Breaking News

રમતા-રમતા થઈ ગઈ એવી મોટી ભૂલ કે 5 વર્ષની દીકરીનો જીવ ગયો, મૃત દીકરીને જોઈને માં-બાપની આંખો ફાટેલી જ રહી ગઈ.. ચેતવણીરૂપ કિસ્સો..!

નાના બાળકો રમત રમતમાં પોતાના જીવને જોખમમાં મૂકી દે છે અને બાળકો પોતાના માતા-પિતાને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે. બાળકોને રમવામાં જીવ હોય છે. રમત-રમતમાં બાળકો સાથે બનતી ઘટનાઓ અવારનવાર સામે આવે છે પરંતુ હાલમાં પણ એવી જ એક ઘટના સામે આવી હતી. આ ઘટના સુરત શહેરમાં આવેલા પાંડેસરા વિસ્તારમાં બની હતી.

પરિવારમાં માતા-પિતા અને તેમની બાળકી રહેતા અને પિતાનું નામ દીપકકુમાર પ્રસાદ છે અને તેમની દીકરીનું નામ પ્રીતિ દીપક કુમાર પ્રસાદ હતું. દીકરીની ઉંમર 5 વર્ષની હતી. તે માતા-પિતાની ખૂબ જ લાડકી દીકરી હતી. પાંડેસરા વિસ્તારમાં આવેલા ભગવતીનગરમાં ફ્લેટમાં પરિવાર રહેતું હતું. ફ્લેટના ત્રીજા માળે પરિવારે રેહતું હોવાથી દીકરી ઘર પાસે જ રમતી હતી.

દીકરી એક દિવસ તેમના મિત્રો સાથે બહાર ગેલેરીમાં રમી રહી હતી. દીકરીના ઘરની ગલેરીમાં બીજા બાળકો રમતા હતા. તે સમયે માતા તેમના ઘરનું કામ કરી રહી હતી. માતાનું ધ્યાન ન રહેતા દીકરી ગેલેરીની દિવાલ પર નીચે જોવા ચડી હતી અને અચાનક દીકરીનું બેલેન્સ ન રહેતા તે રોડ પર નીચે પડી ગઈ હતી.

બાળકી જેવી નીચે પડી કે સોસાયટીના લોકો તરત જ બાળકીને બચાવવા બુમાબૂમ કરવા લાગ્યા હતા. જેના કારણે બાળકીની માતા ફ્લેટની બહાર આવી અને તેને જોયું તો તેની દીકરી રોડ પર પડેલી હતી. દીકરીને માથા અને હાથના ભાગે વાગી ગયુ હતું. માથામાંથી ખૂબ જ લોહી વહી રહ્યું હતું.

જેના કારણે આસપાસના પાડોશીના લોકો ભેગા મળીને દીકરીને તરત જ પાંડેસરાની સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા પરંતુ સારવાર દરમિયાન દીકરીનું મૃત્યુ થઈ ગયું હતું. દીકરીના પિતાને પણ દીકરીના મૃત્યુ ની જાણ કરવામાં આવી હતી. દીકરીના પિતા દિપક કુમારને તેમની દીકરી સાથે આ ઘટના બની હોવાને કારણે તેઓ આઘાતમાં આવી ગયા હતા.

પરિવારની 5 વર્ષની દીકરી એ પોતાનો નિર્દોષ જીવ ગુમાવ્યો હતો. તરત જ માતા-પિતા દીકરીના મૃત્યુનો આઘાત સહન કરી શક્યા નહીં. અવારનવાર આવી ઘટનાઓ બનતા પરિવારના બાળકો પોતાના નિર્દોષ જીવ ગુમાવી રહ્યા છે. માતા-પિતાનું જરા પણ ધ્યાન ન રહેતા બાળકો સાથે જીવલેણ ઘટનાઓ બની રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *