Breaking News

રાત્રે 1 વાગ્યે ટેમ્પા ચાલકને જોકુ આવતા ટેમ્પો 5 ગુલાટી મારીને ઝાડ સાથે અથડાતા કચ્ચર ઘાણ, સર્જાયો ગમખ્વાર અકસ્માત..!

રોજ રોજ અકસ્માતના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. અને તેમાં ઘણાં લોકોના મૃત્યુ પણ થાય છે. હાઈવે ઉપર ડ્રાઇવિંગ સમયે નાની અમથી ચૂક પણ ખૂબ મોટું પરિણામ ભોગવવા માટે મજબૂર કરી દે છે. અકસ્માતોમાં જીવ ગુમાવવો ખૂબ જ દર્દનાક બાબત છે. અકસ્માતનો ભોગ બનેલા લોકોના પરિવારજનો માટે આ દુઃખ સહન કરવું ખૂબ મુશ્કેલ છે…

ગઈકાલે રાત્રે આડેસર થી મહેસાણા તરફ જવાના રસ્તે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મહેસાણાના વિમલ ડેરીમાં દૂધ, દહીં અને છાશ નો વેપાર કરવામાં આવે છે. તેઓનો એક ટેમ્પો દૂધ, દહીં ,છાશ વગેરે જેવી ચીજવસ્તુઓ લઈને આડેસર ગયો હતો. જ્યાં માલ સામાનની સપ્લાય કરીને ઉઘરાણી કર્યા બાદ તેઓ સાંજના સમયે આડેસર થી મહેસાણા તરફ પરત ફરવા રવાના થયા હતા..

એ સમયે તેઓ સમી તાલુકા થી ત્રણ કિલોમીટર દૂર ઝીલવાણા ગામ નજીક પહોંચ્યા હતા. ત્યારે ડ્રાઇવર ખૂબ જ થાકી ગયો હોવાના કારણે તેણે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે વિમલ ડેરી નો ટેમ્પો પલટી મારીને રોંગ સાઈડમાં ચાલ્યો ગયો હતો. જ્યાંથી એક ઝાડ સાથે ધડાકાભેર અથડાયો હતો…

આ અકસ્માત બનતાની સાથેજ આસપાસના લોકો પોતાના વાહનો ઉભા રાખી ને તેઓની મદદ દોડી આવ્યા હતા. પરંતુ ટેમ્પાએ ચારથી પાંચ પલટી મારી દીધી હતી. જેના કારણે ટેમ્પાના ડ્રાઇવર અજીતસિંહ ઝાલા તેમજ કંડકટર પ્રવિણકુમાર પટેલ ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા.

આ અકસ્માતની જાણ ત્યાંના સ્થાનિક લોકોએ સમી પોલીસને કરી હતી. જેથી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને અકસ્માતમાં મૃત્યુ પામેલ બંને લોકોની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી. આકસ્માત બન્યા બાદ સ્થાનિકોમાં ચકચાર મચી ગયો છે…

કારણ કે રોજ રોજ થતા અકસ્માતો નાં બનાવ સાંભળ્યા બાદ સૌ કોઈ લોકો વિચારવા પર મજબૂર બની જાય છે કે, નાની અમથી ભૂલના કારણે જીવ જઈ શકે છે. એટલા માટે વાહનો ખૂબ જાળવીને ચલાવવા જોઈએ. છેલ્લા ૧ અઠવાડિયામાં અકસ્માતોના બનાવોએ માજા મુકી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *