Breaking News

રાજકોટમાં માતાએ તેના 2 બાળકો સાથે કરી લીધું અગ્નિસ્નાન , જાણો શું છે સામુહિક આપઘાત પાછળનું કારણ ..?

જ્યારથી કોરોનાએ સામાન્ય લોકોની કમર આર્થિક અને માનસિક રીતે તોડી નાખી છે ત્યારથી સામાન્ય પરિવારમાં આપ ધાતના બનાવોમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે કેમ કે આવા આકરા સમયમાં ઘર ચલાવવા માટે પી અને પત્ની બનેની સમજણ જોઈએ છે. પરતું આર્થીક રીતે તંગી આજકાલ કોઈને સહન નથી થતી એટલે ઘરેલું કંકાસ ચાલતા હોઈ છે.

રાજકોટમાં ઘરેલું કંકાસના કારણે એક એવો બનાવ ઘટ્યો છે જે વાંચીને તમારા રુવાડા ઉભા થઈ જશે. રાજકોટ શહેરના નાકરાવાડી નામના વિસ્તારમાં 28 વર્ષનાં દયાબેન વિજયભાઇ ડેડાણીયાએ પોતાના બે માસૂમ પુત્રો સાથે અગ્નિસ્નાન કરી લીધું છે. આ ઘટનાની જાણ થતાં કુવાડવા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.

જ્યાં પ્રાથમિક તપાસમાં ગૃહ કંકાસની શંકા વ્યક્ત કરવામાં આવી છે. આ ઘટનાને પગલે આખા પંથકમાં ગમગીની છવાઇ છે. આ ઘટનાથી ડેડાણીયા પરિવાર પર આભ તૂટી પડ્યુ હતું. તો સમગ્ર ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.

આ ગોઝારી ઘટનામાં  28 વર્ષના માતા દયાબેન વિજયભાઇ ડેડાણીયાએ પોતાના 4 અને 7 વર્ષના પુત્રો સાથે અગ્નિસ્નાન કરીને આપઘાત કર્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે, આ લોકોના આપઘાતમાં ગૃહ કલેશ જવાબદાર હોય શકે છે. આ ઘટના આજે વહેલી સવારે બની હતી.

હાલ કુવાડવા પોલીસ તપાસ કરીને વધુ કાર્યવાહી કરી રહી છે. આ સાથે પરિવારજનો તથા ગામજનોના નિવેદનો પણ લેવામાં આવી રહ્યા છે. આ ઘટનાથી ડેડાણીયા પરિવારમાં સોપો પડી ગયો છે. આ આત્મહત્યાના પગલે દયાબેનના પતિએ કહ્યું કે, મારે ક્યારેય બોલાચાલી થઈ નથી. મારી માતાને એકવાર બોલાચાલી થઈ હતી.

પોલીસ દ્વારા પરિવારજનોના નિવેદન લેવામાં આવ્યા છે, જેમાં મૃતકના પતિએ કહ્યું કે મારે ક્યારેય પત્નિ સાથે બોલાચાલી થઈ નથી, મારી માતાને એકવાર બોલાચાલી થઈ હતી, જો કે આજે વહેલી સવારે આ ઘટના બનતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. ઘટનાને પગલે DCP સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *