ગામડાઓના આધાર ખેતી અને પશુપાલન ઉપર હોય છે. ગામડામાં રખડતા ઢોર અવાર નવાર જોવા મળે છે. પરંતુ હવે એ જ રખડતા ઢોર શહેર વિસ્તારમાં આવી જતા અવર જવર કરતા લોકોને હેરાનગતિ પહોંચતી હોય છે. આ બાબતને લઈને જુદા જુદા જિલ્લામાં ઘણા લોકોએ તંત્ર સામે ફરિયાદ નોંધાવી હતી કે રખડતા ઢોરોના ત્રાસના કારણે અનેક લોકોને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે.
શહેર વિસ્તારમાં મુખ્ય રસ્તાઓ પર રખડતા ઢોર વાહનો સાથે અથડાતા હોય છે. જેના કારણે ગમખ્વાર અકસ્માત સર્જતા હોય છે. હાલ એવો જ એક અકસ્માત રાજકોટના મવડી મેઈન રોડ પર બન્યો છે. રખડતા ઢોરોના ત્રાસ દિવસેને દિવસે એટલો બધો વધી રહ્યો છે. જેને કારણે આજે એક વડીલ વ્યક્તિનું મોત થયું છે…
આ વિસ્તારમાં રાત્રિના સમયે આસપાસ રખડતા ઢોર ટુ વ્હીલ પર જતા બે લોકોને અડફેટે લીધા હતા. ઢોરે ટુ વ્હીલ સાથે ખુબ જ જોરદાર ટક્કર મારી હતી. એટલા માટે ટુ વ્હીલ પર સવાર બંને યુવાનો રસ્તા પર ઘસડાઈ ગયા હતા. જેમાંથી એક યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો..
જ્યારે વડીલ વયનાં વિનુભાઈ મકવાણા અતિશય ગંભીર હાલતમાં ઇજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ડોક્ટરોએ તપાસ બાદ જણાવ્યું હતું કે, વિનુભાઈ મકવાણાનું બ્રેઈન હેમરેજના કારણે મૃત્યુ થયું છે. આ પહેલા પણ રસ્તા પર રખડતા ખુંટીયાએ રાજકોટ શહેરમાં અને વડીલોને માર મારવાના બનાવો સામે આવ્યા હતા.
આ ઉપરાંત એક જગ્યાએ મહિલાને શીંગડા ઉછાળી ઉછાળીને રહેંસી નાખી હતી. છતાં પણ તંત્ર કોઇ એક્શન લઈ રહ્યું નથી. રખડતા ઢોરોને પકડવા માટે તંત્ર માત્ર કાગળિયા પર જ કાર્યવાહી કરતું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે દિવસેને દિવસે રસ્તા પર રખડતા ઢોરોની સંખ્યા ખૂબ જ વધવા લાગી છે..
કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું છે કે, રખડતા ઢોરોને પકડી લીધા બાદ જ્યારે તેનો માલિક ઢોરને છોડાવવા માટે આવે છે. ત્યારે જો તેનું ઢોર મોટું હોય તો તેનો દંડ 1000 રૂપિયા રહે છે. જો તેનું ઢોર નાનું હોય તો તેનો દંડ 500 રૂપિયા છે. આ સામાન્ય દંડના કારણે પશુઓના માલિક પશુઓ પ્રત્યે કોઈ યોગ્ય સાચવણી રાખતા નથી..
એટલા માટે રખડતા ઢોર અવારનવાર શહેરી વિસ્તારોમાં નુકસાન પહોંચાડતા હોય છે. આ બાબતને લઇને ગુજરાતના કોંગ્રેસ નેતાઓએ પણ અવારનવાર વિધાનસભામાં રજૂઆત કરી છે. તો બીજી તરફ ભાજપના નેતાઓએ પણ રખડતા ઢોરોને પકડી પાડીને બનાવેલ યાદીઓ સૌ કોઈની સમક્ષ રજૂ કરી હતી..
પરંતુ સૌ કોઈ લોકોનું કહેવું છે કે, આ કાર્યવાહી માત્ર કાગળ પર જ થાય છે. રખડતા ઢોરો હજુ પણ રસ્તા પર રખડે છે. અને કેટલાય લોકોને રોઝ ચપેટમાં લઈ લેતા હોય છે. હકીકતમાં આ બાબતનો નિવેડો લાવવો ખૂબ જ જરૂરી છે. આ પ્રશ્ન ગુજરાતના દરેક જીલ્લાઓમાં ઉભો થયો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]