આજકાલના પ્રેમ સંબંધમાં જ્યારે જીવન જીવતા હોય ત્યારે એકબીજા સાથે અવનવા બનાવો બનતા હોય છે. જેના કિસ્સા સામે આવતાની સાથે જ લોકો પણ વિચારમાં મુકાઇ જતાં હોય છે. જો બંને સમજુ અને વિશ્વાસ હોય તો ક્યારેય વાંધો હોતો નથી. પરંતુ મનમાં રહેલા મેલને કારણે નવા બનવાના બનાવો પણ બનવા લાગ્યા છે.
અમદાવાદ જિલ્લાના બહેરામપુરા વિસ્તારમાં રહેતી એક યુવતી અર્બન હેલ્થ સેન્ટરમાં નર્સ તરીકેની ફરજ બજાવે છે. આજથી બે વર્ષ પહેલાં તે એસબીપી સંસ્થામાં ફરજ બજાવતી હતી. એ સમય દરમિયાન તે કલ્પેશ ગુર્જર નામના એક વ્યક્તિને મળી હતી. ધીમે ધીમે કલ્પેશ અને યુવતી બંનેની નજીક આવવા લાગતા બંને વચ્ચે પ્રેમ સંબંધ થઈ ગયો હતો.
કલ્પેશ ગુર્જર પોતાના ઘરે એકલો રહેતો હતો. જ્યારે યુવતી તેના પરિવાર સાથે રહેતી હતી. બે વર્ષથી તેઓની વચ્ચે બધું જ બરાબર ચાલતું હતું. એક દિવસ કલ્પશે યુવતીને કોલ કરીને જણાવ્યું હતું કે આજે તું મારા ઘરે આવ આપણે સારી વાનગીઓ બનાવીને ખાઈશુ, એટલા માટે યુવતી કલ્પેશના ઘરે ગઈ હતી..
સારી વાનગીઓ રાંધ્યા બાદ કલ્પેશ અને તેનો મિત્ર દિલીપ જમ્યા હતા. જમી લીધા બાદ કલ્પેશ તેના બેડરૂમમાં સુવા માટે ગયો હતો. જ્યારે તેનો મિત્ર દિલીપ ઘરની લાઇટ બંધ કરવા જતો હતો. લાઇટ બંધ કર્યા બાદ તે અચાનક જ રસોડામાં આવ્યો હતો. અને યુવતીનો હાથ પકડીને તેને બાથમાં ભીડી લીધી હતી.
હકીકતમાં મિત્રની પ્રેમિકા સાથે આ પ્રકારનું વર્તન કરવું ખૂબ જ ખરાબ બાબત છે. છતાં પણ દિલીપ તેના મિત્રને દગો આપીને તેની પ્રેમિકા સાથે ન કરવાની હરકતો કરવા જઈ રહ્યો હતો. પરંતુ યુવતીએ તરત જ બૂમાબૂમ કરી મૂકી હતી. દિલીપે યુવતીને બાથમાં ભીડેલી હોવાથી તે હલનચલન કરી શકે તેમ હતી નહીં..
પરંતુ આ યુવતીની બૂમો સાંભળીને કલ્પેશ પણ બેડરૂમમાંથી બહાર આવ્યો હતો. યુવતીએ કહ્યું હતું કે મને બચાવ… પરંતુ કલ્પેશએ કહ્યું કે તને તો આ બધી બાબતો પસંદ ન હોય તો ઘરના દરવાજા ખુલ્લા છે. તું અહીંયાથી જતી રહેજે. આ સાથે સાથે કલ્પેશે યુવતીને ખૂબ જ ગંદી ગંદી ગાળો પણ આપી હતી..
આ બધાની સાથે જ યુવતી ત્યાંથી જતી રહી હતી. પરંતુ દિવસે દિવસે દિલીપ અને કલ્પેશ બંને તેને હેરાન ગતિ પહોંચાડવા લાગ્યા હતા. એટલા માટે યુવતીએ વાસણા પોલીસ સ્ટેશનમાં આ બંને યુવકો સામે ફરિયાદ નોંધાવી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]