અત્યારે એક એવી ડરામણી ઘટના સામે આવી છે, જેના વિશે જાણ્યા બાદ તમે પણ માથું પકડીને વિચારવા બેસી જશો કે આવી ઘટનાઓની પાછળ જોડાયેલા લોકોને બરાબરનો મેથીપાક ચખાડી દેવો જોઈએ. આ ઘટના ચંદ્રિકાપુર ગામની છે. આ ગામમાં નકળંગ ફળિયાની પાછળની ગલીમાં રામજીકાકા નામના એક વડીલ રહે છે..
તેમની શેરીમાં છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ અજુગતિ ચીજ વસ્તુઓ થવા લાગી હતી. કોઈ વખત આખી રાત કુતરાઓ ભસતા હતા, તો કોઈ વખત દિવસના સમયે પણ પશુઓ ભાન ભૂલીને હડીયાપાટી મચાવી દેતા હતા. આ ઉપરાંત અન્ય એવી ઘણી બધી નોંધનીય બાબતો બનવા લાગી હતી જેના ઉપર સૌ કોઈને શંકા હતી..
આ બધી બાબતો ઉપરથી શેરીમાં રહેતા સૌ કોઈ લોકો કહેવા લાગ્યા કે, રામજીકાકાના ડેલા પાસે ભૂત થાય છે અને ત્યાં કોઈ વ્યક્તિએ જવું જોઈએ નહીં, નહીંતો ભૂત ખેંચી જશે અને જે તે વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. રાતના સમયે તો સૌ કોઈ લોકોને ડર લાગવા લાગ્યો હતો. આ બધી ડરામણી બાબતો પેદા કરવામાં અંદરના જ કોઈ વ્યક્તિનો હાથ હોય તેવું ગામના સરપંચને લાગતું હતું..
પરંતુ કોઈ પુરાવા ન હોવાથી આ મામલો આમને આમ ચાલતો રહ્યો, એક દિવસ બહાદુરીના બણગા ફૂંકતો હસમુખ નામનો એક યુવક ગામના લોકોની સમક્ષ બહાર આવ્યો અને બોલતો હતો કે, આખા ગામની અંદર વાત ફેલાય છે કે રામજી કાકાના ડેલા પાસે ભૂત થાય છે. પરંતુ આ ભૂતને હું ખુલ્લું પાડીને બહાર લાવી આપીશ..
આવી બહાદુરીના બણગા ફૂકતો યુવક રાતના સમયે રામજીકાકાના ઘર પાસે આવી પહોંચ્યો હતો અને ત્યાં એવી ઘટના બની ગઈ હતી કે સૌ કોઈ લોકોના મોઢા ફાટેલા રહી ગયા હતા. જ્યારે હસમુખ રામજીકાકાના ડેલા પાસે પહોંચ્યો ત્યારે તેને ખબર પડી કે આ બધી કરતૂતોની પાછળ અન્ય કોઈ વ્યક્તિ નહીં પરંતુ રામજીકાકાના પડોશમાં રહેતા પ્રેમચંદ ભાઈ છે..
પ્રેમચંદભાઈ ત્યાં કપડાં બદલતા નજરે ચડ્યા હતા, તે સામાન્ય કપડા ઉતારીને સફેદ કલરના ડરામણા કપડાં પહેરવા જઈ રહ્યા હતા અને એ વખતે જ હસમુખ નામના યુવક ત્યાં પહોંચી ગયો હતો અને તેને રંગે હાથે પ્રેમચંદભાઈ ને પકડી લીધા હતા. આ સાથે સાથે ડરામણા અવાજ કાઢવા માટે તેઓ એક રેડિયો સ્પીકર પણ ત્યાં ગોઠવ્યું હતું..
જેમાં વિચિત્ર પ્રાણીઓના પણ અવાજ રેકોર્ડ કરેલા હતા. તેમણે તેમના પડોશી રામજીકાકાને ડરાવી ધમકાવીને મકાન ખાલી કરી નાખવા માટે અગાઉ પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ રામજીકાકા તેમનો આ જૂનું પુરાણું મકાન કોઈ વ્યક્તિને વેચવા માટે તૈયાર રહેતા નહીં, એટલા માટે પ્રેમચંદે આ મકાનને પચાવી પાડવા માટે આ ડરામણા ભૂતની ઘટના કાઢી નાખી હતી..
જ્યારે ગામ લોકોની સામે પ્રેમચંદની કહાનીની પોલ ખુલ્લી પડી ગઈ ત્યારે સૌ કોઈ લોકોએ તેને ઢોર મારવાનું શરૂ કરી દીધું હતું. ગામના સરપંચનું પણ કહેવું હતું કે તેમને પહેલેથી જ શેરીમાં રહેતા લોકો ઉપર જ શંકા હતી. પરંતુ તેમની પાસે કોઈ પુરાવો ન હોવાને કારણે તેઓ કોઈ પણ કાર્યવાહી કરાવી શકે નહીં..
આવા લોકોને કાનૂનને હવાલે કરી દેવા જોઈએ અને તેમને કડકમાં કડક સજા થવી જોઈએ, કારણકે તેમણે એક સાથે ઘણા બધા લોકોને ડરાવાનું કામકાજ કર્યું હતું. આવી બધી ઘટનાઓની અંદર ઢીલા પોચા હૃદય વાળા વ્યક્તિઓના જીવ પણ જતા રહે છે. એટલા માટે ડગલેને પગલે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]