Breaking News

રસ્તો ભૂલી ગયેલા 2 યુવકોએ વિધવા મહિલાને “પાણી પીવું છે” કહીને ઘરમાં ઘુસી ગયા, અને પછી કરી નાખ્યું એવું જે દરેક પરિવારે જાણીને ચેતી જવું જોઈએ..!

સવારના સમયમાં પુરુષો પોતાના નોકરી અને ધંધે ચાલ્યા જાય છે, ત્યાર બાદ ઘરમાં રહેતી મહિલાઓ એકલા જ ઘરનું કામ પૂર્ણ કરે છે અને રસોઈની કામગીરીઓ પણ હાથ ધરે છે. આખો દિવસ દરમિયાન તેઓ ઘરે એકલા રહે છે. એ વખતે તેમની સુરક્ષા અને સલામતીની તમામ જવાબદારીઓ શહેરના તંત્ર ઉપર આવી પડતી હોય છે..

અને તંત્ર ઉપર સૌ કોઈ લોકોને ભરોસો અને વિશ્વાસ છે. પરંતુ અત્યારે રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના બાવલવાડા વિસ્તાર પાસે એવી ઘટના બની ચુકી છે કે, જેને જાણ્યા બાદ એકલી રેહતી મહિલાઓએ ખૂબ જ ચેતી જવું જોઈએ, અહીં કાતરવાસના મેઘવાલ વસ્તીની અંદર રમીલા મેઘવાલ નામની એકલવાયુ જીવન જીવે છે..

તેઓ સવારના સમયે પોતાના ઘરે કામ કરી રહ્યા હતા. ત્યારે અચાનક જ બે યુવકો તેના ઘર પાસે આવી પહોંચ્યા અને આ બંને યુવકો રમીલા મેઘવાલને જણાવ્યું કે, તેઓ આ ગામડાની અંદર રસ્તો ભૂલી ગયા છે. અને તેમને ખૂબ જ તરસ લાગી છે. એટલા માટે પાણી પીવું છે. રમીલાએ માનવતા ખાતર આ બંને યુવકને હોકારો આપ્યો હતો..

અને બંને યુવકને પાણી પીવડાવવાનું પણ નક્કી કર્યું, આ બંને યુવકોએ ઘરની અંદર બેસવા માટે જણાવ્યું હતું. મહિલાએ દરવાજો ખુલ્લો મુકી આ બંને યુવકોને ઘરની અંદર પ્રવેશ આપ્યો અને તેમના માટે રસોડામાં પાણી ભરવા માટે ગઈ ત્યારે એવી ઘટના બની ચૂકી કે, જેને જાણીને આ લોકોના રુવાટા એકાએક બેઠા થઈ ગયા છે..

આ બંને યુવકો તેની પાછળ પાછળ આવ્યા અને ચોરી લૂંટફાટના ઇરાદે મહિલાના પેટ અને ગળાના ભાગ ઉપર ધારદાર સાધનના ઘા મારી દીધા હતા અને ઘટના સ્થળે રમીલાનું મૃત્યુ થઈ ગયું હતું. પોતાની માતાની ચીખો સાંભળીને તેની જુવાન દીકરી પણ ત્યાં આવી પહોંચી હતી અને તે તેની માતાને બચાવવા માટે આગળ વધે એ પહેલા તો આ બંને યુવકો ઘરની બહાર નીકળીને ભાગવા લાગ્યા હતા.

પાણી પીવાને બહાને આવેલા આ બંને બદમાશો એક મહિલાનો જીવ લઈને જતા રહ્યા હતા. એવી તો શું દુશ્મની હશે કે મહિલા ને સીધી મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી, આ ઘટના બનતા જ આસપાસના પડોશીઓ ના પણ હોશ છૂટી ગયા અને તેઓ ત્યાં આવી પહોંચ્યા હતા….

ગામડામાં રહેલી આ નાનકડી સોસાયટીના તમામ રહીશો કહેવા લાગ્યા કે, ઘરમાં જિંદગી જીવતી આ મહિલા પણ જો સુરક્ષિત ન હોય તો અન્ય લોકોની કેવી રીતે ગેરંટી લઈ શકાય આ ઘટનાને લઈ ખૂબ જ કડક તપાસ થવી જોઈએ અને ઘટનાના આરોપીને કડકમાં કડક સજા થવી જોઈએ, રમીલાના પતિનું આજથી આઠ વર્ષ પહેલા એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું..

અને ત્યારબાદ તે પોતાની જુવાન જોધ દીકરીની સાથે જીવન વિતાવે છે. પરંતુ તેનું ખૂબ જ દર્દનાક રીતે મૃત્યુ થઈ જતા ચારેકોર શોકનો માહોલ છવાઈ ગયો છે. આ ઘટનાથી મહિલાઓ ચેતી જવું જોઈએ અને અજાણ્યા લોકોને ક્યારેય પણ ઘરની અંદર પ્રવેશ આપવો જોઈએ નહી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *