અત્યારના સમયમાં એવા બનાવો બનવા લાગ્યા છે કે, હવે આપણે નજીકના તેમજ સગા સંબંધીઓ ઉપર પણ આપણે મન મૂકીને વિશ્વાસ કરી શકતા નથી. કારણ કે તેઓ કોઈને કોઈ વખતે આપણને જરૂર દગો આપે છે અને પીઠ પાછળ ખંજર મારવાના કામો પણ કરતા હોય છે. અત્યારે કઈક આ પ્રકારનો જે કિસ્સો સામે આવ્યો છે..
જેને જાણ્યા બાદ સૌ કોઈ લોકોની આંખો પહોળીને પહોળી જ રહી ગઈ છે. આ ઘટના છત્તરગઢ વિસ્તાર પાસે આવેલી કર્મભૂમિ સોસાયટીની છે. આ સોસાયટીની અંદર મિરાજભાઈ તેમની પત્ની પ્રેમિલાની સાથે રાજી ખુશીથી જીવન જીવે છે. તેમને દસ વર્ષમાં સુખી લગ્ન જીવન દરમિયાન સાત વરસની દીકરી રોશની અને ત્રણ વર્ષના દીકરા વેદાંતનો સમાવેશ થાય છે..
મિરાજભાઈ એક ખાનગી કંપનીમાં મેનેજર તરીકેનું કામકાજ કરે છે. કંપનીમાં રહેલી મોટાભાગની રોકડ રકમ તેઓ પોતાના કરે સાચવવા માટે લઈ આવતા હતા અને થોડા દિવસ તેની સાચવણી કરી આ બાદ એ પૈસાનું વહીવટ તેઓ કંપનીના નામે જુદી જગ્યાએ કરતા હતા. મિરાજભાઈ કંપનીના ખૂબ જ ઈમાનદાર વ્યક્તિ હતા..
પરંતુ તેમના પડોશીઓને આ ઘટનાની જાણકારી પહોંચતાની સાથે જ મિરાજ ભાઈને ભારે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. મિરાજ ભાઈના પડોસમાં રહેતા રાજેશભાઈ અને તેની પત્ની મીનાબેન બંને દાનતના ખૂબ જ ખોટા વ્યક્તિ હતા. તેઓની નજર મિરાજ ભાઈના ઘરમાં પડેલા રોકડ રૂપિયા ઉપર રહેતી હતી..
એક દિવસ તેઓએ સાંજેના સમયે ઘરે રસ પુરી અને સુકી ભાજી બનાવી હતી. જેની અંદર તેઓએ ઘેનના ટીકડા ભેળવી દીધા હતા અને પોતાના પડોશમાં રહેતા મિરાજભાઈ ના પરિવારજનોને આ રસ પુરી ચાખવા માટે આપી હતી. રસ પુરી જોતાની સાથે સમગ્ર પરિવારએ થોડી થોડી ચાખી હતી..
અને સાંજના સમયે જ્યારે તેઓ સુવા માટે ગયા ત્યારે દરેક વ્યક્તિને વારાફરતી એક-એક જણને ચક્કર આવવા લાગ્યા હતા. અને તેઓ નીચે ઢોળી પડી ગયા, જ્યારે સવારે સૌ પ્રથમ મિરાજ ભાઈની આંખ ખુલ્લી ત્યારે તેઓએ પોતાના ઘરની અંદર એવું દ્રશ્ય જોયું કે, તે જોઈને તેમના ડોળા ફાટીને બહાર આવી ગયા હતા..
તેમના પડોશમાં રહેતા રાજેશભાઈ અને મીનાબેન ઉપર તરત જ તેમને શંકા જવા લાગી હતી. તેઓ જ્યારે સવારે તેમની આંખ ખોલી ત્યારે જોયું કે, તેમના કબાટમાં રહેલા રોકડ રૂપિયા ગાયબ હતા. રોકડ રૂપિયા તેઓ માત્ર બે દિવસ પહેલા જ પોતાની કંપનીમાંથી પોતાની ઘરે લઈ આવ્યા હતા..
અને એક અઠવાડિયાની અંદર અન્ય કોઈ વ્યક્તિને આ રૂપિયા પરત કરવાના હતા. પરંતુ કંપનીનું કામ પૂર્ણ થાય એ પહેલાં તો મિરાજ ભાઈના ઘરે ત્યાં રોકડ રૂપિયા ગાયબ થઈ ગયા હતા. તેઓ તરત જ સમજી ગયા અને તેમને તેમના પડોશી ઉપર શંકા જવા લાગી હતી કારણ કે તેમનો પડોશીઓના ઘરે પણ સવારના સમયે તાળું મારેલું હતું અને તેમની મોટી ગાડી પણ ઘરેથી ગાયબ હતી.
તેઓ વારંવાર તેમના પડોશમાં રહેતા રાજેશભાઈને ફોન કરવા લાગ્યા પરંતુ રાજેશભાઈ એક પણ મારા ફોન ઉજવ્યો નહીં, આ ઉપરાંત મિરાજભાઈની સોસાયટીમાં રહેતા અન્ય લોકોએ પણ જણાવ્યું કે, રાત્રિના લગભગ 1:30 વાગ્યા આસપાસ રાજેશભાઈ અને મીનાબેન બંને મિરાજ ભાઈના ઘરેથી એક કાળા કલરનો થેલો લઈને જતા નજરે પડ્યા હતા.
રાજેશભાઈ તરત જ આ ઘટનાની જાણકારી પોલીસ સુધી પહોંચાડી હતી કે, તેમના ઘરે તેમના પડોશીઓએ કરી લીધી છે. અને આ લૂંટફાટ તેમને રસ પુરીની અંદર ઘેનના ટુકડા ભેળવીને ખવડાવી દીધા બાદ કરી હોવાનો ખુલાસો થયો છે. આ ઘટનાએ સૌ કોઈ લોકોને ચોંકાવી દીધા છે. અને કેટલાક લોકો તો વિચારવા મજબૂર બન્યા છે કે, આખરે રાજેશભાઈએ આવી હરકતો શા માટે કરી હશે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]