Breaking News

રાત્રે ખેતરમાં પાણી વાળવા ગયેલા ખેડૂતની સાથે થયું એવું કે સવાર પડતા જ મચી ગયો ફફળાટ, પરિવાર ઉપર આફતો વરસી…!

લોકો પોતાના સ્વાર્થ માટે બીજા લોકો સાથે અવારનવાર મારામારી અને ઝઘડાઓ કરી રહ્યા છે. ઝઘડામાં ઉશ્કેરાઈ જઈને તેમના જીવ પણ લઈ રહ્યા છે, આવી ઘટનાઓમાં નિર્દોષ વ્યક્તિઓ સાથે બની જતા મૃત્યુ થઈ જાય તો તેમના પરિવારજનો મુશ્કેલીમાં મુકાઈ જાય છે અને પરિવારમાં વેરવિખેર થઈ જાય છે.

આવી એક ચોકાવનારી ઘટના સાયલાણા પોલીસ સ્ટેશન વિસ્તારના રતલામ પાસે બની હતી. ઘટના ખૂબ જ દર્દનાક બની જેના કારણે ગામના તમામ લોકો શોકમાં આવી ગયા હતા. સાયલાના ગોવર્ધનપુરા ગામમાં એક પરિવાર રહે છે. પરિવારમાં પતિ-પત્ની અને તેમના બાળકો રહેતા અને પરિવારના યુવક ખેતી કામ કરીને તેમના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

પરિવારમાં રહેતા પતિનું નામ રાજુભાઈ નાગજીભાઈ હતું અને તેમની ઉંમર 30 વર્ષની હતી. રાજુભાઈને સંતાનમાં 3 બાળકો હતા. જેમાં 1 દીકરી અને 2 દીકરા હતા. તેઓ પોતાના પરિવાર સાથે ખૂબ જ હળીમળીને રહેતા અને પોતાની જમીન પોતે વાવીને સારી એવી નીપજ લેતા હતા. ખેતીમાં પાકને પાણી આપવા માટે તેઓ દરરોજ સાંજે ખેતરે જતા હતા.

અને ખેતરમાં સિંચાઈ કરીને પાકને પાણી આપતા તેઓ રાબેતા મુજબ એક દિવસ પણ રાતના સમયે ખેતરમાં સિંચાઈ કરવા માટે ગયા હતા અને તેમની પત્ની તેમના  પિયરમાં રહેવા માટે ગઈ હતી. જેના કારણે તેઓ ઘરે એકલા હતા અને પોતાના ખેતરે ગયા તેમના બાળકો પણ પત્ની સાથે મામાના ઘરે ગયા હતા.

રાજુભાઈ ખેતરે ગયા ત્યારે તેઓ સાથે એવી ઘટના બની ગઈ કે જે જાણીને પરિવારના લોકો પર આભ ફાટ્યું હોય તેવું દુઃખ આવી પડ્યું હતું. રાજુભાઈ પોતાના ખેતરમાં સિંચાઈ કરી રહ્યા હતા તે સમયે તેમના ખેતરમાં અજાણ્યા લોકો આવ્યા હતા અને આ અજાણ્યા લોકો પોતાના હાથમાં ધારદાર હથિયારો અને કોઈ ભારે વસ્તુઓ લઈને આવ્યા હતા.

રાજુભાઈને સાથે તેઓ ઝઘડો કરીને રાજુભાઈને માર મારવા લાગ્યા હતા ગમે તેમ રાજુભાઈને માર મારવાને કારણે રાજુભાઈને શરીર પર અનેક જગ્યાએ ગંભીર ઘાયલ થયાના અનેક નિશાન થઇ ગયા હતા અને ખૂબ જ લોહી લુહાણ થઈ ગયા હતા. રાજુભાઈ બેભાન થઈને જમીન પર ઢળી પડ્યા હતા. જેના કારણે આ અજાણ્યા યુવકો ત્યાંથી ભાગી ગયા હતા.

સવાર થતા રાજુભાઈના ખેતરની બાજુમાં આવેલા ખેતરના લોકો ખેતરે પહોંચ્યા ત્યારે તેમણે જોયું તો રાજુભાઈ જમીન પર બેભાન હાલતમાં હતા અને લોહી લુહાણ હતા જેના કારણે તરત જ ગામના બીજા લોકોને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. ગામના લોકોએ સાયલા પોલીસને પણ આ ઘટનાની જાણ કરી હતી.

ત્યારબાદ રાજુભાઈના પરિવારના લોકોને રાજુભાઈ બેભાન અવસ્થામાં તેમના ખેતરે છે તેમ જાણ કરી હતી જેના કારણે પરિવાર ખેતરે પહોંચ્યું હતું ત્યારે તેમને જાણવા મળ્યું કે રાજુભાઈનું મૃત્યુ થઈ ગયેલું હતું. રાજુભાઈને ગામના કોઈપણ વ્યક્તિઓ સાથે કોઈપણ વિવાદ ન હતો અને તેઓ ખૂબ જ સરળ સ્વભાવના હતા.

પરંતુ તેમની સાથે આ ઘટના શા માટે બની તે વિચારીને પરિવારના લોકો રડી રહ્યા હતા સાયલાના પોલીસ આગળની તપાસ કરી રહી હતી અને આજાણ્યા યુવકો કોણ હતા તેમની તપાસ કરી રહી હતી. પોલીસને તપાસ કરતા રાજુભાઈના શરીર પર કાન પાસે અને દાઢી પર ઘા માર્યાના નિશાન મળ્યા હતા. રાજુભાઈના બાળકોએ પોતાના નીર્દોષ પિતાને ગુમાવ્યા હતા. જેના કારણે ગામના લોકો ખૂબ જ આઘાતમાં આવી ગયા હતા

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *