાતમાં આવી ગયા હતા.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]