આખો દિવસ સુધી તનતોડ મહેનત કરીને રાત્રે સુખ ચેનની ઊંઘ લઈને દરેક લોકો સૂઈ જતા હોય છે, સવારે જાગીને એકદમ તાજા મજા ફરી પાછા પોતાના કામ ધંધે લાગી જતા હોય છે. રાત્રિના સમયે આપણી સાથે શું થઈ જાય તેનું પણ કશું નક્કી કહી શકાતું નથી, અત્યારે એક મહિલાના રાત્રે જમીને ખાટલા ઉપર સુઈ ગઈ હતી..
અને સવારે પરિવારે જાગીને જોયું તો મહિલા એવી હાલતમાં પડેલી હતી કે, જે જોઈને પરિવારના પણ મોતિયા મરી ગયા હતા. આ બનાવો કાંતિસા ગામનો છે, આ ગામની અંદર પ્રીતમનાથ ભાઈ તેમના પરિવાર સાથે રહે છે. તેમનું ઘર ગામના છેવાડે આવેલા ખેતર પાસે છે, ગામની હદ પૂરી થતાની સાથે જ પ્રીતમનાથ ભાઈનો ખેતર શરૂ થાય છે..
અને આ ખેતરમાં બનાવેલી ઓરડીની અંદર તેઓ પરિવારજનોની સાથે વસવાટ કરે છે, આખો દિવસ દરમિયાન સમગ્ર પરિવાર ખેતરની અંદર કામકાજ કરે છે અને રાત્રીના સમયે સાથે ભોજન લઈને તેઓ આ ઓરડીમાં જ સુઈ જતા હતા. રોજની જેમ સાંજના સમયે પ્રીતમનાથ ભાઈની પત્ની વનિતાબેન પણ ભોજન લઈને ખાટલા ઉપર સૂઈ ગયા હતા..
જ્યારે સવારે પ્રીતમનાથ ભાઈ જાગ્યા અને જોયું તો તેની પત્ની ખાટલા ઉપર ઢળેલી પડી હતી અને તેના મોઢામાંથી સફેદ કલરના ફીણ પણ નીકળી ગયેલા હતા, આ જોઈને પ્રીતમનાથ ભાઈને ખૂબ જ અજુગતું લાગ્યું અને તેઓને પણ પરસેવો છૂટવા લાગ્યો હતો, આસપાસના વાડી વિસ્તારની અંદર રહેતા લોકોને પ્રીતમનાથ ભાઈએ બુમ મારીને પોતાના ઓરડા પાસે બોલાવ્યા..
અને જણાવ્યું કે તેની પત્નીના મોઢામાંથી સફેદ કલરના ફીણ નીકળી ગયા છે, અને તે આંખો ખોલી રહી નથી. ગામના અન્ય વ્યક્તિઓને બોલાવીને તેમની પાસેથી ગાડીની મદદ લઈ વનિતા અને નજીકની હોસ્પિટલમાં પણ સારવાર માટે લઈ જવામાં આવી પરંતુ ત્યાં પહોંચતા જ ડોક્ટર એ જણાવી દીધું કે વનિતાનું મૃત્યુ થઈ ગયું છે..
અને કોઈ ઝેરીલી ચીજ વસ્તુઓ કરડી જવાને કારણે તેનું મૃત્યુ થયું હોય તેવું પ્રાથમિક તપાસમાં મળી આવ્યું છે, આ ઘટનાને લઇ ચારેકોર ચકચાર મચી જવા પામ્યો હતો. પ્રિતમનાથ ભાઈ તો ત્યાંને ત્યાં જ ઢળી પડ્યા અને ઊંડા વિચારમાં મુકાઈ ગયા કે, આખરે એવું તો શું થયું હશે કે તેમની પત્નીનો માત્ર એક રાતની અંદર જ જીવ ચાલ્યો ગયો છે..
અને ઘરમાંથી કોઈ પણ વ્યક્તિને આ વાતની ખબર પણ પડી નથી, તેમના બંને દીકરા પણ રડી રડીને બેહાલ થયા હતા. આ બંને બાળકોએ નાની ઉંમરમાં જ માતાની છત્રછાયા પણ ગુમાવી દીધી હતી, ઘટના આટલી બધી ચોકાવનારી સાબિત થઈ કે, લોકોના ટોળેટોળા પ્રીતમનાથ ભાઈના ખેતર સુધી પહોંચી આવ્યા હતા..
ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી ચલાવવા માટે પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો, હકીકતમાં વનિતાનું મૃત્યુ કોઈ ઝેરીલા જીવજંતુને ડંખ મારી લેવાને કારણે થયું છે કે, અન્ય કોઈ વ્યક્તિએ તેને જહેર આપીને મોતને ઘાટ ઉતારી નાખી છે, આ બાબતને લઈને તેઓ તપાસ ચલાવી રહ્યા છે..
મહિલાની લાશને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી છે, ત્યાંથી પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આ તમામ માહિતીઓનો ખુલાસો થઈ જશે હાલ પોલીસ પૂછપરછ કરી રહી છે. જેમાં વનિતાના પતિ ઉપર સૌ કોઈ લોકો શંકા ઠાલવી રહ્યા છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]