આજની યુવાન પેઢી ખાવા પીવાની ખૂબ જ શોખીન જોવા મળે છે. લોકોને બહારનું ખાવાનું ખૂબ જ પસંદ આવી રહ્યું છે. લોકો હોટલ અને રેસ્ટોરન્ટમાં ખાવા જઈ રહ્યા હોય છે અને પોતાના મોજ શોખ માટે તીખું અને તમતમતું ખાઈને પોતાના સ્વાસ્થયને બગાડી રહ્યા છે પરંતુ હોટલ અને રેસ્ટોરન્ટમાં કેવી રીતે વાનગીઓ બનાવવામાં આવે છે.
તે ક્યારેય કોઈ જાણતું નથી અને લોકો અનેક બીમારીઓને આમંત્રિત કરી રહ્યા છે. અમુક રેસ્ટોરન્ટમાં કે લારી પર બનાવવામાં આવતી વાનગીઓમાં ખૂબ જ ભેળસેળ કરી રહ્યા છે અને લોકો ફાસ્ટ ફૂડ ખાવાના શોખીન હોય છે. જેના કારણે તેને સ્વાદિષ્ટ બનાવવા માટે વાપરવામાં આવતા પદાર્થો સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાનકારક છે.
હાલમાં રાજકોટ શહેરમાં એવો એક કિસ્સો સામે આવ્યો છે કે જે જાણીને દરેક લોકો આ જગ્યા પર ખાવા જતા પહેલા સો વાર વિચાર કરશે. આ કિસ્સો રાજકોટ શહેરમાં લાખાજીરાજ રોડ પર જૂની ખડપીઠ પાસે આવેલી નાસ્તા બજારમાં સ્વાસ્થ્ય વિભાગના કર્મચારીઓએ દરોડા પાડ્યા હતા.
દરોડા પાડતા સમયે પ્રખ્યાત રામભાઈ રગડાવાળાને ત્યાં ચેકિંગ કર્યું હતું. રામભાઈ રગડાવાળાને ત્યાં લોકો ખાવા માટે ઉમટી પડે છે અને રગડાનું નામ પડે એટલે શહેરના લોકો રામભાઈ રગડાવાળાને ત્યાં પહોંચી જાય છે. ખૂબ જ પ્રખ્યાત રામભાઈ રગડાવાળાને ત્યાં સ્વાસ્થ્ય વિભાગના કર્મચારીઓએ ચેકિંગ કરતા સમયે એવી વસ્તુઓ મળી આવી કે,..
જે જોતા જ કર્મચારીઓના પણ આંખના ડોળા નીકળી ગયા હતા. રામભાઈ રગડાવાળાને ત્યાંથી ત્રણ કિલોગ્રામ વાસી લાલ ચટણી તેમજ 2 કિલો લીલી ચટણી અને 15 કિલો રગડાનો મસાલો ફેંકી દેવામાં આવ્યો હતો. આ દરેક વસ્તુઓ વાસી વાપરવામાં આવતી હતી અને તેમાંથી બનાવવામાં આવતો હતો. બધી વસી વસ્તુઓ રગડામાં વાપરવામાં આવતી હતી.
રગડામાં જે બટાકા વાપરવામાં આવતા હતા. એ બટાકા પણ વાસી હતા. જેના કારણે કર્મચારીઓએ સ્થળ પર જ આ વસ્તુઓનો નાશ કરી દીધો હતો. આજકાલ આવા કિસ્સાઓ ખૂબ જ બની રહ્યા છે. રામભાઈ રગડાવાળાને ત્યાંથી આવી વાસી વસ્તુઓ મળી આવતા દરેક લોકો માટે ચેતવણી સમાન છે.
ઘણા સમયથી આ વાસી વસ્તુઓમાંથી રગડો બનાવવામાં આવતો હતો અને એક દિવસના કેટલા બધા લોકો રામભાઈ રગડાવાળાને ત્યાં નાસ્તો કરવા માટે પહોંચી જતા હતા પરંતુ લોકોના સ્વાસ્થ્ય સાથે છેતરપિંડી થઈ રહી હતી. જેના કારણે સ્વાસ્થ્ય વિભાગના કર્મચારીઓએ રગડાવાળાને ત્યાં પહોંચીને દરેક વસ્તુઓનું નાશ કર્યો હતો.
અને સાથે સાથે બાજુમાં આવેલા ડે નાઈટ ફાસ્ટ ફૂડમાંથી પણ ત્રણ કિલોગ્રામ વાસી બટાકા, 2 કિલોગ્રામ વાસી પાઉં, સાત કિલો વાસી ચીફ્સનો ફેંકી દેવામાં આવી હતી. દરેક લોકો આવી વસ્તુઓ ખાઈને પોતાની બીમારીને આમંત્રિત કરી રહ્યા હોય છે. જેના કારણે દરેક જગ્યાએ ખાતા પહેલા લોકોએ વસ્તુઓની ચેકિંગ કરી લેવું જોઈએ.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]